રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા.

આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. આ ઘટનાના ધ્યાને રાખતા સરકારે પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને (SIT) 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. જ્યારે તલસ્પર્શી તપાસ બાદ વિગતવાર અહેવાલ 10 દિવસમાં આપવા આદેશ કર્યો છે.

રાજકોટ પહેલા પણ ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે. જેમ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટતા 141 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરત તક્ષશિલા આગ ઘટનામાં કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.

Read More

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જશીટ રજૂ, 15 સામે આરોપનામું, નેતાઓને મળી ક્લીનચીટ !

TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટી દ્રારા આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અંદાજિત 1 લાખ દસ્તાવેજી પાનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ગેમ ઝોનના માલીક અને જવાબદાર અધિકારીઓ મળીને કુલ 15 લોકો સામે ચાર્જશીટ રજૂ કરી છે.

રાજકોટ અગ્નિકાંડ પીડિત પરિવારોએ રજૂ કરી 12 માગ, કહ્યું જો માંગણી નહીં ઉકેલાય તો રાજકોટથી સીએમ આવાસ સુધી કૂચ કરાશે

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનો આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત બાદ, પીડિત પરિવારના સભ્યે કહ્યું કે, સરકાર સાથે હોવાની વાત કરે છે, પરંતુ લેખિતમાં કાંઈ આપતી નથી.

Gandhinagar Video : રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક

રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. જેમાં પીડિત પરિવારોએ અનેક માગ કરી છે. જેમાં આરોપીઓને સસ્પેન્ડ નહીં જેલ ભેગા કરવા માટેની માગ કરી છે.

Rajkot Video : રાજકોટવાસીઓ આજે બહારનું ભોજન નહીં ખાઇ શકે, 800 જેટલી રેસ્ટોરન્ટ બંધ, જાણો શું છે કારણ

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે ફાયર સેફટી અને બીયુ પરમિશનના અભાવ ધરાવતા એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓમાં રોષ જોવા મળશે.

ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, પોલીસે બેનર ઉતારવાની પાડી ફરજ, શક્તિસિંહે ઘટનાને ચોરી પર સિનાજોરી- Video

ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી 39મી રથયાત્રામાં એક ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જો કે પોલીસે આ બેનર ઉતારી લેવાની ફરજ પાડી હતી. આ બાબતે થોડી રકઝક પણ થઈ હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે સમગ્ર ઘટનાને સરકારની ચોરી પર સિનાજોરી ગણાવી છે.

તાપી વીડિયો : ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરાઈ, રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે

તાપી: વડા મથક વ્યારા ખાતે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગ્નિકાંડની ઘટના બાદ હવે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video

રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં રોજ નીતનવા ખૂલાસા થઈ રહ્યા છે. આ મામલે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ ઘટના બાદ બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે જ્યારે પૂર્વ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે મીડિયાના સવાલોથી ભાગી રહેલી પોલીસ દ્વારા વ્યવસ્થાના નામે પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે પ્રવેશબંધી કરાઈ છે.

રાજકોટ અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO એમડી સાગઠિયા પાસેથી જેલમાં ક્યાં માથાભારે શખ્સે માગી 4 લાખની પ્રોટેક્શન મની- જાણો

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO એમડી સાગઠિયા પાસેથી જેલમાં માથાભારે શખ્સે 4 લાખ પડાવ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જેલમાં સાગઠિયાને અન્ય કેદીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી અને આ કનડગત વધુ ન થાય તે માટે માથાભારે શખ્સે જેલમાં જ સાગઠિયા પાસેથી પ્રોટેક્શન મની પેટે 4 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વિગતો સામે આવી છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના દિવસ સુધીનો રિપોર્ટ સરકારને સુપરત, 5 થી 6 અધિકારીઓને ગણાવ્યા જવાબદાર

રાજકોટ અગ્નિકાંડ મામલે ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે આ રિપોર્ટ સરકારમાં સુપરત કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ કમીટીના રીપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ 2021માં ખોટી રીતે પરવાનગી અપાઈ હોવાનું પણ સામે આવ્યું હતું.

ભ્રષ્ટ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં મળ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર, જુઓ વીડિયો

શા માટે રમેશ રુપાપરા અને હિરેન ખીમાણીયાને પોલીસ કસ્ટડીમાં સાગઠીયાને મળવાની જરૂર પડી તે મુદ્દે અને સવાલો ઊભા થયા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ, રાજકોટમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના " મોટા ભા" સંડોવાયેલા છે. આથી આ કેસમાં કોઈ દાખલારુપ શિક્ષા કે પગલાં લેવાશે નહીં. મોટા માથાઓને બચાવી લેવાશે અને નાના લોકોને સળિયાની પાછળ ધકેલી દેવાશે.

Rajkot: TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતો એક મહિના બાદ પણ ન્યાય માટે રસ્તા પર, ભાજપના નેતાઓ સન્માનમાં વ્યસ્ત

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડના પીડિતો આજે એક મહિના બાદ પણ ન્યાય માટે અહીં તહી ભટકી રહ્યા છે, એક મહિના બાદ પણ ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ તરફ ભાજપના નેતાઓ જાણે ઘટનાને ભૂલી ગયા હોય તેમ, તેઓએ આજે પીડિતો વચ્ચે જવાનુ પણ ટાળ્યુ. બીજીતરફ આજે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ ભાજપના નેતાઓ સન્માનમાં વ્યસ્ત છે પરંતુ હતભાગી પરિવારોને દિલસોજી પાઠવવાનો તેમને સમય નથી.

“જો હજુ પણ ભાજપ નહિં જાગે તો ગેમ ઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દઝાડશે”- પરેશ ધાનાણી- જુઓ Video

રાજકોટ બંધ મુદ્દે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ કે વેપારીઓએ સ્વયંભુ બંધ પાળીને શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપને રાજકોટના લોકોએ લાલ આંખ બતાવી છે. જો હજુ પણ ભાજપ નહીં જાગે તો ગેમઝોનની આગ ભાજપને આખા રાજ્યમાં દજાડશે.

રાજકોટમાં કોંગ્રેસના બંધના એલાનને મળ્યુ વેપારીઓનું સમર્થન, સજ્જડ બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ- Video

રાજકોટમાં 25મી મે ના રોજ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 28 જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ. ગુજરાતના સૌથી મોટા દર્દનાક અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં 12 વાગ્યા સુધીના બંધનું એલાન અપાયુ છે. વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધનું સમર્થન કર્યુ છે. વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતી રાજકોટની અનેક બજારોમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો

Rajkot Fire Incident : અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂર્ણ થતા કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન, શાળાઓ અને દુકાનો કરાવી બંધ, જુઓ Video

રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ છે કે પીડિત પરિવારોને ન્યાય માટે રાજકોટવાસીઓએ બંધ પાળ્યું છે.

રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે આપ્યુ બંધનું એલાન, તમામ વેપારીઓને બંધમાં જોડાવા શક્તિસિંહની અપીલ- Video

25મી મે નો એ ગોજારો દિવસ જ્યારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયાનક આગમાં એકસાથે 28 જિંદગીઓ ભડથુ થઈ ગઈ અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઘટનાને 25મી જૂને એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસે શહેર બંધનું એલાન આપ્યુ છે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">