રોહિત શર્મા ક્યા 6 ખેલાડીઓને ટીમમાંથી કરશે બહાર ? અંગ્રેજોને હરાવવાનો પ્લાન તૈયાર !
હૈદરાબાદમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ હવે વિશાખાપટ્ટનમમાં વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ 28 રને હારી ગઈ હતી પરંતુ કેપ્ટન રોહિત શર્માનું લક્ષ્ય હવે બીજી ટેસ્ટ મેચ જીતવા પર હશે.

રોહિત શર્મા ઉપરાંત યશસ્વી જયસ્વાલનું પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નિશ્ચિત છે. ગિલ અને અય્યરનું ફોર્મ ખરાબ છે પરંતુ તેમની પસંદગી નિશ્ચિત છે. હવે સવાલ એ છે કે મિડલ ઓર્ડરમાં કોણ રમશે. રાહુલ, વિરાટ અને જાડેજાની ગેરહાજરીમાં રજત પાટીદારને તક મળી શકે છે.

શ્રીકર ભરત અને ઓલરાઉન્ડર સૌરભ કુમારને પણ તક મળી શકે છે. યુપીનો સૌરભ કુમાર બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાની તાકાત બતાવી શકે છે. તેમના સિવાય અશ્વિન, અક્ષર પટેલ અને બુમરાહનું સ્થાન નિશ્ચિત છે. અંતે ટીમ ઈન્ડિયા સિરાજની જગ્યાએ કુલદીપ યાદવને તક આપી શકે છે.

વિરાટ કોહલી બીજી ટેસ્ટ નહીં રમે. રાહુલ અને જાડેજા પણ બહાર છે. હવે રોહિત શર્માની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી માટે 17 ખેલાડીઓ છે જેમાંથી 11 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે.જેમાં શ્રીકર ભરત, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રજત પાટીદાર અને સરફરાઝ ખાનની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઓલરાઉન્ડરોમાં આર અશ્વિન, અક્ષર પટેલ, સૌરભ કુમાર, વોશિંગ્ટન સુંદર ટીમ સાથે ઉપલબ્ધ છે. બોલરોમાં જસપ્રિત બુમરાહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમારનો સમાવેશ થાય છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર, શ્રીકર ભરત, આર અશ્વિન, સૌરભ કુમાર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.
