Exit Poll એટલે શું ? જાણો પરિણામ પહેલા જ ભવિષ્યવાણી કરતા એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રોસેસ

Exit Polls History : એક્ઝિટ પોલ એટલે શું ? આ તમામ એક્ઝિટ પોલને કાયદાકીય માન્યતા મળી છે ? આ એક્ઝિટ પોલ કઈ રીતે થતા હશે ? તો ચાલો જાણીએ એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની રસપ્રદ વાતો.

Exit Poll એટલે શું ? જાણો પરિણામ પહેલા જ ભવિષ્યવાણી કરતા એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રોસેસ
Exit PollsImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 6:16 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ગુજરાતની 182 વિધાનસભા બેઠકના ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ ગયા છે. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની દરેક બેઠકના પરિણામ જાહેર થશે. પણ એ પહેલા જ ગઈકાલે 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ સાંજે 6.30 કલાક બાદ તમામ ન્યૂઝ ચેનલોમાં પરિણામ અંગેની ભવિષ્યવાણી જોવા મળી હતી. TV9 નેટવર્ક સહિત અનેક એજન્સીના સર્વે આખા ગુજરાતમાં ફરતા થયા છે. તમામ એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને બહુમતી મળતી દેખાય છે. બીજા સ્થાને કોંગ્રેસ અને ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટી રહે તેવા અનુમાન તમામ એજન્સીના સર્વે પરથી જાણવા મળી રહ્યા છે.

આ બધા વચ્ચે સામાન્ય જનતાના મનમાં એ સવાલ સંભાવિક છે કે મતગણતરી પહેલા જ આવા પરિણામનું અનુમાન કેવી રીતે લગાવી શકાય. એક્ઝિટ પોલ એટલે શું ? આ તમામ એક્ઝિટ પોલને કાયદાકીય માન્યતા મળી છે ? આ એક્ઝિટ પોલ કઈ રીતે થતા હશે ? તો ચાલો જાણીએ એક્ઝિટ પોલ અને એક્ઝિટ પોલની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની રસપ્રદ વાતો.

એક્ઝિટ પોલ એટલે શું ?

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

એક્ઝિટ પોલ ચૂંટણીમાં મતદાન સમયે કરવામાં આવતો એક સર્વે હોય છે. આ સર્વેમાં મતદાન કરીને આવનાર મતદાતા પાસેથી માહિતી મેળવીને નોંધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા વ્યાપક સ્તર પર થાય છે. તેના પરથી કઈ પાર્ટી જીતી શકે છે તે નક્કી કરવામાં આવે છે. જેને એક્ઝિટ પોલ કહેવામાં આવે છે. તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ અલગ સર્વે કરતી એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવે છે.

એક્ઝિટ પોલની શરુઆત કયા સમયથી થઈ ?

મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ઝિટ પોલની શરુઆત વર્ષ 1980માં ભારતીય મીડિયામાં થઈ હતી. દૂરદર્શનમાં વર્ષ 1996માં એક્ઝિટ પોલની શરુઆત થઈ હતી. ભારતમાં એક્ઝિટ પોલની શરુઆતને શ્રેય ઈન્ડિયન ઈંસ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનયનના ચીપ એરિક ડી કોસ્ટાને ભાગે જાય છે. કહેવાય છે કે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલની મદદથી જનતાનો મિજાજ જાણનારા તેઓ પહેલા પહેલા વ્યક્તિ હતા. એવું પણ માનવામાં આવે છે કે એક્ઝિટ પોલની શરુઆત દુનિયામાં વર્ષ 1940માં થઈ હતી. એક માન્યતા એવી પણ છે કે વર્ષ 1967માં એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનીતિજ્ઞ માર્સેલ વાન ડેન દ્વારા દેશમાં એક્ઝિટ પોલની શરુઆત થઈ.

કઈ રીતે થાય છે એક્ઝિટ પોલ ?

મતદાન સમયે સવારથી સાંજ સુધીમાં વોટિંગ પેટર્નમાં ફેરફાર થતા રહે છે. તેવામાં ખોટા પરિણામ ન મળે તે માટે એક જ સમય પર આ સર્વે કરવામાં આવે છે. સર્વે કરનાર વ્યક્તિ દરેક ચૂંટણીમાં મતદાન મથક પર જાય છે અને એ જ સમયે જાય છે જે સમયે તે પહેલાના મતદાન સમયે ગયો હતો. તેના પરથી મેળવવામાં આવેલા આંકડાની સરખામણી કરીને એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવે છે. વોટના પ્રમાણમાં જે ફેરફાર થયો હોય તેની ગણતરી કરીને પણ એક્ઝિટ પોલ નક્કી કરવામાં આવે છે.

એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલમાં શું અંતર છે ?

એક્ઝિટ પોલમાં મતદાતાને મતદાન બાદ સવાલ પૂછવામાં આવે છે. જ્યારે ઓપિનિયન પોલમાં મતદાન 1-2 અઠવાડિયા પહેલા જ સર્વે કરીને મતદાતાઓનો મિજાજ જાવવામાં આવે છે. જોકે ઘણા સમયથી આ ઓપિનિયન પોલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મતદાન બાદ જ બતાવવામાં આવે છે એક્ઝિટ પોલ ?

ભારતીય કાયદાની 1951ની ધારા 126 એ અનુસાર મતદાન અનુસાર એવી કોઈ વસ્તુ ના બતાવી શકાય તે મતદાતાઓના મન પર અસર કરે અને તેમના નિર્ણયને પ્રભાવિત કરે. આ વર્ષે પણ મતદાન પૂર્ણ થયા બાદ સાંજે 6.30 કલાક બાદ એક્ઝિટ પોલના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા.

એક્ઝિટ પોલ હંમેશા સાચા જ હોય છે ?

એક્ઝિટ પોલ હંમેશા સાચા હોતા નથી. ભૂતકાળમાં અનેક એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા છે. ભારતના ઈતિહાસમાં એક્ટિઝ પોલ સચોટ રીતે સાચા પડ્યા નથી. અંતિમ પરિણામ એક્ઝિટ પોલથી વિપરિત હોય છે. અનેક રાજકીય પાર્ટીઓ આ એક્ટિઝ પોલનો વિરોધ પણ કરતા હોય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">