ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે છોડ્યુ ક્રિકેટ, ભારત સામેની ટેસ્ટ સિરીઝથી બહાર

ECBએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સ્ટોક્સ અનિશ્ચિત સમયગાળા માટે ક્રિકેટમાંથી આરામ લઈ રહ્યો છે. સ્ટોક્સના આ નિર્ણય પાછળનું કારણ તેની આંગળીની ઈજા છે, આ વર્ષે IPL 2021 દરમિયાન તેને ફ્રેક્ચર થયું હતું.

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે છોડ્યુ ક્રિકેટ, ભારત સામેની ટેસ્ટ સિરીઝથી બહાર
Ben Stoks (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 11:41 PM

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England)ને ભારત સામે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના માત્ર 5 દિવસ પહેલા સૌથી મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે (Ben Stokes) ટેસ્ટ શ્રેણી માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે 30 જુલાઈએ સ્ટોક્સને શ્રેણીમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ECBએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે સ્ટોક્સ અનિશ્ચિત સમયગાળા માટે ક્રિકેટમાંથી આરામ લઈ રહ્યો છે. સ્ટોક્સના આ નિર્ણય પાછળનું કારણ તેની આંગળીની ઈજા છે, આ વર્ષે IPL 2021 દરમિયાન તેને ફ્રેક્ચર થયું હતું. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી 4 ઓગસ્ટથી નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર શરૂ થઈ રહી છે. આ શ્રેણી સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું નવું ચક્ર પણ શરૂ થશે.

ECBએ એક નિવેદન જાહેર કરી સ્ટોક્સના નિર્ણય વિશે જાણકારી આપી. ઈસીબીના નિવેદન મુજબ સ્ટોક્સે ભારતની સામે આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરિઝ પહેલા ઈંગ્લેન્ડના ટેસ્ટ સ્કવોડમાંથી પોતાનું નામ પરત લીધું છે. કારણ કે તે પોતાના માનિસક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે અને આરામ કરવા ઈચ્છે છે. ઈસીબીએ બેનના નિર્ણયને પૂરૂ સમર્થન આપ્યું છે અને ક્રિકેટથી દુર રહેવાના સમયમાં તેમની મદદ કરશે.

સ્ટોક્સને પૂરો સમય આપવામાં આવશે

ઈંગ્લેન્ડ પુરૂષ ક્રિકેટના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઈલ્સે કહ્યું બેન સ્ટોક્સે પોતાની ભાવનાઓ અને સ્વાસ્થ્ય વિશે ખુલીને જણાવી ખુબ સાહસ બતાવ્યું છે. ખેલાડીઓનું માનસિક સ્વાસ્થ્ય અને પોતાના લોકોનું કલ્યાણ હંમેશાથી અમારૂ પ્રાથમિક ફોક્સ રહ્યું છે અને આગળ પણ રહેશે. તેમને સાથે જ કહ્યું બેનને જેટલો સમય જોઈએ તેટલો સમય આપવામાં આવશે અને અમે ભવિષ્યમાં ક્રિકેટ રમતો જોવાની રાહ જોઈશું.

ત્યારે ઈસીબીએ હવે બેન સ્ટોક્સની જગ્યાએ ક્રેગ ઓવરટનને ટીમમાં સામેલ કર્યો છે. 30 વર્ષીય સ્ટોક્સને એપ્રિલમાં આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચ દરમિયાન કેચ પકડતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે સમગ્ર ટૂર્નામેન્ટથી બહાર રહ્યા હતા. તે ન્યૂઝીલેન્ડની સામે ટેસ્ટ સિરીઝમાં નહીં રમી શકે.

સ્ટોક્સે આ આંગળીની સર્જરી કરાવી હતી અને ગયા મહિને જ ક્રિકેટ મેદાનમાં વાપસી કરી હતી. આ મહિનાની શરૂઆતમાં જ ઈંગ્લેન્ડ ટીમમાં કોરોના વાઈરસના કેસ આવવાના કારણે પાકિસ્તાનની સામે નવી ટીમની સાથે ઉતરવું પડ્યુ હતું અને વન-ડે સિરીઝમાં કેપ્ટનશીપ કરતા તેમને ટીમને 3-0થી જીત અપાવી હતી.

સ્ટોક્સનું કરિયર

ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે 2013માં ઓસ્ટ્રેલિયાની સામે એડિલેડમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. ત્યારબાદથી તે ટીમનો મુખ્ય હિસ્સો છે. તેને અત્યાર સુધી 71 ટેસ્ટ રમી છે, જેમાં 10 સદી સહિત 4,631 રન અને 163 વિકેટ લીધી છે. આ પહેલા 2011માં તેમને આયરલેન્ડ સામે વન-ડે ડેબ્યૂ કર્યુ હતું.

તે જ વર્ષે વેસ્ટ ઈન્ડિઝની સામે ટી-20 ડેબ્યુ પણ કર્યુ હતું. વન-ડેમાં તેમને 101 મેચમાં 2,871 રન અને 74 વિકેટ લીધી છે. 2019ની વિશ્વકપ ફાઈનલમાં ઈંગ્લેન્ડને ખિતાબ જીતાડવામાં તેમની સૌથી મહત્વની ભૂમિકા રહી હતી. તેમને 34 ટી20 પણ રમી છે. જેમાં 19 વિકેટ અને 442 રન ફટકાર્યા છે.

આ પણ વાંચો: MS Dhoni નો નવો લૂક ફેન્સ જામી પડ્યો, ફેન્સને ખૂબ પસંદ આવ્યો કેપ્ટન કુલનો આ અંદાજ, જુઓ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">