રાહુલ-અખિલેશે અધ્યક્ષ ઓમ બિરલાને કહ્યું- વિપક્ષનો અવાજ ના દબાવતા, સત્તાધારીને કાબૂમાં રાખજો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પહેલીવાર લોકસભામાં વિપક્ષના નેતા તરીકે વાત કરી હતી. તેમણે ઓમ બિરલાને લોકસભાના સ્પીકર બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, સપા પ્રમુખ અખિલેશ યાદવ સ્પીકરને સલાહ આપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે અમારી અપેક્ષા એ છે કે કોઈપણ જનપ્રતિનિધિનો અવાજ દબાવવામાં ન આવે અને હકાલપટ્ટી જેવી કોઈ કાર્યવાહીથી ગૃહની ગરિમાને ઠેસ ન પહોંચે.

રાહુલ-અખિલેશે અધ્યક્ષ ઓમ બિરલાને કહ્યું- વિપક્ષનો અવાજ ના દબાવતા, સત્તાધારીને કાબૂમાં રાખજો
Rahul Gandhi and Akhilesh Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2024 | 1:11 PM

18મી લોકસભાનું પ્રથમ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. લોકસભાના વર્તમાન અને પ્રથમ સત્રના ત્રીજા દિવસે બુધવારે ઓમ બિરલાને ગૃહના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી લોકસભાના સભ્યોએ, ઓમ બિરલાને શુભકામનાઓ આપી હતી. પીએમ મોદી બાદ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભા અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા હતા. વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીનું ગૃહમાં આજે પ્રથમ સંબોધન હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવવા બદલ ઓમ બિરલાને અભિનંદન આપતા કહ્યું કે, તમે બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છો, હું તમને અભિનંદન આપવા માંગુ છું. હું તમને સમગ્ર વિપક્ષ અને ઈન્ડિ એલાયન્સ તરફથી અભિનંદન આપવા માંગુ છું. આ ગૃહ અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તમે ભારતના લોકોના અવાજના અંતિમ મધ્યસ્થી છો.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, સરકાર પાસે રાજકીય શક્તિ છે પરંતુ વિપક્ષ પણ ભારતની જનતાના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વખતે વિપક્ષ ગત વખત કરતા વધુ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અમે તમને સહકાર આપીશું. અમે ઈચ્છીએ છીએ કે ગૃહ સરળતાથી ચાલે. વિપક્ષનો અવાજ ગૃહમાં ઉઠાવવા દેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

અખિલેશ યાદવે શું કહ્યું?

આ સાથે જ અખિલેશ યાદવ લોકસભા અધ્યક્ષને સલાહ આપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે આ પદ સાથે ઘણી ભવ્ય પરંપરાઓ જોડાયેલી છે અને અમે માનીએ છીએ કે ગૃહ ભેદભાવ વિના આગળ વધશે. સ્પીકર તરીકે તમે દરેક સાંસદ અને પાર્ટીને સમાન તક આપશો. અમારી અપેક્ષા એ છે કે કોઈપણ જનપ્રતિનિધિનો અવાજ દબાવવામાં ન આવે.

અખિલેશ યાદવે કહ્યું કે સભ્યોની હકાલપટ્ટીથી ગૃહની ગરિમાને ઠેસ ન પહોંચવી જોઈએ. અખિલેશે કહ્યું કે અમે બધા તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ફરીથી હકાલપટ્ટી જેવી કાર્યવાહીથી ગૃહની ગરિમાને ઠેસ ન પહોંચે. તમારો અંકુશ માત્ર વિપક્ષ પર જ નહીં પરંતુ સત્તાધારી પક્ષ પર પણ રહે. ગૃહ તમારી સૂચનાઓ પર ચાલવું જોઈએ, તેનાથી વિરુદ્ધ ન થવું જોઈએ. દરેક ન્યાયી નિર્ણયમાં અમે તમારી સાથે છીએ. જ્યારે હું પહેલીવાર નવા ગૃહમાં આવ્યો છું, ત્યારે મને લાગ્યું કે અમારા સ્પીકરની ખુરશી ઘણી ઊંચી છે.

ઓમ બિરલા ધ્વનિ મત દ્વારા લોકસભા સ્પીકર તરીકે ચૂંટાયા

ભાજપના સાંસદ ઓમ બિરલા ધ્વનિ મત દ્વારા લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વડા પ્રધાન મોદીએ અધ્યક્ષ પદ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટેકો આપ્યો હતો. પીએમ મોદી દ્વારા રજૂ કરાયેલા નવા અધ્યક્ષના પ્રસ્તાવને પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ દ્વારા ગૃહમાં મતદાન માટે મૂકવામાં આવ્યો હતો અને તેને ગૃહ દ્વારા ધ્વનિ મત દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો.

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">