ગુજરાતના એક ડાકુના કારણે દેશની પહેલી ચૂંટણી થઈ હતી લેટ, જાણો કોણ છે તે ખૂંખાર બહારવટિયો
1977માં ઈમરજન્સી પછી યોજાયેલી ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મોરારજી દેસાઈની સરકારમાં ગૃહમંત્રી બનેલા ચૌધરી ચરણ સિંહ તેમનાથી નારાજ હતા. ઈમરજન્સી દરમિયાન થયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની તપાસ માટે શાહ કમિશનની રચના કરવામાં આવી હતી. ઈન્દિરા ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી. તે જ સમય 1946થી 1959 સુધી નેહરુના ખાનગી સચિવ M.O મથાઈનું એક પુસ્તક બહાર આવ્યું નેહરુ યુગની યાદ (Reminiscences of the Nehru Age). આ પુસ્તકમાં મથાઈએ નેહરુ સાથેના તેમના અનુભવો શેર કર્યા છે. આ પુસ્તક તેના કોન્ટેન્ટના કારણે વિવાદમાં આવ્યું હતું, જે પુસ્તકનો ભાગ નહોતો અથવા આપણે કહી શકીએ કે તે પુસ્તકમાં છપાતુ છપાતુ રહી ગયું હતું.

આ પુસ્તકનું 29મું ચેપ્ટર ગાયબ હતું. તેના બદલે, પ્રકાશક દ્વારા એક નોંધ લખવામાં આવી હતી કે લેખકે પુસ્તક પ્રકાશિત થાય તે પહેલાં જ મૂળ નકલમાંથી આ પ્રકરણ કાઢી નાખ્યું હતું. મથાઈ અને ઈન્દિરા વિશે ઈન્ટરનેટ પર ઘણી બધી વાતો વાયરલ થઈ હતી. ઘણી જગ્યાએ, મથાઈના ખોવાયેલા પ્રકરણને કથિત રીતે પાછું મેળવવાના દાવા કરવામાં આવ્યા હતા. . હાલમાં જ બહાર પડેલા તેમના પુસ્તક “ઈન્દિરાઃ ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર”માં ઈન્ટરનેટ પર આ પ્રકારના દાવાઓનો ઉલ્લેખ કર્યો છે. મથાઈ એક જગ્યાએ લખે છે કે ઈન્દિરા અને તેમણે એકબીજાને ડાકુનું નામ આપ્યું હતું. ઈન્દિરા તેમને ખાનગીમાં ‘ભૂપત’ કહીને બોલાવતા. ભૂપત એટલે ભૂપતસિંહ ડાકું. કાઠિયાવાડ, ગુજરાતનો કુખ્યાત ડાકુ જે તેની રોબિનહૂડ ઈમેજને કારણે લોકવાયકાનો એક ભાગ બન્યો. ઘણી બાબતોમાં આ વિદ્રોહીની કહાની પાન સિંહ તોમર જેવી જ છે. ...