Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિલકિશ બાનુ કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિવ્યુ પિટીશન, ગુજરાત સરકાર સામે કરાયેલી કેટલીક ટિપ્પણીઓ દૂર કરવાની કરાઈ વિનંતિ

સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ બિલકિશ બાનુની અરજી પર હત્યા અને રેપ મામલે ઉમરકેદની સજા પામેલા 11 દોષીતોની મુક્તિના 17 મહિના બાદ ફરી જેલમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના સમય પહેલા દોષીતોને મુક્ત કરવાના આદેશને રદ્દ કરી દીધો હતો. હવે ગુજરાત સરકારે સુપ્રીમમાં પુનર્વિચાર યાચિકા દાખલ કરી છે.

બિલકિશ બાનુ કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી રિવ્યુ પિટીશન, ગુજરાત સરકાર સામે કરાયેલી કેટલીક ટિપ્પણીઓ દૂર કરવાની કરાઈ વિનંતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2024 | 12:21 AM

બિલકિશ બાનુના દોષિતોને ફરી જેલ મોકલવા મામલે ગુજરાત સરકાર હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ગુજરાત સરકારે બિલકિશના દોષિતોને આજીવનકેદની સજા પુરી થયા પહેલા તેમને મુક્ત કરવાના આદેશને રદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર યાચિકા દાખલ કરી છે. સરકારે કોર્ટને તેના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ કરાયેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની યાચિકા દાખલ કરી છે.

લિફ્ટમાં કેમ લગાવવામાં આવે છે અરીસો? કારણ નહીં જાણતા હોવ તમે
Plant in pot : મની પ્લાન્ટમાં પાણી સાથે આ વસ્તુ ઉમેરી નાખો, થશે ઝડપી વૃદ્ધિ
આજનું રાશિફળ તારીખ 01-03-2025
ક્રિકેટર રોહિત શર્માએ પોતાનું કરોડોની કિંમતનું ઘર આપ્યું ભાડે, જાણો કેટલી કમાણી થશે
Beautiful IPS : મોડલને ટક્કર આપે છે આ મહિલા IPS ઓફિસરની સુંદરતા, જુઓ તસવીર
પાકિસ્તાનમાં સૌથી વધુ લોકો કયા રોગથી મૃત્યુ પામે છે?

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ બિલકિશ બાનુની અરજી પર હત્યા અને રેપ મામલે ઉમરકેદની સજા પામેલા 11 દોષીતોની મુક્તિના 17 મહિના પછી ફરી જેલમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં ગુજરાત સરકારના સમય પહેલા દોષિતોને મુક્ત કરવાના આદેશને રદ્દ કર્યો હતો.

સાથે જ સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. રાજ્ય સરકારે તે કઠોર શબ્દોમાં કરાયેલી ટિપ્પણીને હટાવવાની માગ કરતી રિવ્યુ પિટીશન દાખલ કરી છે. જેમા કહ્યુ છે કે કોર્ટે તેમના નિર્ણયમાં બિલકિશ બાનુ મામલે રાજ્યએ દોષિતો સાથે મળીને કામ કર્યુ,જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરી દેવી જોઈએ.

ગુજરાત સરકારે તેમની યાચિકામાં જણાવ્યુ છે કે એવી ટિપ્પણીઓ પૂર્વગ્રહ ઉભો કરવાનુ કામ કરે છે. ગુજરાત સરકારે જણાવ્યુ કે તેમને હાઈકોર્ટના 2022ના આદેશ અનુસાર જ કામ કર્યુ છે. સરકારનો નિર્ણય એ સત્તાનો દુરુપયોગ ન હતો.

આપને જણાવી દઈએ કે બિલ્કીસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરતા ગુનેગારોની સજાની માફી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં અપરાધી પર કેસ ચલાવવામાં આવ્યો છે અને સજા સંભળાવવામાં આવી છે ત્યાં માત્ર રાજ્ય જ દોષિતોને માફ કરવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર ગુનેગારોની સજા માફ કરવાનો નિર્ણય લઈ શકતી નથી, તેના પર મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે બિલકિસ બાનુ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કરી હતી કઠોર ટિપ્પણી

અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે દોષિતોને સુધારવાની તક આપવી જોઈએ. આના પર કોર્ટે સવાલ કર્યો હતો કે મુક્તિમાં છૂટછાટનો લાભ માત્ર બિલકિસ બાનુના દોષિતોને જ કેમ આપવામાં આવ્યો? શા માટે અન્ય કેદીઓને આવી છૂટછાટ આપવામાં આવી ન હતી? સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે? તેના પર ગુનેગારોના વકીલે સ્વીકાર્યું કે ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર નથી. ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ બિલ્કીસ બાનુના ઘરમાં ઘૂસીને સાત લોકોની હત્યા કરી હતી. આ દરમિયાન બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર થયો હતો. Input Credit- Ronak Varma

ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગર, જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે
ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગર, જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે
યુવતી જોડે દાદાએ કર્યો છપ્પરફાડ ડાન્સ -Watch Video
યુવતી જોડે દાદાએ કર્યો છપ્પરફાડ ડાન્સ -Watch Video
લીંબડીના રળોલ ગામે મકાન અને પિકઅપ વાનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત
લીંબડીના રળોલ ગામે મકાન અને પિકઅપ વાનમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત
શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે શું લીલા કરી હતી, જાણો એક ક્લિકમાં
શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે શું લીલા કરી હતી, જાણો એક ક્લિકમાં
ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત , ભાગ્ય ચમકી ઉઠશે
આ 4 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત , ભાગ્ય ચમકી ઉઠશે
શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં આગ બાદ વેપારીઓને બેઠા કરવા મોટો નિર્ણય
શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં આગ બાદ વેપારીઓને બેઠા કરવા મોટો નિર્ણય
અમરેલી: ધોરણ 4ની 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવી શિક્ષકે આચર્યુ દુષ્કર્મ
અમરેલી: ધોરણ 4ની 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવી શિક્ષકે આચર્યુ દુષ્કર્મ
ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર
રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર
g clip-path="url(#clip0_868_265)">