વન નેશન વન ઈલેકશન
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે, સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી નો એજન્ડા નક્કી કર્યો છે. ભૂતકાળમાં આઝાદી બાદ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, કેટલાક કારણોસર એ પ્રથા બંધ થઈ. જો કે હવે ફરીથી આ પ્રથાને અમલમાં લાવવા માટે ગંભીરતાથી પ્રયાસ હાથ ધરાયા છે. આના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને એક કમિટીની પણ રચના થઈ હતી. આ કમિટીએ એક રાષ્ટ્ર એક ચૂંટણી આડે આવનારી સંભવિત બંધારણીય અડચણોને ધ્યાને લઈને રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કર્યો છે. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટની બેઠકે મંજૂરી આપી દીધી છે.
ઈન્દિરા ગાંધીના કારણે તૂટી હતી ‘વન નેશન વન ઈલેક્શન’ની વ્યવસ્થા, દેશમાં એક સાથે કેટલી વખત યોજાઈ છે ચૂંટણી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની હિમાયત કરી રહ્યા છે. જો કે, 'વન નેશન વન ઈલેક્શન' એ નવો વિચાર નથી. અગાઉ પણ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ છે, પરંતુ એવું તે શું થયું કે, વન નેશન વન ઈલેક્શન વ્યવસ્થા બંધ કરવી પડી, તેના વિશે આ લેખમાં જાણીશું.
- Dilip Chaudhary
- Updated on: Dec 21, 2024
- 5:32 pm
One Nation One Election બિલ લોકસભામાં રજૂ, તેને JPCને મોકલવા સરકાર તૈયાર
દેશમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તે માટે કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેકશન બિલ આજે લોકસભામાં રજૂ કર્યું છે. કાયદા પ્રધાન અર્જૂન મેઘવાલે, લોકસભામાં વન નેશન વન ઈલેક્શન માટે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. સરકાર આ બિલ અંગે સર્વપક્ષીય સાંસદોની બનેલ જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી) રચવા તૈયાર છે. જો કે વિપક્ષે, વન નેશન વન ઈલેકશન બિલને બંધારણ વિરુદ્ધનુ ગણાવીને વિરોધ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 17, 2024
- 1:27 pm