Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં પદવીધારકોમાં પ્રથમવાર વિદ્યાર્થિનીઓએ મારી બાજી, 502 યુવતીઓને મળી પદવી-Photos
ગાંધીજી દ્વારા સ્થાપિત અમદાવાદના આશ્રમ રોડ સ્થિતિ ગુજરાત વિદ્યાપીઠનો બુધવારે 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. વર્ષોની પરંપરા મુજબ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસે જ વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ વર્ષે આ પદવીદાન સમારોહમાં પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી જેમા 502 યુવતીઓ છે.

ગુજરાત વિદ્યાપીઠ 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા આ વર્ષે પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં યુવતીઓની સંખ્યા વધુ જોવા મળી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી જેમા 502 વિદ્યાર્થિનીઓને પદવી આપવામાં આવી હતી.

આ દીક્ષાંત સમારોહમાં કુલપતિ રાજ્યપાલે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. જેમા તેઓએ સર્વધર્મ સમભાવ, સાદગી અને સ્વચ્છતા સહિતની બાબતો પર ભાર મૂક્યો હતો.

આ કોન્વોકેશનમાં ડિપ્લોમાં, યુજી, પીજી અને PHD સહિતના 953 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. જેમા 502 યુવતીઓ છે જ્યારે 451 યુવકો છે.

આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

વિદ્યાપીઠનું કોન્વોકેશન સાદગી અને સુવ્યવસ્થા માટે જાણીતુ છે જો કે આ વખતે બદલાયેલા સત્તામંડળ પછીના કોન્વોકેશનમાં કોર્પોરેટ કલ્ચર જોવા મળ્યુ હતુ. પહેલા જ્યાં ગ્લાસમાં પાણી આપવામાં આવતુ હતુ તેના બદલે આ વર્ષે પ્લાસ્ટિકની બોટલો જોવા મળી હતી.