Ganesh Visarjan: મુંબઈના આ સ્થળોએ થાય છે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન, જુઓ Photos
ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

બાંદ્રા: બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં બાપ્પાની વિદાયનો અદભૂત નજારો જોઈ શકાય છે. ગણેશ વિસર્જન દરમિયાન અનેક ફિલ્મ સ્ટાર્સ અહીં બાપ્પાને વિદાય આપવા માટે આવે છે.

જુહુ બીચ: મુંબઈના જુહુ બીચ પર બાપ્પાનું વિસર્જન થાય છે ત્યારે લોકોની ભીડ જોવા મળે છે. ગણેશ ભગવાનને ઢોલ-નગારા તાલે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે. સાંતાક્રુઝ કે ખાર રેલવે સ્ટેશન પર ઉતરીને અહીં લોકલ બસ દ્વારા પહોંચી શકાય છે.

વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.