AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કપૂર’ કેવી રીતે બને છે? શું તેને ઘરે બનાવવું શક્ય છે? જાણો આને બનાવવાની ‘અસલી રીત’

આપણા ઘરના પૂજા-પાઠ અને આરતીમાં કપૂરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. તેની સુગંધ માત્ર વાતાવરણને જ પવિત્ર નથી બનાવતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. એવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે, આ 'કપૂર' આખરે બને છે કેવી રીતે?

| Updated on: Jul 14, 2026 | 5:56 PM
Share
પૂજા-પાઠમાં 'કપૂર' (Camphor) નો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આરતી વખતે 'કપૂર' સળગાવવાની પરંપરા સદીઓ જૂની છે. એવામાં શું તમે જાણો છો કે, 'કપૂર' કેવી રીતે બને છે?

પૂજા-પાઠમાં 'કપૂર' (Camphor) નો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આરતી વખતે 'કપૂર' સળગાવવાની પરંપરા સદીઓ જૂની છે. એવામાં શું તમે જાણો છો કે, 'કપૂર' કેવી રીતે બને છે?

1 / 6
નેચરલ 'કપૂર' મુખ્યત્વે કપૂરના ઝાડ (Camphor Tree) માંથી મેળવવામાં આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ 'સિનામોમમ કેમ્ફોરા' (Cinnamomum Camphora) છે. આ ખાસ વૃક્ષ મોટાભાગે ચીન, જાપાન અને તાઈવાન જેવા દેશોમાં જોવા મળે છે. 'કપૂર' બનાવવાની પ્રક્રિયામાં સૌથી પહેલા આ ઝાડના લાકડા, મૂળ અને છાલને નાના-નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે.

નેચરલ 'કપૂર' મુખ્યત્વે કપૂરના ઝાડ (Camphor Tree) માંથી મેળવવામાં આવે છે, જેનું વૈજ્ઞાનિક નામ 'સિનામોમમ કેમ્ફોરા' (Cinnamomum Camphora) છે. આ ખાસ વૃક્ષ મોટાભાગે ચીન, જાપાન અને તાઈવાન જેવા દેશોમાં જોવા મળે છે. 'કપૂર' બનાવવાની પ્રક્રિયામાં સૌથી પહેલા આ ઝાડના લાકડા, મૂળ અને છાલને નાના-નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે.

2 / 6
આ પછી તેને વરાળ (Steam Distillation) ની ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, જેનાથી 'કપૂરયુક્ત' તેલ નીકળે છે. હવે જ્યારે આ તેલને ઠંડુ કરવામાં આવે છે, ત્યારે તે કપૂરના ક્રિસ્ટલ (સ્ફટિક)નું રૂપ લઈ લે છે. અંતમાં, આ જ ક્રિસ્ટલ્સને સારી રીતે શુદ્ધ કરીને અને મનગમતો આકાર આપીને બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવે છે.

આ પછી તેને વરાળ (Steam Distillation) ની ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે, જેનાથી 'કપૂરયુક્ત' તેલ નીકળે છે. હવે જ્યારે આ તેલને ઠંડુ કરવામાં આવે છે, ત્યારે તે કપૂરના ક્રિસ્ટલ (સ્ફટિક)નું રૂપ લઈ લે છે. અંતમાં, આ જ ક્રિસ્ટલ્સને સારી રીતે શુદ્ધ કરીને અને મનગમતો આકાર આપીને બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવે છે.

3 / 6
આજકાલ મોટાભાગનું પૂજાનું 'કપૂર' કુદરતી નથી હોતું પરંતુ સિન્થેટિક (કૃત્રિમ) કપૂર હોય છે. તેને ટર્પેન્ટાઇન ઓઇલ (Turpentine Oil) માંથી બનાવવામાં આવે છે, જે ચીડ (Pine) ના ઝાડમાંથી મળે છે. 'કપૂર' આપણા રોજિંદા જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે. તેનો સૌથી મુખ્ય ઉપયોગ સનાતન પરંપરામાં સદીઓથી પૂજા-પાઠ અને આરતી વખતે કરવામાં આવે છે, જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને છે.

આજકાલ મોટાભાગનું પૂજાનું 'કપૂર' કુદરતી નથી હોતું પરંતુ સિન્થેટિક (કૃત્રિમ) કપૂર હોય છે. તેને ટર્પેન્ટાઇન ઓઇલ (Turpentine Oil) માંથી બનાવવામાં આવે છે, જે ચીડ (Pine) ના ઝાડમાંથી મળે છે. 'કપૂર' આપણા રોજિંદા જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે. તેનો સૌથી મુખ્ય ઉપયોગ સનાતન પરંપરામાં સદીઓથી પૂજા-પાઠ અને આરતી વખતે કરવામાં આવે છે, જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને છે.

4 / 6
ધાર્મિક મહત્વ ઉપરાંત, 'કપૂર' તેના ઔષધીય ગુણોને કારણે આયુર્વેદિક દવાઓમાં એક મુખ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત આપતા પેઇન રિલીફ બામમાં પણ તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં, તેની તીવ્ર ગંધને કારણે તે કબાટ અને રૂમમાંથી જીવજંતુઓ કે કીટકોને દૂર રાખવાનો એક ઉત્તમ કુદરતી ઉપાય છે. સાથે જ, 'કપૂર' ની મનમોહક સુગંધને લીધે રૂમ ફ્રેશનર અને અગરબત્તી જેવા ઘણા સુગંધિત ઉત્પાદનોમાં પણ કપૂરનો મોટાપાયે ઉપયોગ થાય છે.

ધાર્મિક મહત્વ ઉપરાંત, 'કપૂર' તેના ઔષધીય ગુણોને કારણે આયુર્વેદિક દવાઓમાં એક મુખ્ય ઘટક તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત આપતા પેઇન રિલીફ બામમાં પણ તેનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં, તેની તીવ્ર ગંધને કારણે તે કબાટ અને રૂમમાંથી જીવજંતુઓ કે કીટકોને દૂર રાખવાનો એક ઉત્તમ કુદરતી ઉપાય છે. સાથે જ, 'કપૂર' ની મનમોહક સુગંધને લીધે રૂમ ફ્રેશનર અને અગરબત્તી જેવા ઘણા સુગંધિત ઉત્પાદનોમાં પણ કપૂરનો મોટાપાયે ઉપયોગ થાય છે.

5 / 6
જો કે, વ્યાવસાયિક સ્તરે 'કપૂર' ફેક્ટરીઓમાં મશીનો દ્વારા રાસાયણિક પદ્ધતિથી અથવા ઝાડના અર્કમાંથી ગોટી (ટિકડી) ના રૂપમાં બનાવવામાં આવે છે. ઘરેલુ સ્તરે તેને બનાવવું શક્ય નથી કારણ કે, તેમાં ખાસ ઔદ્યોગિક સાધનો (જેમ કે ડિસ્ટિલેશન યુનિટ અને કૂલિંગ ચેમ્બર) ની જરૂર પડે છે.

જો કે, વ્યાવસાયિક સ્તરે 'કપૂર' ફેક્ટરીઓમાં મશીનો દ્વારા રાસાયણિક પદ્ધતિથી અથવા ઝાડના અર્કમાંથી ગોટી (ટિકડી) ના રૂપમાં બનાવવામાં આવે છે. ઘરેલુ સ્તરે તેને બનાવવું શક્ય નથી કારણ કે, તેમાં ખાસ ઔદ્યોગિક સાધનો (જેમ કે ડિસ્ટિલેશન યુનિટ અને કૂલિંગ ચેમ્બર) ની જરૂર પડે છે.

6 / 6

શું ઘરના દ્વાર પર બેઠેલો કૂતરો જીવન અને મૃત્યુ વચ્ચેની દીવાલ હોઈ શકે છે ?

Follow Us
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
Breaking News : ભરૂચના દહેજ GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં મોટી આગ
g clip-path="url(#clip0_868_265)">