16 જાન્યુઆરીના મહત્વના સમાચાર : રાજકોટથી જામનગર સુધી સ્ટંટ અને રેસિંગ કરનાર 24 રફતાર માફિયા ગણશે પોલીસ કસ્ટડીના સળિયા
આજે 16 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
Rajkot News : રાજકોટથી જામનગર સુધી સ્ટંટ અને રેસિંગ કરનાર 24 રફતાર માફિયા ગણશે પોલીસ કસ્ટડીના સળિયા
રાજકોટથી જામનગર સુધી બાઈક અને કારની રેસ કરનારા 24 વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. સ્ટંટ અને રેસિંગ કરનારા 24 વ્યક્તિઓને ગણવા પડશે પોલીસ કસ્ટડીના સળિયા. રાજકોટ ગ્રામ્ય પોલીસે રફતાર માફિયાઓને ઝડપી પાડ્યા છે. બુધવારના રોજ રાજકોટથી જામનગર સુધી યોજવામાં આવી હતી રેસ અને સ્ટંટ. રેસિંગમાં ભાગ લેનારા 10 બાઈક અને 2 ફોર વ્હીલર કબજે કરાઇ છે. બાતમીના આધારે પડધરી, મેટોડા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોચમા હતી. ભારત હોટલ પાસેથી રેસિંગ અને સ્ટંટ કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પડધરી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
-
SURAT NEWS : સુરતમાં પુત્રવધુ દ્વારા માર મરાયેલ વૃદ્ધ સાસુને અનાથાશ્રમમાં મોકલાયા
સુરતમાં 80 વર્ષના વૃદ્ધાને વહુ દ્વારા માર મારવાના કેસમાં વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ માં મોકલી અપાયા છે. સ્થાનિકોએ, વૃદ્ધાને તેમની જ દિકરાની વહુ દ્વારા માર મારતા હોવાનો વીડિયો બનાવી સામાજિક સંસ્થાને મોકલ્યો હતો. સંસ્થાની મહિલાઓ દ્વારા પોલીસ મથકે જાણ કરાઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધ માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની માંગ કરવામાં આવી હતી. હાલ વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા છે. જો કે આ ઘટના મીડિયામાં રજૂ થતા, વદ્ધાના વહુ પશ્ચાતાપ થયો હોવાનું રટણ કરી રહી છે.
-
-
Chhattisgarh Naxal Encounter: બીજાપુરમાં એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા
છત્તીસગઢના બીજાપુરના જંગલોમાં આજે ગુરુવાર સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં, જવાનોએ સાંજ સુધીમાં 12 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ IED બ્લાસ્ટમાં 8 જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.
-
Mehsana News : મહેસાણા-અમદાવાદ હાઇવે પર જગુદણ નજીક કાર અકસ્માત, 2ના મોત
મહેસાણા-અમદાવાદ હાઇવે પર કાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જગુદણ નજીક કારને અકસ્માત નડ્યો હતો. ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાઈ ખાડામાં ખાબકી હતી. કાર અકસ્માતના કારણે 2ના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ઈજા પહોચી છે.
-
Ahmedabad News: સાઉથ બોપલમાં જ્વેલર્સમાં લૂટ કરનારા આરોપીઓ ઉત્તરપ્રદેશથી ઝડપાયા
અમદાવાદના સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે લૂંટને અંજામ આપનાર ચાર આરોપીઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. જોકે ઘટનાના 13 દિવસ સુધી એટલે કે લૂંટને અંજામ આપ્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોચવા, ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યા હતા.
-
-
Banaskantha News : અમીરગઢ નજીકથી 1.15 કરોડનો દારુ-મુદ્દામાલ ઝડપાયો
બનાસકાંઠા જિલ્લા એલસીબીએ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બનાસકાંઠા એલસીબીએ અમીરગઢ નજીકથી વિદેશી દારૂ સાથે કુલ એક કરોડ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો છે. સિમેન્ટના મીક્ષર મશિનના ટ્રકમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ પોલીસે આખરે નાકામ કરી દીધો છે.
-
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ- કેન્દ્રિય મંત્રી જે પી નડ્ડા આવશે ગુજરાત
ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ વચ્ચે કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવશે. આગામી 19 જાન્યુઆરીના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ સ્થિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી, નડ્ડા અમદાવાદની ખાનગી હોટેલમાં ડોકટરો સાથે સંવાદ કરશે.
-
-
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 2026માં મળશે 8મા પગારપંચનો લાભ, 186 ટકા પગાર વધશે
પીએમ મોદીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. સરકારે કહ્યું છે કે તેને વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
-
Godhra Sabarmati Express S 6 Fire Incident: આગામી 13 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે, આગામી 13 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર અને 2002ના ગોધરા ટ્રેન આગ કેસમાં અન્ય કેટલાક દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરશે. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશને સિગ્નલ ફળિયા ખાતે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા અને આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ભડકી ઉઠ્યા હતા.
-
Mahisagar News : મહિસાગરમાં સરકારી છબરડો, પહેલા મકાન બાંધવા ગરીબોને આર્થિક સહાય આપી, પછી કહ્યું આ જમીન તમારી નહીં સરકારી જમીન છે
મહિસાગર જિલ્લામાં સરકારી છબરડો સામે આવ્યો છે. જિલ્લાના વહિવટીતંત્રે ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સરકારી સહાય હેઠળ ઘરનું ઘર બાંધવા માટે આર્થિક સહાય કરી હતી. સરકારની સહાય વડે ગરીબોએ તેમના ઘર બાંધ્યા. પરંતુ વર્ષો પછી સરકારી તંત્રને ખબર પડી કે, સરકારની આર્થિક સહાયથી જે મકાનો બંધાયા છે તે જમીન લાભાર્થીઓની નહીં પરંતુ સરકારની છે.
સરકારી છબરડા બાદ, પ્રાંત અધિકારી સહીત લુણાવાડા નગરપાલિકાની ટિમ દ્વારા ઝુંપડા તોડી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવાસ મંજુર કરેલ જગ્યા ઉપર ઊભા કરાયેલા મકાનોને સરકારી જમીન પરના દબાણ ગણીને તેને દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્રે તોડફોડની કામગીરી હાથ ધરી છે. જો લાભાર્થીઓએ બાંધેલ ઘર સરકારી જમીન પર હતા તો સરકારની યોજના મુજબ તબક્કાવાર દસ્તાવેજોની ચકાસણી કરીને આર્થિક સહાયના હપ્તા મંજૂર કરનારા અધિકારીઓ સામે કેવા પગલાં ભરાશે તેવી ચર્ચા સમગ્ર મહિસાગર નગરપાલિકામાં ચર્ચાઈ રહી છે.
-
Gandhinagar News : ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે ,GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની 8 હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
-
સૈફ અલી ખાનના કરોડરજ્જુમાંથી અઢી ઈંચનો ચપ્પુનો ટુકડો નીકળ્યો
અભિનેતા સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા બાદ તેની સર્જરી કરવામાં આવી. કરોડરજ્જુમાંથી અઢી ઈંચનો ચપ્પુનો ટુકડો કાઢવામાં આવ્યો. સૈફ અલી ખાનની સર્જરી પૂર્ણ થઇ. સૈફ અલી ખાનની કોસ્મેટિક સર્જરી પણ કરવામાં આવી. સૈફ અલી ખાન ICU વોર્ડમાં સારવાર હેઠળ છે. નિષ્ણાંત ડૉક્ટરોની સતત દેખરેખમાં સૈફની સારવાર હેઠળ છે.
-
ગુજરાતના DGPનો મોટો નિર્ણય, 4 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ
ગુજરાતના પોલીસ બેડાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડીજીપીએ મોટો નિર્ણય લીધો છે. 4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા. 9 પોલીસકર્મીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. શિસ્તમાં નહીં રહેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલાં લેવાયા છે. 13 જેટલા પોલીસકર્મી સામે આવેલા રિપોર્ટ બાદ કાર્યવાહી કરાઇ.
-
જૂનાગઢઃ સાબાલપુર ચોકડી નજીક તસ્કરોનો તરખાટ
જૂનાગઢઃ સાબાલપુર ચોકડી નજીક તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ડિજિટલ ફર્નિચરમાં રોકડ 40 હજારની ચોરી કરી. અન્ય એંજલ એગ્રો સિડ્સમાં પણ તસ્કરો ત્રાટક્યા. 5 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
-
સુરત: લાલગેટ પાલીયા ઝૂંપડપટ્ટીમાંથી ઝડપાયો બાંગ્લાદેશી શખ્સ
સુરત: લાલગેટ પાલીયા ઝૂંપડપટ્ટીમાંથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાયો છે. બોગસ દસ્તાવેજના આધારે દોઢ વર્ષથી સુરતમાં રહેતો હતો. આરોપી પાસેથી બનાવટી ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયા. ગેરકાયદે ભારતમાં રહેતા શખ્સ યુસુફ સરદાર સામે પોલીસે કાર્યવાહી કરી.
-
જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં
જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. દર્દીને લઈ જતી વખતે લિફ્ટ બંધ થઈ ગઈ. દર્દી સાથે લિફ્ટમાં ફસાયેલા લોકો મદદ માટે બોલાવતા રહ્યા. કોઈ લિફ્ટમેન કે કર્મચારી મદદ માટે ન આવ્યું. દર્દીના સગાએ ફસાયેલી સ્થિતિમાં વીડિયો બનાવ્યો.
-
જામનગર: વહેલી સવારે અકસ્માતમાં 3 મોત
જામનગર: વહેલી સવારે અકસ્માતમાં 3 મોત થયા છે. ધ્રોલના લતીપર અને ગોકુળપુર પાસે કારે પલટી મારી હતી. અકસ્માતમાં અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે.
-
સૈફ અલી ખાન પર હુમલો: સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ
રાત્રે 2 વાગ્યે ઘરમાં ઘૂસેલા ચોરે સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. તેમના શરીર પર 2-3 ઘા માર્યા. સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસે કહ્યું કે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો. આ પછી, સૈફ અને ઘુસણખોર વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન તેણે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો. આ મામલાની તપાસ હજુ ચાલુ છે. સૈફને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ માહિતી આપી છે કે સૈફ અલી ખાનની હાલત સ્થિર છે. સૈફ પર હુમલો રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. તેના શરીર પર કુલ છ ઘા હતા અને તેમાંથી બે ઊંડા હતા.
-
ભાવનગર શહેરમાં જાહેરમાં ખેલાયો ખુની ખેલ
ભાવનગર શહેરમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે. પથિકાશ્રમ પાસે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરી. યુવકની હત્યાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. અગમ્ય કારણોસર યુવકની કરૂણ હત્યા થઇ. 3 શખ્સોએ હત્યા કરી.
-
બનાસકાંઠાઃ હિડ એન્ડ રનમાં બાઇકચાલકનું મોત
બનાસકાંઠાઃ હિડ એન્ડ રનમાં બાઇકચાલકનું મોત થયુ. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટીયા નજીક હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે. બાઇકચાલકને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગરની મુલાકાતે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે. અમિત શાહ ‘અનંત અનાદિ વડનગર’ કાર્યક્રમમાં હાજરી આપશે. આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ કરશે. PM મોદી જ્યાં ભણ્યા તે પ્રેરણા સંકુલ પરિસરનું પણ લોકાર્પણ કરશે. શ્રીહાટકેશ્વર મંદિર, વડનગરની વિરાસતની મુલાકાત લેશે.
રશિયાનો યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો. બ્લેક સીમાંથી રશિયાએ યુક્રેન પર વરસાવી 100થી વધુ ક્રૂઝ મિસાઈલ. હુમલા બાદ કીવમાં ઈમરજન્સી જાહેર. દક્ષિણ કોરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિની ધરપકડ. પોલીસ સીડી લગાવી ઘરમાં ઘૂસી. ગયા મહિને લગાવી હતી ઇમર્જન્સી. સંસદે પલટ્યો હતો નિર્ણય. ઈલોન મસ્ક પર છેતરપિંડીનો આરોપ.. ટ્વિટર પર પોતાનો હિસ્સો છુપાવી શેરધારકો સાથે 150 મિલિયન ડોલરની આચરી ઠગાઇ. અમેરિકી સુરક્ષા એજન્સીએ નોંધ્યો ગુનો. આખરે ઝૂક્યા મેટાના માલિક માર્ક ઝકરબર્ગ. ભારત સરકારની માંગી માફી.. સંસદીય સમિતિના નિશિકાંત દુબેએ કહ્યું, આ ભારતની જનતાની જીત. PM મોદીએ દેશને સમર્પિત કર્યા INS સુરત. કહ્યું, આજનો દિવસ નૌકાદળના ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત માટે મહત્વનો. જમ્મુ-કાશ્મીરમાં ભેદી બીમારીનો કહેર. રાજૌરીમાં 14 લોકોના મોત. મૃતકોમાં 11 બાળકો પણ સામેલ. AIIMSની ટીમ દ્વારા તપાસ..
Published On - Jan 16,2025 7:34 AM





