AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાથી શહેરીજનોને ગરમીથી રાહત, ખેડૂતોને આફત

રાજકોટ શહેરના કેટલાક વિસ્તારો અને જિલ્લાના ગામોમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદથી શહેરી વિસ્તારમાં લોકોને જરૂરથી ગરમીથી રાહત મળી છે

Rajkot  શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાથી શહેરીજનોને ગરમીથી રાહત, ખેડૂતોને આફત
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 28, 2023 | 9:59 PM
Share

રાજ્યમાં વખતે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં  રાજ્યમાં  અવાર નવાર માવઠું પડયું છે અને ફરી એક વાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી સાચી પડતા રાજકોટ,કચ્છ,અમરેલી, મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.

રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું

રાજકોટ શહેરના કેટલાક વિસ્તારો અને જિલ્લાના ગામોમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો છે.કમોસમી વરસાદથી શહેરી વિસ્તારમાં લોકોને જરૂરથી ગરમીથી રાહત મળી છે.   પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત રૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Gujarati Video: વડોદારમાં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ માત્ર કાગળ પર ! VMCને આવી રીતે સ્વચ્છતામાં રેન્કિંગ મળશે?

કેરી,તલ અને મગના પાકને થઈ શકે છે નુકસાન

કમોસમી વરસાદના કારણે શહેરીજનો ક્યાંક કાળઝાળ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે તો બીજી તરફ આ જ વરસાદ ખેડૂતો માટે ચિંતન વાદળો લઈને આવ્યો છે.કારણ કે જો વધુ વરસાદ પડે તો તેમની મહેનત પર પાણી ફરી વળે તેમ છે. કમોસમી વરસાદની સૌથી વધુ અસર કેરીના પાક ઉપર પડી છે.

જો જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વધુ વરસાદથી કેરીના પાકને નુકસાન થયું છે તલ અને મગ જેવા પાકને પણ નુકસાન થવાની શકયતા રહેલી છે. જેથી લોકો અને ખાસ કરીને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે કમોસમી વરસાદનો સિલસિલો બંધ થાય.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીને કોઈ નુકસાન નહિ

આ વર્ષે 4-4 વાર માવઠું પડ્યું છે.આ પહેલા પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાક અને માર્કેટિંગ યાર્ડમાં પડેલા પાકને અનેક વખત નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.ત્યારે તેમાંથી સીખ લઈને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ ઘઉં અને ચણાની આવક બંધ કરી હતી અને અન્ય પાકોની ટોકન દ્વારા જ આવક ચાલુ રાખી હતી.જેથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં કોઈ જણસી પડી નહોતી. જેથી જણસીમાં કોઈ નુકસાન પહોચ્યું નથી.

જિલ્લા ખેતીવાડી વિભાગની ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના

એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુતોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લઇ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. છે કે   29 એપ્રિલ સુધી રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ ખુલ્લા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લોવો.

પાકને પ્લાસ્ટિક-તાડપત્રીથી પાકને યોગ્ય રીતે ઢાંકી દેવો  અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું,  જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો અને ખાતર-બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">