ભારતનું એક એવું ગામ જ્યાં કરોડપતિ પણ રહે છે માટીના મકાનમાં, ઘરના દરવાજાને નથી લાગતા તાળા
ભારતમાં આજે પણ કેટલાક ગામો એવા છે જેમણે પોતાની આગવી ઓળખ બનાવી રાખી છે. ત્યારે આજે અમે તમને રાજસ્થાનના આવા જ એક ગામ વિશે જણાવીશું, જેને ભારત સરકાર દ્વારા 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ગામમાં તમામ મકાન માટીના બનેલા છે.

પહેલા એવું કહેવાતું હતું કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે, પરંતુ આજે શિક્ષણ, આરોગ્ય અને રોજગારની ઘટતી તકોને કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. યુવાનો તેમના ઘર અને ખેતરો છોડીને શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. પરંતુ આજે પણ ગામડું તમને આનંદની અનુભૂતિ કરાવે છે. ભારતમાં આજે પણ કેટલાક ગામો એવા છે જેમણે પોતાની આગવી ઓળખ બનાવી રાખી છે. ત્યારે આજે અમે તમને રાજસ્થાનના આવા જ એક ગામ વિશે જણાવીશું, જેને ભારત સરકાર દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ગામ બીજું કોઈ નહીં, પરંતુ રાજસ્થાનના બ્યાવરનું દેવમાલી ગામ છે. આ ગામ કળિયુગમાં સત્યયુગની અનુભૂતિ કરાવે છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
