Stock Market : મંગળવારે બજાર ખુલતાની સાથે જ 3800 કરોડ રૂપિયાની મોટી ‘બ્લોક ડીલ’ થશે, 3.7 કરોડ શેર્સ વેચાશે એ પણ એક જ વારમાં
4 ઓગસ્ટના રોજ શેરબજારમાં 'ગિફ્ટ નિફ્ટી'થી પોઝિટિવ સંકેત જોવા મળ્યા પરંતુ ગ્લોબલ માર્કેટથી અપેક્ષા મુજબનું પ્રદર્શન જોવા ન મળ્યું. જો કે, બીજા ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં મોટી બ્લોક ડીલ થવાની છે તેવા સમાચાર બહાર આવ્યા છે.

અઠવાડિયાના બીજા ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં મોટી બ્લોક ડીલ થવાની શક્યતા છે. આ ડીલ થકી એક જ વારમાં 3.7 કરોડ શેર્સ વેચાશે. ટૂંકમાં આ બ્લોક ડીલની અસર મંગળવારના દિવસે એટલે કે 5 ઓગસ્ટના રોજ શેરબજારમાં જોવા મળશે તેવી સંભાવના છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, શેરબજારમાં આવતીકાલે એટલે કે મંગળવાર, 5 ઓગસ્ટના રોજ બજાર ખુલતાની સાથે જ એક મોટી બ્લોક ડીલ થશે. વિજય શેખર શર્માની કંપની Paytm (One97 Communications) માં આવતીકાલે એક બ્લોક ડીલ થશે, જેમાં વિદેશી રોકાણકાર પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી શકશે.

આ બ્લોક ડીલ પહેલા સોમવાર, 4 ઓગસ્ટના રોજ 'Paytm' નો સ્ટોક 0.33% ના વધારા સાથે રૂ. 1,079.90 પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોકમાં 16% અને 6 મહિનામાં 38% નો વધારો જોવા મળ્યો છે.

અલીબાબા ગ્રુપનું 'એન્ટફિન' (નેધરલેન્ડ) આ કંપનીમાં તેનો કુલ હિસ્સો એટલે કે '5.84% ઇક્વિટી' બ્લોક ડીલ દ્વારા વેચશે. આ માટે બ્લોક ડીલ રૂ. 1,020 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે સોમવારના બંધ ભાવથી 5.5% ડિસ્કાઉન્ટ પર છે. આ ડીલની સાઇઝ રૂ. 3,800 કરોડ થવાની સંભાવના છે. Citi આ ડીલ માટે બ્રોકરની ભૂમિકા ભજવી શકે છે.

30 જૂનના શેરહોલ્ડિંગ મુજબ, એન્ટફિન (નેધરલેન્ડ) પાસે આ કંપનીમાં કુલ 3,72,87,726 ઇક્વિટી શેર છે. 'Paytm'એ ગયા અઠવાડિયે 22 જુલાઈના રોજ તેના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) ના પરિણામો જાહેર કર્યા.

પ્રથમ ક્વાર્ટરમાં, વાર્ષિક ધોરણે રૂ. 839 કરોડના નુકસાનની સામે રૂ. 122.5 કરોડનો નફો થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક રૂ. 1,501.6 કરોડથી 27.7% વધીને રૂ. 1,917.5 કરોડ થઈ છે.

EBITDA ખોટ રૂ. 793 કરોડ હતી, જેના પરિણામે હવે રૂ. 71.5 કરોડનો EBITDA નફો થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીનું માર્જિન 3.7% જેટલું હતું.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
