Surat : ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિની જૈન બંધુઓએ હર્ષભેર ઉજવણી કરી

તારીખ 14 એપ્રિલ, ગુરુવારના રોજ તીર્થંકર મહાવીર સ્વામીનો (Lord Mahavira Swami) જન્મદીન આવે છે. જેની ભવ્ય ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવી રહી છે.

Surat : ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતિની જૈન બંધુઓએ હર્ષભેર ઉજવણી કરી
Surat: Celebration of the birth anniversary of Lord Mahavir Swami
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 14, 2022 | 1:25 PM

SURAT શહેરની જાણીતી સેવા સંસ્થા પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના (Lord Mahavira Swami) જન્મકલ્યાણ નિમિત્તે આજે લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મહાવીર સ્વામીના જન્મકલ્યાણ (Birth anniversary of Mahavir Swami)સહિત પૂ. પદ્મદર્શનજી મ.સા.નો તથા સંસ્થાના કર્મઠ સેવાભાવી વજુભાઈ પારેખનો પણ તા.14 ના રોજ જન્મદિવસ હોવાથી લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સાથે ત્રિકમનગર અને ખાડી મહોલ્લા સહિતના વિસ્તારોમાં બાળકોને બુંદી ગાંઠીયાનો નાસ્તો કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા કોરોનાકાળ દરમિયાન બે વર્ષ સુધી અવિતરત સુરત શહેર અને ગુજરાત સહિત પાડોશી રાજયોમાં સેવાકાર્યો કરાયા હતા.

આ સમારોહ બાબતે યુવક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિરવ શાહએ જણાવ્યું હતું કે, છેલ્લા પંદર જેટલા વર્ષોથી આ દિવસની ઉજવણીમાં સમગ્ર સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું વિતરણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવે છે. જેમાં હજારો યુવક, યુવતીઓ પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લે છે, મંડપો બાંધવામાં આવે છે, ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સ્તવનોથી વાતાવરણ સુમધુર થઈ જતું હોય છે. ધ્વજા પતાકા લહેરાતી હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવનારા જનારા દરેક રાહદારી, બસ ચાલક, રીક્ષા ચાલક, દ્વિ ચક્રીય તથા ચાર ચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને 1 લાખથી વધુ લાડુના વિતરણ દ્વારા “મ્હો મીઠું” કરાવવામાં આવ્યું હતુ.

આ વર્ષે તારીખ 14 એપ્રિલ, ગુરુવારના રોજ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મદીન આવે છે. જેની ભવ્ય ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, સુરત દ્વારા કરવામાં આવી રહી છે. આ સિવાય પણ ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા વર્ષ દરમ્યાન કરવામાં આવે છે. સત્ય, કરુણા, અહિંસા, જીવદયા, ક્ષમા અને અપરિગ્રહ જેવા તત્વો પર આધારિત જૈન ધર્મના આ ચોવીસીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના જન્મદીનની ઉજવણીમાં શહેરના રાજકીય આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ -સામાજીક સંસ્થાના અગ્રણીઓ સહિત જૈન ભાઈઓ અને બહેનો પણ હર્ષોલ્લાસભેર ભાગ લે છે તથા વિવિધ વ્યાપરી સંગઠનો દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પણ આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ પણ વાંચો :યુવતીએ મેટ્રો સ્ટેશનની છત પરથી લગાવ્યો કૂદકો, CISF-પોલીસે આ રીતે બચાવ્યો જીવ, જુઓ વીડિયો

આ પણ વાંચો :જામનગરમાં ATM મશીનમાંથી નાણા કાઢી લેવાનો નવતર કિમીયો : બે પરપ્રાંતીય શખ્સો પકડાયા

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">