AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા.

આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. આ ઘટનાના ધ્યાને રાખતા સરકારે પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને (SIT) 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. જ્યારે તલસ્પર્શી તપાસ બાદ વિગતવાર અહેવાલ 10 દિવસમાં આપવા આદેશ કર્યો છે.

રાજકોટ પહેલા પણ ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે. જેમ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટતા 141 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરત તક્ષશિલા આગ ઘટનામાં કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.

Read More

Breaking News: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા મળી રાહત, મળ્યા જામીન

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે.સુપ્રીમ કોર્ટે આ કેસના આરોપી મનસુખ સાગઠિયાને જામીન આપ્યા છે. આ સાથે આ કેસમાં જામીન મેળવનારા આરોપીઓની સંખ્યા 6 થઈ ગઈ છે. આ નિર્ણય પછી કેસમાં નવી દિશા મળે તેવી શક્યતા છે.

Rajkot : દાઝ્યા પર ડામ ! TRP અગ્નિકાંડના 3 આરોપીને જામીન આપતા પીડિતોમાં આક્રોશ, જુઓ Video

રાજકોટમાં બનેલા TRP અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હજી પીડિતોના આંખના આસું સુકાયા નથી ત્યાં તો નિર્દોશ લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર આરોપીઓને જામીન મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટના ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવા આદેશ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ, સમગ્ર ગુજરાતમાં મેળાપીપણું ધરાવનારા અધિકારીઓ સામે રોષ વ્યાપી ગયો હતો. રાજકોટમાં નીતિ નિયમોનો ઉલારીયો કરીને પૈસાના વજને ગેરકાયદે કામને કાયદાનો પાયજામો પહેરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ટીપીઓ મનસુખ સાગઠીયાનું નામ મોખરે હતું.

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના પડ્યા રાજીનામા, મનપા કમિશનરનું નિવેદન- દરેકની થશે તપાસ- Video

રાજકોટમાં ગોજારા અગ્નિકાંડ બાદ 7 મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિભાગોમાં 18 અધિકારીઓએ યેનકેન કારણોસર રાજીનામા આપ્યા છે. ત્યારે આ અંગે હવે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે રાજીનામુ આપનારા દરેક અધિકારીની તપાસ થશે અને ખાલી પડેલી જગ્યા પર ભરતી કરાશે.

Year Ender 2024: ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાઓ ! અનેક લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા, જુઓ તસવીરો

ગુજરાત માટે વર્ષ 2024માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલી હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.

TRP ગેમ ઝોનના જવાબદાર લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરનાર ACBના DYSP ગોહિલનું CMએ કર્યું બહુમાન

ભુજ અને રાજકોટ એન્ટિ કરપ્શન બ્યુરોના ડીવાયએસપી કૃષ્ણકુમારસિહ એચ.ગોહિલનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માન કર્યું હતું. TRP ગેમ ઝોનના જવાબદાર લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી હતી.

જંત્રીમાં કરાયેલા 200 થી 2000 ગણા વધારા સામે રાજ્યભરની બિલ્ડર લોબી દ્વારા વિરોધ, રાજકોટમાં મૌન કી બાત નામથી મૌન રેલી યોજી- Video

જંત્રીના સૂધારેલા સૂચિત દરોનો જો અમલ થશે તો કોઈપણ મધ્યમ વર્ગિય પરિવાર ઘરનું ઘર ખરીદી શકશે નહીં.  કારણ કે સરકારે 200 થી 2000 ટકા સુધી વધારો સૂચવ્યો છે. જેની સામે બિલ્ડરો જ નહીં સામાન્ય જનતાએ વાંધો ઉઠાવ્યો છે. આ વધારા સામે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશને મૌન રેલી યોજી, જેમા મોટી સંખ્યામાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, શ્રમિકો, ડેવલપર્સ સહિતના જોડાયા હતા.  

g clip-path="url(#clip0_868_265)">