Gandhinagar Video : રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક

રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. જેમાં પીડિત પરિવારોએ અનેક માગ કરી છે. જેમાં આરોપીઓને સસ્પેન્ડ નહીં જેલ ભેગા કરવા માટેની માગ કરી છે.

Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 10, 2024 | 4:27 PM

આજે રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. પીડિત પરિવારના સભ્યોએ આશરે દોઢ કલાક સુધી મુખ્યપ્રધાન સાથે બેઠક કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવારોની વેદના સાંભળીને આશ્વાસન આપ્યું છે. આ સાથે જ મુખ્ય પ્રધાને જણાવ્યુ છે કે કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે.

પીડિત પરિવારોએ 12 મુદ્દાની રજૂઆત કરી

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યએ પોતાની વેદના જણાવતા કહ્યું કે દુર્ઘટના બની ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સરકાર તમારી જોડે છે. પરંતુ લેખિતમાં બાંહેધરી માગી ત્યારે સરકારે બાંહેધરી આપી નથી. પીડિત પરિવારોએ કૂલ 12 મુદ્દાઓની બાંહેધરી રજૂ કરી હતી.

ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

Trp ગેમ અગ્નિકાંડ મામલે એક કમિટી બનાવવામાં આવે જેમાં સુપ્રીમ કોર્ટ ના બે નિવૃત જજ, ગુજરાત હાઇકોર્ટે ના નિવૃત બે જજ સહિત એક મહિલા સિવિલ કોર્ટની નિવૃત જજ ઉપરાંત સુજાતા મજુમદાર, અને નિપિત રાય ને કમિટીમાં સમાવેશ કરવામાં આવે. આ કમિટી 6 માસમાં તપાસનો રિપોર્ટ આપે તેવી પણ માગ કરવામાં આવી છે.

50 લાખથી વધુ સહાયની માગ

ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્ય ની સંડોવણી નીકળી તો પગલાં ભરીને ફરિયાદ કરવામાં આવે તેમજ acb અને cbi તપાસ કરે તેવી માગ કરવામાં આવી છે.TRP ગેમીંગ ઝોન રેસિડેન્સીયલ વિસ્તારમાં બનાવવામાં આવેલુ હતુ. જે કોઈ પણ અધિકારીએ અહીં ગેમઝોન બનાવવાની પરવાનગી આપી હોય તેમની સામે પણ કાયદેસરના પગલા લેવાની માગ કરવામાં આવી છે. જુના અને નવા કાયદાકીય પ્રમાણે મૃત્યુ દંડ અપરાધીને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મૃત્યુ પામનાર પરિવારને 50 લાખથી વધુ સહાયની માગ કરવામાં આવી છે. એટલુ જ નહીં જો 6 મહિનામાં માગ સ્વીકારવામાં નહીં આવે તો રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અધિકારીને સસ્પેન્ડ કરવાથી કોઈ ફાયદો નથી. અધિકારીઓ 6 માસ પછી નોકરી પર પરત આવશે.જેથી ગુનેગારોને કડક સજા થાય તેવી માગ કરી છે. આ સાથે પીડિત પરિવારના સભ્યએ જણાવ્યુ કે મુખ્યમંત્રીના દીકરાની તબિયત લથડી હતી. જેના કારણે તેઓ આકુળ- વ્યાકુળ બન્યા હતા. જેથી પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે.

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
g clip-path="url(#clip0_868_265)">