![રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/05/Rajkot-TRP-Game-Zone-Fire.jpg)
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ
રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર 28 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા.
આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર NOC જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. આ ઘટનાના ધ્યાને રાખતા સરકારે પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને (SIT) 72 કલાકમાં પ્રાથમિક અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. જ્યારે તલસ્પર્શી તપાસ બાદ વિગતવાર અહેવાલ 10 દિવસમાં આપવા આદેશ કર્યો છે.
રાજકોટ પહેલા પણ ગુજરાતમાં આવી ઘણી ઘટનાઓ ઘટી છે. જેમ કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટતા 141 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરત તક્ષશિલા આગ ઘટનામાં કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.
Rajkot Fire Accident : ભ્રષ્ટાચારમાં મનસુખ સાગઠિયા સહિત અનેક ભાગીદારો હોવાની ચર્ચા, 10 કરોડથી વધારેની અપ્રમાણસર સંપતિ મળી
રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસમાં હવે મોટા ખુલાસા થવાની શક્યતા છે. સાગઠિયાને ઈન્ચાર્જ TPO માંથી કાયમી TPO બનાવવામાં આવ્યા હતા. તેના પર કોણા હાથ તેમજ ભષ્ટ્રાચારમાં કોણ ભાગીદાર હતુ, જેવા સવાલોના ખુલાસા થઈ શકે છે.
- Mohit Bhatt
- Updated on: Jun 20, 2024
- 12:36 pm
અધધ…આવક કરતા 410 ટકા વધારે સંપતિ, TRP અગ્નિકાંડ કેસમાં સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો
RMCના પૂર્વ TPO મનસુખ સાગઠિયાની આવક કરતા 410 ટકા વધારે સંપતિ મળી આવી છે. ACBમાં સાગઠીયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનસુખ સાગઠિયા પાસેથી રૂપિયા 10.55 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2024
- 7:35 pm
Ahmedabad Video : સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઈ, RTO ઓફિસમાં શનિ-રવિવારે પણ થશે પાર્સિંગનું કામ
ગુજરાતમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્ત માટે હડતાળ જાહેર કરી હતી. ત્યારે વાલીઓ અને બાળકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના RTO અધિકારી જે. જે. પટેલ સાથે બેઠક બાદ લેવાયા મહત્તવના નિર્ણય ,
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2024
- 4:36 pm
Ahmedabad Video : અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ, 150થી વધુ શાળાના સીલ ખોલવાની માગ
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના દરેક એકમો પર ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે અમદાવાદની 150થી વધુ પ્રિ પ્રાઈમરી શાળાઓને સીલ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 18, 2024
- 4:41 pm
TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં મીડિયાથી કેમ દૂર ભાગી રહી છે રાજકોટ પોલીસ? હાઈકોર્ટના આદેશ બાદ બનાવાઈ નવી કમિટી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની સત્યતા જાણવા માટે રાજ્ય સરકારે સીટની રચના કરી છે છતાય સીટ સામે અનેક સવાલો ઉઠ્યા છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે પણ સંજ્ઞાન લઈ ફટકાર આપતા સરકારમાં રીતસરની દોડધામ મચી ગઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ પણ અગ્નિકાંડમાં નવી કમિટીની રચનામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ હતુ, જેમા વિભાગીય તપાસ માટે આજે ત્રણ IAS અધિકારીની તપાસ સમિતી રચવામાં આવી છે.
- Mohit Bhatt
- Updated on: Jun 17, 2024
- 4:00 pm
ગુજરાત ભાજપના જ ધારાસભ્યે કલેકટરની હાજરીમાં કેમ કહ્યું, માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ : Video
સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો છે. ફાયર NOC મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં સુડાના અધિકારીઓ સામે ઊભરો ઠાલવ્યો છે.
- Baldev Suthar
- Updated on: Jun 16, 2024
- 2:14 pm
Rajkot Fire Accident : રાજકોટ અગ્નિકાંડ કેસમાં SIT એ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ, જુઓ Video
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 16, 2024
- 12:01 pm
Rajkot Video : નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાએ જ નિયમો નેવે મુક્યા, મનપાની 130થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાની જ 130 થી વધારે મિલકતો પાસે ફાયર NOC ન હોવાની ઘટના સામે આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2024
- 4:58 pm
Ahmedabad : રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલો સુનાવણી, હાઇકોર્ટે મોકડ્રીલ મામલે કરી ગંભીર ટકોર, જુઓ Video
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલો ચીફ જસ્ટિસે હાઈકોર્ટમાં સુનાવણીમાં મોક ડ્રીલ અંગે ટકોર કરી હતી. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ કે આગ લાગે કે દુર્ઘટના સમયે કયા પગલા લેવા તેની કોઇને સમજ કે જાણ હોતી નથી.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2024
- 2:21 pm
Ahmedabad Video : દાણીલીમડાનાં ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઈટર ઘટના સ્થળે
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ આગ લાગી હોવાની ઘટના બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.
- Ronak Varma
- Updated on: Jun 14, 2024
- 12:34 pm
વલસાડમાં RTO તંત્ર ઘોર નિંદ્રામાં : સ્કૂલ બસ ફાયર સેફટીની દરકાર વિના દોડે છે! જુઓ વીડિયો
વલસાડ : રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે જે પ્રકારે નિયમો કડક કર્યા છે સ્કૂલોની અંદર ચાલતી વાન અને સ્કૂલના બસો સામે પણ કડક તપાસ શરૂ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 14, 2024
- 11:07 am
રાજકોટના TRP ગેમ ઝોનનુ ઉદ્ધાટન કરવા ગયેલા અધિકારીઓ સામે તપાસ કેમ નહીં ? હાઈકોર્ટે કરી લાલ આંખ કરી કહ્યું-15 દિવસમાંં રિપોર્ટ આપો
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આંખ લાલ કરી છે. ગેમ ઝોનના ઉદ્ધાટનમાં ગયેલા અધિકારીઓ સામે તપાસ કરી અહેવાલ સોંપવા નિર્દેશ કર્યો છે. જે પકડાયેલા છે તે ટાઉન પ્લાનિગના અધિકારીઓ છે મોટી માછલી કેમ નથી, તેવો સવાલ કરતા હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને કહ્યું છે કે,SIT રિપોર્ટ આપે કે ના આપે તમે 14 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપો.
- Ronak Varma
- Updated on: Jun 13, 2024
- 6:23 pm
અગ્નિકાંડની ઘટના મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી આકરી ટકોર, જાણો શું કહ્યું
ગુજરાતના રાજકોટમાં બનેલ અગ્નિકાંડ પર મોડે મોડે ગુજરાત સીએમએ અધિકારીઓને ટકોર કરી છે. ત્યારે રાજકોટ ની ઘટના ને લઈ સૂચક નિવેદન આપતા કહ્યું હતુ કે રાજકોટ ની ઘટના પછી વિચારવું પડે કે કયા ભૂલ થાય છે? માણસ નો જીવ સૌથી મહત્વ નો છે. તેની માટે કોઈ જ પ્રકાર નું સમાધાન કોઈ પણ પક્ષે ના થવું જોઈએ.
- Kinjal Mishra
- Updated on: Jun 13, 2024
- 2:33 pm
આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ , જાણો વાહનમાં કઈ હોવી જોઈએ સુવિધા, નહીંતર તમારુ વાહન થઈ જશે ડિટેઈન,જુઓ Video
ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે.વિદ્યાર્થીઓની સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય લીધો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 13, 2024
- 12:25 pm
Video : રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, તેમ છતા 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી 54 હજારથી વધુ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરુ થયો છે. ગુજરાતમાં આજે 1.15 કરોડ વિદ્યાર્થીઓના કિલ્લોલથી શાળાના કેમ્પસ ગુંજી ઉઠ્યા છે. શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. છતા 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે.
- TV9 Gujarati
- Updated on: Jun 13, 2024
- 10:38 am