Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસને આજે 22 વર્ષ પૂર્ણ, PM મોદીએ વીર સૈનિકોને યાદ કરી કર્યું ટ્વિટ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ જશે દ્રાસ

26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી.

Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસને આજે 22 વર્ષ પૂર્ણ, PM મોદીએ વીર સૈનિકોને યાદ કરી કર્યું ટ્વિટ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ જશે દ્રાસ
pm narendra modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:14 AM

Kargil Vijay Divas: કારગિલ વિજય દિવસની 22મી વર્ષગાંઠ નિમિતે સોમવારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, દ્રાસ કારગિલની મુલાકાત લેશે. જ્યાં બંને કારગિલ વિજય દિવસ સમારંભમાં ભાગ લેશે.

જ્યારે કારગિલ દિવસથી એક દિવસ પહેલા રવિવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટ કરીને કારગિલ યુદ્ધના સૈનિકોની વીરતાને યાદ કરતાં શ્રદ્ધાંજલી આપી હતી.

સેનાએ ટ્વીટ કર્યું છે કે સીડીએસ જનરલ બિપિન રાવતે દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલની સુરક્ષા પરિસ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, સીડીએસએ સૈનિકો સાથે વાતચીત કરી અને તેમના ઊંચા મનોબળ બદલ અભિનંદન પાઠવ્યા.

વર્ષ 2019 ની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખરાબ હવામાનને કારણે કારગિલ વિજય દીવસ ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા અને તેમણે શ્રીનગરના બદમિબાગમાં સૈન્યની 15મી કોર્પ્સના મુખ્ય મથકના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી આપીને બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

જમ્મુ કાશીમરના કારગિલ જિલ્લામાં 1999માં મે થી જુલાઇની વચ્ચે થઈ હતી લડાઈ 26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી.

તત્કાલીન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના કારગિલમાં ઘૂસણખોરી કરી હતી.

22 મી કારગિલ વિજય દીવસ નિમિત્તે, ભારતીય સેનાએ કાશ્મીર ખીણમાં અને લદ્દાખના ખતરનાક પર્વતોમાં 1000 કિલોમીટરની મુસાફરી કરીને દ્રાસમાં ઐતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મેગા બાઇક રેલીઓ કરી હતી.  એક ઉત્તરી સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, જે કારગિલ યુદ્ધના હીરો પણ છે.

આ પણ વાંચો: Maharashtra Flood Update: 2 લાખ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત જગ્યા પર ખસેડાયા, 50 ઘાયલ 100 લાપતા અને 149નાં મોત

આ પણ વાંચો: Astro tips for nails: આપની આંગળીઓના નખમાં છુપાયેલા છે અનેક રહસ્યો, રંગ અને આકાર જોઈને જાણો શું કહી જાય છે આપના નખ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">