પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને દર મહિને થશે આવક, માત્ર 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે નિયત અરજી પત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિનીને આપવામાં આવે છે.

પોસ્ટ ઓફિસમાં ઘણી બચત યોજનાઓ છે જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળામાં ફાયદો થાય છે. આવી જ એક સ્કીમ છે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ, જે તમને દર મહિને આવક આપે છે. આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. તેના માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલવી શકો છો.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકો છો. રોકાણ માટેની મહત્તમ મર્યાદા 9 લાખ રૂપિયા છે. જો તમારું સંયુક્ત ખાતું છે તો તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જોઈન્ટ એકાઉન્ટમાં તમામ ખાતા ધારકોનો સમાન હિસ્સો રહેશે.

હાલમાં આ મંથલી ઈન્કમ સ્કીમમાં જમા રકમ પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 મહિનો પૂરો થવા પર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. જો ખાતાધારક દ્વારા દર મહિને ચૂકવવાપાત્ર વ્યાજનો દાવો કરવામાં આવતો નથી, તો આવા વ્યાજ પર કોઈ વધારાનું વ્યાજ મળશે નહીં.

વ્યાજ માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર એકાઉન્ટ ખોલવાની તારીખથી ઉપાડની તારીખ સુધી લાગુ થશે. પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ મૂજબ તે જ પોસ્ટ ઓફિસ અથવા બચત ખાતામાં ઓટો ક્રેડિટ દ્વારા વ્યાજ ઉપાડી શકાય છે. આ સ્કીમમાંથી મળેલા વ્યાજ પર ઈન્કમ ટેક્સ લાગુ થાય છે.

પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ હેઠળ સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે નિયત અરજી પત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિનીને આપવામાં આવે છે. જો ખાતું 1 વર્ષ બાદ અને ખુલવાની તારીખથી 3 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે તો, મૂળ રકમના 2 ટકા જેટલી રકમ કાપવામાં આવશે.
