જ્યાં રામ સેતુ બનાવવામાં આવ્યો ત્યાં પહોંચ્યા વડાપ્રધાન મોદી, કોથંદરમાસ્વામીની કરી પૂજા
તમિલનાડુના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કોથંદરમાસ્વામી મંદિરમાં જઈને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. કોડંદરામ સ્વામી મંદિર શ્રી કોથંદરમાસ્વામીને સમર્પિત છે. જેનો અર્થ થાય છે ધનુષ સાથે રામ.

આખો દેશ આ દિવસોમાં રામમય છે. ચારે બાજુ ભક્તિનો માહોલ છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભગવાન રામની ભક્તિમાં લીન છે. વડાપ્રધાન મોદી તામિલનાડુના બે દિવસીય પ્રવાસે છે. રવિવાર તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી ધનુષકોડી પાસે અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા હતા. PMએ આ સ્થળની મુલાકાત લીધી હતી. અરિચલ મુનાઈ પોઈન્ટ એ સ્થળ છે જ્યાંથી રામ સેતુનું નિર્માણ થયું હતું.

વડાપ્રધાન મોદીએ કોથંદરમાસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. કોડંદરામ સ્વામી મંદિર શ્રી કોથંદરમા સ્વામીને સમર્પિત છે. જેનો અર્થ થાય છે ધનુષ સાથે રામ.

તેમના તમિલનાડુ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સંપૂર્ણપણે રામ ભક્તિમાં મગ્ન છે. શનિવારે, તેમણે તિરુચિરાપલ્લીના શ્રીરંગમમાં શ્રી રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લીધી અને ત્યાં પ્રાર્થના કરી.

આ દરમિયાન વડાપ્રધાનએ હાથીને ગોળ ખવડાવીને તેના આશીર્વાદ પણ લીધા હતા. આ સિવાય પીએમ મોદીએ રામેશ્વરમમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો. પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં પણ ડૂબકી લગાવી હતી.

ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પણ પૂજા કરી હતી.
