AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને સરકારની મોટી ભેટ ! ડિવિડન્ડની આવક પર TDS મર્યાદા વધારવાની જાહેરાત

જ્યારે નોકરી કરતા લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ પર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી હતી.

| Updated on: Feb 02, 2025 | 1:50 PM
Share
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારે દેશના તમામ વર્ગોનું વિશેષ ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. નાણામંત્રીએ આજે ​​મધ્યમ વર્ગ માટે મોટી રાહતની જાહેરાત કરી છે અને જાહેરાત કરી છે કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારે દેશના તમામ વર્ગોનું વિશેષ ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે. નાણામંત્રીએ આજે ​​મધ્યમ વર્ગ માટે મોટી રાહતની જાહેરાત કરી છે અને જાહેરાત કરી છે કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે.

1 / 5
જ્યારે નોકરી કરતા લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ પર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી હતી.

જ્યારે નોકરી કરતા લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને મળતા ડિવિડન્ડ પર વસૂલવામાં આવતી TDSની મર્યાદા વધારવાની પણ જાહેરાત કરી હતી.

2 / 5
નાણાપ્રધાને ડિવિડન્ડની આવક પર કાપવામાં આવેલી TDSની મર્યાદાને 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને એક વર્ષમાં મળેલા રૂ. 10,000 સુધીના ડિવિડન્ડ પર 1 રૂપિયાનો પણ TDS કાપવામાં આવશે નહીં.

નાણાપ્રધાને ડિવિડન્ડની આવક પર કાપવામાં આવેલી TDSની મર્યાદાને 5000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને એક વર્ષમાં મળેલા રૂ. 10,000 સુધીના ડિવિડન્ડ પર 1 રૂપિયાનો પણ TDS કાપવામાં આવશે નહીં.

3 / 5
જોકે, 10,000 રૂપિયામાંથી ડિવિડન્ડ પર 10 ટકા TDS કાપવામાં આવશે. આ નવો નિયમ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે 5000 રૂપિયાથી વધુના ડિવિડન્ડના કિસ્સામાં, કંપની 10 ટકા TDS કાપીને રોકાણકારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.

જોકે, 10,000 રૂપિયામાંથી ડિવિડન્ડ પર 10 ટકા TDS કાપવામાં આવશે. આ નવો નિયમ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે 5000 રૂપિયાથી વધુના ડિવિડન્ડના કિસ્સામાં, કંપની 10 ટકા TDS કાપીને રોકાણકારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.

4 / 5
ઉદાહરણ તરીકે, રમેશ ABC કંપનીના 1000 શેર ધરાવે છે. કંપનીએ દરેક શેર પર 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ મુજબ રમેશને કુલ 10,000 રૂપિયા ડિવિડન્ડ તરીકે મળશે. નવા નિયમો હેઠળ રમેશને મળેલા ડિવિડન્ડ પર કોઈ TDS કાપવામાં આવશે નહીં. જ્યારે વર્તમાન નિયમો હેઠળ, 10,000 રૂપિયાના ડિવિડન્ડ પર 10 ટકા (રૂ. 1000)નો TDS કાપ્યા પછી, રમેશના બેંક ખાતામાં કુલ 9,000 રૂપિયા આવશે. આનો સીધો અર્થ એ થયો કે નવી સિસ્ટમ હેઠળ રોકાણકારો ઘણી બચત કરશે.

ઉદાહરણ તરીકે, રમેશ ABC કંપનીના 1000 શેર ધરાવે છે. કંપનીએ દરેક શેર પર 10 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ મુજબ રમેશને કુલ 10,000 રૂપિયા ડિવિડન્ડ તરીકે મળશે. નવા નિયમો હેઠળ રમેશને મળેલા ડિવિડન્ડ પર કોઈ TDS કાપવામાં આવશે નહીં. જ્યારે વર્તમાન નિયમો હેઠળ, 10,000 રૂપિયાના ડિવિડન્ડ પર 10 ટકા (રૂ. 1000)નો TDS કાપ્યા પછી, રમેશના બેંક ખાતામાં કુલ 9,000 રૂપિયા આવશે. આનો સીધો અર્થ એ થયો કે નવી સિસ્ટમ હેઠળ રોકાણકારો ઘણી બચત કરશે.

5 / 5

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.  બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો. 

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">