AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Shram Cardનો 28 કરોડથી વધુ લોકો લઈ રહ્યા છે લાભ, આ રીતે કરો નોંધણી, મફતમાં મળશે લાખોનો વીમો

ડિસેમ્બર 2022 સુધીમાં ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર કુલ 28 કરોડથી વધુ કામદારોએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર નોંધણી કરાવવાથી શ્રમિકોને સરકારની યોજનાઓનો લાભ મળે છે.

E-Shram Cardનો 28 કરોડથી વધુ લોકો લઈ રહ્યા છે લાભ, આ રીતે કરો નોંધણી, મફતમાં મળશે લાખોનો વીમો
E Shram CardImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 7:41 PM
Share

કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને મજૂર વર્ગ માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેના દ્વારા ગરીબ લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે. આ ક્રમમાં કેન્દ્ર સરકારે ગરીબ લોકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ઈ-શ્રમ કાર્ડની શરૂઆત કરી. સરકારની આ યોજના હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જણાવી દઈએ કે ડિસેમ્બર 2022 સુધીમાં ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર કુલ 28 કરોડથી વધુ કામદારોએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર નોંધણી કરાવવાથી શ્રમિકોને સરકારની યોજનાઓનો લાભ મળે છે.

સરકાર ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપી રહી છે. ઇ-શ્રમ પોર્ટલ સાથે જોડાનાર કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા (PMSBY) યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો પણ મળે છે. આ યોજનામાં, લાભાર્થીઓને વીમા પ્રિમીયમ ભરવાની જરૂર નથી. જો કોઈ કામદાર અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા કામદાર સંપૂર્ણ રીતે અક્ષમ થઈ જાય છે, તો તેને બે લાખ રૂપિયાની વીમા રકમ મળે છે, જ્યારે તે આંશિક રીતે અક્ષમ હોય તો તેને એક લાખ રૂપિયાનો વીમો મળે છે.

ઈ-શ્રમ નોંધણી માટે આધાર કાર્ડ જરૂરી છે

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવા માટે શ્રમિક આધાર કાર્ડ હોવું ફરજિયાત છે, તેની સાથે આધાર કાર્ડ સાથે જોડાયેલ સક્રિય મોબાઇલ નંબર પણ હોવો જોઈએ. આ સાથે શ્રમિકનું બેંક ખાતું હોવું જરૂરી છે. બીજી તરફ, જે લોકોનું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક નથી તેઓ નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે અને બાયોમેટ્રિક માધ્યમથી ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે.

ઈ-શ્રમ યોજના સાથે 38 કરોડ લોકોને જોડવાનો લક્ષ્યાંક

માહિતી અનુસાર, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ઈ-શ્રમ કાર્ડ દ્વારા 38 કરોડ કામદારોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. સામાજિક સુરક્ષા યોજનાઓને ઈ-શ્રમ કાર્ડ દ્વારા એકીકૃત કરવાની રહેશે. જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ સરકારની પેન્શનનો લાભ લઈ રહ્યો છે, તો તે ઈ-શ્રમ કાર્ડ યોજનામાં જોડાઈ શકશે નહીં. ત્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થીને પણ આ યોજનાનો લાભ નહીં મળે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને 16 થી 59 વર્ષની વયજૂથના લોકો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં દુકાનદાર, સેલ્સમેન, હેલ્પર્સ, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર બનાવનારા, પશુપાલકો, ડેરીના પશુપાલકો, પેપર હોકર્સ, ઝોમેટો અને સ્વિગી, એમેઝોન ફ્લિપકાર્ટ ડિલિવરી બોય, ઈંટના ભઠ્ઠાના કામદારોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી

  • સૌથી પહેલા તમારે ઈ-શ્રમની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • પછી રજીસ્ટ્રેશન માટેની લિંક પેજની જમણી બાજુએ હાજર હશે.
  • ત્યાર બાદ ‘ઈ-શ્રમ પર નોંધણી’ પર ક્લિક કરો.
  • આ પછી તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા ભર્યા બાદ ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
  • આ પછી OTP દાખલ કરો અને પછી ઈ-શ્રમ માટે નોંધણી ફોર્મ ખુલશે.
  • તે પછી તમે તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક વિગતો દાખલ કરો.
  • પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
  • હવે તમને 10 અંકનું ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">