AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે વન નેશન-વન ઇલેક્શનની હિમાયત ?

મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ આપેલા ભાષણમાં પણ વન નેશન વન ઈલેકશનની વાત કરી હતી. પરંતુ અહીં સવાલએ થાય છે કે વડા પ્રાધાન કેમ વન નેશન વન ઈલેકશનની વાત કરી રહ્યાં છે. શું ખરેખર ભારતને આનાથી લાભ થશે ? સમગ્ર માહિતી આ લેખમાં વિસ્તારથી વાંચો.

કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે વન નેશન-વન ઇલેક્શનની હિમાયત ?
Image Credit source: TV9 Bharatvarsh
| Updated on: Sep 18, 2024 | 4:53 PM
Share

મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી.

કેમ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે આની હિમાયત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે 15 ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પર કરેલા સંબોધનમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીની વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં અવારનવાર થતી ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. આ સાથે જ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વન નેશન-વન ઈલેકશન અંગે વિચારવુ જોઈએ. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં તેને મુખ્ય રીતે સામેલ કર્યું હતું.

આચાર સંહિતાના પગલે વિકાસના કાર્યો અટવાશે નહિં

દેશમાં રાજ્યસભા અને લોકસભાની ચૂંટણી અલગ – અલગ થવાના કારણે વિકાસના કામમાં અવરોધ થયા છે. જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં 2 મહિના અગાઉ આચાર સંહિતા લગાવવામાં આવે છે. જેના પગલે ચૂંટણી વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ હોય કે વિકાસના કાર્યો હોય તેમાં અડચણ આવે છે.

આચાર સંહિતાના પગલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતા નથી. કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે. આચાર સંહિતા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે. બીજી તરફ ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રજાને અનેક વચનો આપી બેસતા હોય છે.

સરકારી તંત્ર વ્યવસ્થામાં ખર્ચમાં વધારો

વન નેશન વન ઈલેકશનનો કાયદો લાગુ પડવાથી સરકારી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. જેથી બચત થયેલા નાણાને સરકાર અન્ય વિકાસ કાર્યો અથવા તો નાગરિકોને લાભ મળે તેવી યોજનામાં ઉપયોગ કરી શકે છે. દેશના અલગ – અલગ રાજ્યમાં જુદા સમયે ઈલેકશન કરવાથી સરકારને કર્મચારીઓને સમય કરતા વધારે કામ કરવા માટે વધારાનું વેતન ચુકવવુ પડે છે. જુદા જુદા સમયે ઈલેકશન હોવાના કારણે વહીવટી તંત્ર વ્યસ્થ રહે છે. જેથી અન્ય મહત્તવપૂર્ણ કાર્યો અટકી જાય છે.

સરકારી તંત્ર થઈ જાય છે વ્યસ્ત

આ ઉપરાંત ચૂંટણી સમયે કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ ઈલેકશન કમિશનને ખાસ તૈયારીઓ કરવી પડે છે. જેના પગલે કેટલીક વાર કાર્મચારીઓનો સમય પણ વેડફાય છે. આ ઉપરાંત ચૂંટણીના કેટલાક મહત્વના કામમાં અધિકારી વ્યસ્ત રહેવાના કારણે અનેક મહત્વના વિકાસલક્ષી કાર્યો અટવાઈ જાય છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">