AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક શરૂ, 8 રાજ્યના મુખ્યમંત્રીઓ ગેરહાજર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે.કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે.

PM પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક શરૂ, 8 રાજ્યના મુખ્યમંત્રીઓ ગેરહાજર
NITI Aayog Meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:42 AM
Share

NITI Aayog Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Mode) નેતૃત્વમાં આજે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક યોજાવા જઈ રહી છે. સંસદભવનના ઉદ્ઘાટન પહેલા યોજાયેલી આ બેઠકથી ઘણા મુખ્યમંત્રીઓએ દૂર રહેવાનો નિર્ણય લીધો છે. દિલ્હી, બિહાર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સહિત અન્ય વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પીએમ મોદીના નેતૃત્વમાં યોજાનારી બેઠકમાં ભાગ લેશે નહીં. બેઠકમાં આઠ સૂત્રોના વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

ભૂપેશ બઘેલ અને સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બેઠકથી દૂર રહેશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કર્ણાટકના નવા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ બેઠકમાં ભાગ લેશે નહીં. જો કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ બેઠકમાં હાજરી આપશે.

આ પણ વાંચો : Parliament History: સંસદ ભવન બન્યા પહેલા સાંસદો ક્યાં બેસતા હતા ? જાણો પ્રથમ બેઠક ક્યાં થઈ હતી

નીતિ આયોગની બેઠકમાં 8 મુદ્દાઓ પર ચર્ચા થશે

દિવસભર ચાલેલી બેઠકમાં 8 ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં 2047માં વિકસિત ભારત, MSMEs, માળખાકીય સુવિધાઓ અને રોકાણ પર ભાર, અનુપાલન ઘટાડવા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક માળખાકીય સુવિધાઓ અને ક્ષેત્રના વિકાસ માટે ગતિનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નર ભાગ લેશે.

બેઠકમાં 2047 સુધીમાં વિકસિત ભારત અંગે ચર્ચા કરવામાં આવશે

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે, ભારત આર્થિક વિકાસના માર્ગ પર છે જ્યાંથી તે આગામી 25 વર્ષોમાં વધુ ઝડપી વૃદ્ધિ હાંસલ કરી શકે છે. 8મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં 2047 સુધીમાં વિકસિત ભારત માટે આવો રોડમેપ બનાવવા પર ચર્ચા થશે, જેમાં કેન્દ્ર અને રાજ્યો ટીમ ઈન્ડિયા તરીકે સાથે મળીને કામ કરી શકે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
g clip-path="url(#clip0_868_265)">