AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S Jaishankar On Rahul Gandhi: ‘દેશની રાજનીતિને બહાર લઈ જવી યોગ્ય નથી’, યુએસમાં રાહુલ ગાંધીના નિવેદન પર એસ જયશંકરનો પલટવાર

રાહુલ ગાંધી 10 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે અલગ-અલગ કાર્યક્રમમાં વિદેશી ભારતીયોને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હવે જાણો વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના નિવેદન અંગે શું કહ્યું.

S Jaishankar On Rahul Gandhi: 'દેશની રાજનીતિને બહાર લઈ જવી યોગ્ય નથી', યુએસમાં રાહુલ ગાંધીના નિવેદન પર એસ જયશંકરનો પલટવાર
Image Credit source: Tv9 ભારતવર્ષ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 3:52 PM
Share

New Delhi: વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં ભારતની લોકશાહી અંગે આપેલા નિવેદનો પર પલટવાર કર્યો છે. વિદેશ મંત્રીએ ગુરુવારે કહ્યું કે રાહુલને આ આદત છે, જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે ભારતની ટીકા કરે છે, પરંતુ આ ન તો દેશના હિતમાં છે અને ન તો તેની વિશ્વસનીયતા માટે સારું છે. દેશની રાજનીતિને બહાર લઈ જવી યોગ્ય નથી.

આ પણ વાચો: 9 Years of Modi Govt: ચીનની CPECમાં નિષ્ફળતા એ ભારતની મોટી સફળતા છે, જયશંકરે ગણાવ્યા મોદી સરકારના 9 વર્ષના કાર્યો

વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે 2024ની ચૂંટણીમાં પણ અમારી સરકાર બનશે, પરંતુ ક્યારેક એક પક્ષ ચૂંટણી જીતે છે તો ક્યારેક બીજી પાર્ટી તે દર્શાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. દુનિયા પણ તેને જોઈ રહી છે. જો દેશમાં લોકશાહી ન હોય તો આવો બદલાવ ન આવવો જોઈએ. દેશમાં રાહુલની વાત કોઈ સાંભળતું નથી, ત્યારે વિદેશમાં જઈને ભારતની વાત કરતા રહે છે જે દેશના હિતમાં નથી.

વાસ્તવમાં, રાહુલ ગાંધી 10 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે વિદેશી ભારતીયોને સંબોધિત કરતા ભારતના વર્તમાન લોકતંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. ગયા અઠવાડિયે ગુરુવારે અમેરિકામાં એક કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધીએ ભારતમાં લોકશાહીના વિઘટનની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો આવું થશે તો તેની અસર આખી દુનિયા પર પડશે.

‘ભાજપ બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતી નથી’

અગાઉ, સન ફ્રાન્સિસ્કોમાં ભારતીયો સાથેની તેમની મુલાકાત દરમિયાન, કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદે દેશમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને વાસ્તવિક મુદ્દાઓથી હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપ દેશમાં બેરોજગારી, મોંઘવારી, શૈક્ષણિક સંસ્થાઓની અછત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતી નથી.

આ સાથે તેમણે ભારતીય મુસ્લિમોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મુસ્લિમ સમુદાયને લાગે છે કે તેમને હાલમાં વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આદિવાસીઓ, દલિતો અને શીખો પણ એવું જ અનુભવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલીશું. અમે નફરતમાં માનતા નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતમાં સંસ્થાકીય માળખા પર દબાણ વધારવામાં આવી રહ્યું છે. દેશમાં પ્રેસની સ્વતંત્રતા પણ નબળી પડી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">