
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ
રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા.
આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. આ ઘટનાના ધ્યાને રાખતા સરકારે પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને (SIT) 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. જ્યારે તલસ્પર્શી તપાસ બાદ વિગતવાર અહેવાલ 10 દિવસમાં આપવા આદેશ કર્યો છે.
રાજકોટ પહેલા પણ ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે. જેમ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટતા 141 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરત તક્ષશિલા આગ ઘટનામાં કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.
Rajkot : દાઝ્યા પર ડામ ! TRP અગ્નિકાંડના 3 આરોપીને જામીન આપતા પીડિતોમાં આક્રોશ, જુઓ Video
રાજકોટમાં બનેલા TRP અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હજી પીડિતોના આંખના આસું સુકાયા નથી ત્યાં તો નિર્દોશ લોકોના જીવ સાથે ખેલવાડ કરનાર આરોપીઓને જામીન મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 9, 2025
- 12:19 pm
રાજકોટના ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવા આદેશ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ, સમગ્ર ગુજરાતમાં મેળાપીપણું ધરાવનારા અધિકારીઓ સામે રોષ વ્યાપી ગયો હતો. રાજકોટમાં નીતિ નિયમોનો ઉલારીયો કરીને પૈસાના વજને ગેરકાયદે કામને કાયદાનો પાયજામો પહેરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. જેમાં ટીપીઓ મનસુખ સાગઠીયાનું નામ મોખરે હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 26, 2024
- 9:22 pm
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં 18 અધિકારીઓના પડ્યા રાજીનામા, મનપા કમિશનરનું નિવેદન- દરેકની થશે તપાસ- Video
રાજકોટમાં ગોજારા અગ્નિકાંડ બાદ 7 મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિભાગોમાં 18 અધિકારીઓએ યેનકેન કારણોસર રાજીનામા આપ્યા છે. ત્યારે આ અંગે હવે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે રાજીનામુ આપનારા દરેક અધિકારીની તપાસ થશે અને ખાલી પડેલી જગ્યા પર ભરતી કરાશે.
- Mohit Bhatt
- Updated on: Dec 26, 2024
- 6:34 pm
Year Ender 2024: ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાઓ ! અનેક લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા, જુઓ તસવીરો
ગુજરાત માટે વર્ષ 2024માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલી હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.
- Disha Thakar
- Updated on: Dec 28, 2024
- 8:53 am
TRP ગેમ ઝોનના જવાબદાર લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરનાર ACBના DYSP ગોહિલનું CMએ કર્યું બહુમાન
ભુજ અને રાજકોટ એન્ટિ કરપ્શન બ્યુરોના ડીવાયએસપી કૃષ્ણકુમારસિહ એચ.ગોહિલનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માન કર્યું હતું. TRP ગેમ ઝોનના જવાબદાર લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી હતી.
- Mohit Bhatt
- Updated on: Dec 10, 2024
- 11:26 pm
જંત્રીમાં કરાયેલા 200 થી 2000 ગણા વધારા સામે રાજ્યભરની બિલ્ડર લોબી દ્વારા વિરોધ, રાજકોટમાં મૌન કી બાત નામથી મૌન રેલી યોજી- Video
જંત્રીના સૂધારેલા સૂચિત દરોનો જો અમલ થશે તો કોઈપણ મધ્યમ વર્ગિય પરિવાર ઘરનું ઘર ખરીદી શકશે નહીં. કારણ કે સરકારે 200 થી 2000 ટકા સુધી વધારો સૂચવ્યો છે. જેની સામે બિલ્ડરો જ નહીં સામાન્ય જનતાએ વાંધો ઉઠાવ્યો છે. આ વધારા સામે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશને મૌન રેલી યોજી, જેમા મોટી સંખ્યામાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ, શ્રમિકો, ડેવલપર્સ સહિતના જોડાયા હતા.
- Mohit Bhatt
- Updated on: Dec 9, 2024
- 3:49 pm
રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, મવડીમાં ગેરકાયદે જમીન પર ખડકી દીધી સ્કૂલ, સંચાલક નીકળ્યો ભાજપનો આગેવાન- Video
રાજકોટના માથે કલંક સમાન TRP અગ્નિકાંડની ઘટના બાદ પણ નઘરોળ મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યુ. હાલ જેલમાં બંધ મનસુખ સાગઠિયા અને તેની ટોળકીના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે.
- Mohit Bhatt
- Updated on: Oct 4, 2024
- 5:00 pm
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા કડક નિયમો, આયોજકો ખાસ ધ્યાન રાખે, જુઓ-Video
નવરાત્રીમાં ગરબા રમવા લોકો મોટા ગ્રાઉન્ડમાં ભેગા થશે. જોકે આ વખતે સરકારી તંત્ર કોઈ જ જોખમ લેવા નથી માગતું એટલે જ લોકમેળાના વિવાદ બાદ આ વખતે નવરાત્રીના પણ નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ અલગ નિયમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 22, 2024
- 8:26 am
Gandhinagar : ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય, ગેમીંગ ઝોનમાં આ નિયમોનો કરવો પડશે અમલ, જુઓ Video
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગેમીંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો જાહેર કર્યા છે. ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: Sep 6, 2024
- 11:13 am
“કોંગ્રેસ પીડિતોના ખભ્ભે બંદૂક રાખીને રાજકારણ રમી રહી છે”- કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભરત બોઘરાના પ્રહારો
આજથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. 15 દિવસની આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે સહિતના રાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ અપાયુ છે.જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં આયોજિત આ ન્યાયયાત્રા ગુજરાતમાં ઘટેલી મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના, સુરત તક્ષશીલા અગ્નિકાંડ, વડોદરાની હરણી બોટ દુર્ઘટના અને રાજકોટના અગ્નિકાંડના પીડિતોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેમના માટે ન્યાયની માગ કરવામાં આવશે. 300 કિમીની આ ન્યાયયાત્રાની મોરબીના ઝુલતા પૂલ દુર્ઘટનાના સ્થળેથી પ્રારંભ થયો છે.
- Mohit Bhatt
- Updated on: Aug 9, 2024
- 1:57 pm
Rajkot : નિવૃત્ત સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે તપાસનો ધમધમાટ, આવાસ યોજનામાં મોટાપાયે કૌભાંડના આક્ષેપો, જુઓ Video
રાજકોટમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જો કે કૌભાંડને સંપૂર્ણપણે અંજામ અપાય તે પહેલાં જ મનપાની વિજિલન્સની ટીમ ત્રાટકી હતી. રાજકોટના નિવૃત્ત સિટી એન્જિનિયર અલ્પના મિત્રા છેલ્લાં ઘણાં સમયથી વિવાદોમાં છે. હજુ પાંચ દિવસ પહેલાં જ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Aug 6, 2024
- 11:20 am
Rajkot News: રાજકોટના અગ્નિકાંડની તપાસમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને મળી ક્લિનચીટ, સત્યશોધક કમિટીની તપાસ સામે સવાલ
રાજકોટના ચકચારી અને ગોજારા અગ્નિકાંડમાં 27 લોકો ઘટના સ્થળે જ ભસ્મીભૂત થઈ ગયા હતા. ગુજરાતના સૌથી મોટા અને અતિ દર્દનાક અગ્નિકાંડના બે મહિના ઉપર સમય વિતવા આવ્યો છે છતા હજુ ચાર્જશીટ ફાઈલ નથી થઈ. ત્યારે શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લિનચીટ અપાતા હાઈકોર્ટના નિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી ત્રણ સભ્યોની સત્ય શોધક કમિટીની તપાસ સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
- Mohit Bhatt
- Updated on: Aug 1, 2024
- 2:21 pm
Rajkot : જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર, વીમા કવચ 7.50 કરોડ રૂપિયા કરવાનો નિર્ણય, જુઓ Video
રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણની બેઠક મળી છે. જેમાં મોટા અને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સુરક્ષાની બાબતો પર વિષેશ ધ્યાન આપવામાં આવ્યુ છે.
- Mohit Bhatt
- Updated on: Jul 31, 2024
- 1:07 pm
TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જશીટ રજૂ, 15 સામે આરોપનામું, નેતાઓને મળી ક્લીનચીટ !
TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટી દ્રારા આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અંદાજિત 1 લાખ દસ્તાવેજી પાનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ગેમ ઝોનના માલીક અને જવાબદાર અધિકારીઓ મળીને કુલ 15 લોકો સામે ચાર્જશીટ રજૂ કરી છે.
- Mohit Bhatt
- Updated on: Jul 24, 2024
- 10:40 pm
રાજકોટ અગ્નિકાંડ પીડિત પરિવારોએ રજૂ કરી 12 માગ, કહ્યું જો માંગણી નહીં ઉકેલાય તો રાજકોટથી સીએમ આવાસ સુધી કૂચ કરાશે
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનો આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને મળ્યા હતા. આ મુલાકાત બાદ, પીડિત પરિવારના સભ્યે કહ્યું કે, સરકાર સાથે હોવાની વાત કરે છે, પરંતુ લેખિતમાં કાંઈ આપતી નથી.
- Kinjal Mishra
- Updated on: Jul 10, 2024
- 6:23 pm