Surat : નેચરલ ડાયમંડની સરખામણીએ બમણી ગતિથી વધી રહી છે સિન્થેટિક હીરાની ગ્રોથ, એક વર્ષમાં 10 હજાર કારીગરો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા

હાલમાં સુરતમાં 1000 થી વધુ સિન્થેટિક ડાયમંડ ફેક્ટરીઓ છે. આમાં 1,00,000 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે.

Surat : નેચરલ ડાયમંડની સરખામણીએ બમણી ગતિથી વધી રહી છે સિન્થેટિક હીરાની ગ્રોથ, એક વર્ષમાં 10 હજાર કારીગરો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા
Growth of synthetic diamonds doubles as compared to natural diamond (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 4:47 PM

નેચરલ ડાયમંડ(Diamond ), કટ અને પોલિશ્ડ હીરાનો ગઢ છે અને હવે સિન્થેટિક (Lab-Grown ) હીરાની ચમક પણ વધારી રહ્યું છે. કોરોનાની(Corona ) બીજી લહેર બાદ કુદરતી હીરા કરતાં સિન્થેટિક હીરાની માગમાં વધારો થયો છે. એટલું જ નહીં તેની વૃદ્ધિમાં પણ 20 થી 90 ટકાનો વધારો થયો છે. આ જોતાં એક વર્ષમાં નેચરલ ડાયમંડ ફેક્ટરીઓમાં કામ કરતા 10 હજારથી વધુ કામદારો સિન્થેટિક ડાયમંડ ફેક્ટરીઓમાં કામે લાગ્યા છે. બંનેનો પગાર લગભગ સરખો છે. કૃત્રિમ હીરાની ઓછી કિંમતને કારણે કામદાર છુટા થઈ જાય તો તેમને ચૂકવણી કરવામાં આવતી નથી, જ્યારે કુદરતી હીરાના કારખાનાઓમાં નુકસાન થાય તો તેમના વેતનમાંથી કાપવામાં આવે છે.

સિન્થેટીક ડાયમંડની માગને જોતા ઉદ્યોગ સાહસિકોનો ટ્રેન્ડ પણ આ તરફ વધી રહ્યો છે. આ દિવસોમાં હીરાના કારખાનાઓમાં 25 ટકા હીરા કામદારોની અછત છે. તેનું કારણ પણ ક્યાંકને ક્યાંક સિન્થેટિક ડાયમંડ જણાવવામાં આવી રહ્યું છે.

સુરતમાં 1000 થી વધુ સિન્થેટીક હીરાના કારખાનામાં એક લાખ કામદારો કામ કરે છે, જે હોંગકોંગ, જાપાન, અમેરિકા, યુરોપમાં નિકાસ થાય છે. સરકાર તરફથી માન્યતા મળ્યા બાદ સિન્થેટીક હીરાનો ધંધો ઝડપથી વધ્યો છે. જ્યારે વેપારી સંગઠનોએ અનેક વિનંતીઓ કરી ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

GST વિભાગ દ્વારા નેચરલ અને સિન્થેટિક હીરાને અલગ-અલગ કોડ આપવામાં આવ્યા છે. હાલમાં સુરતમાં 1000 થી વધુ સિન્થેટિક ડાયમંડ ફેક્ટરીઓ છે. આમાં 1,00,000 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે. એ દિવસોમાં પણ જ્યારે નેચરલ ડાયમંડનો બિઝનેસ નબળો હતો ત્યારે સિન્થેટિક ડાયમંડનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો હતો. સિન્થેટિક ડાયમંડના વેપારીએ જણાવ્યું કે તેના કામમાં જોખમ ઓછું છે અને બિઝનેસ પણ સરળ છે.

લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે અહીં કામદારોના પગારમાં કોઈ ઘટાડો કરવામાં આવતો નથી. ઘણી વખત દેશમાંથી આવતા ખરબચડા હીરાની યોગ્ય સાઈઝ ન હોવાને કારણે તેની પ્રક્રિયા કરવી વધુ મુશ્કેલ બની જાય છે. આમાં, નુકસાનના કિસ્સામાં વર્કરની જવાબદારી નક્કી કરવામાં આવે છે.

બીજી તરફ સિન્થેટિક ડાયમંડની કિંમત ઓછી હોવાથી કામદારને નુકસાન થવાની શક્યતા ઓછી છે. તેની સાઈઝને કારણે પ્રક્રિયા સરળ બને છે, જો નેચરલ ડાયમંડની ડિમાન્ડ ઓછી હોય તો કામદારોની નોકરી જતી રહેવાનું જોખમ રહે છે, જ્યારે સિન્થેટિક ડાયમંડમાં આવી સ્થિતિ અત્યાર સુધી આવી નથી.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ

આ પણ વાંચોઃ ગુનાખોરીનું એપીસેન્ટર: સુરત પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં ફેબ્રુઆરીના 17 દિવસમાં 11 હત્યા થઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">