AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી બોગસ ખેડૂત બનેલા લોકોને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ચેતવણી, કહ્યુ- એક પણ બોગસ ખેડૂતને છોડવામાં નહીં આવે

બનાવટી દસ્તાવેજને આધારે ખેડૂત (Farmer) ખાતેદાર બનતા બોગસ ખેડૂતોની હવે ખેર નથી, આવુ કહ્યુ છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ. ખેડામાં બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ અંગેની તપાસ માટે ખુદ મહેસૂલ મંત્રી માતર પહોંચ્યા હતા જયાં તેમણે આ નિવેદન આપ્યુ છે.

રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી બોગસ ખેડૂત બનેલા લોકોને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ચેતવણી, કહ્યુ- એક પણ બોગસ ખેડૂતને છોડવામાં નહીં આવે
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 6:41 PM
Share

રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી બોગસ ખેડૂત (Bogus Farmer) બનેલા ખેડૂત ખાતેદારો સામે સરકારે લાલ આંખ કરી છે. બનાવટી દસ્તાવેજો બનાવી જમીન પોતાના નામે કરી લેતા બોગસ ખેડૂતોની હવે ખેર નથી આવુ કહ્યુ છે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi). ખેડા (Kheda)ના માતરમાં મામલતદાર કચેરીની મુલાકાતે આવેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ બોગસ ખેડૂતોને ઉદ્દેશીને આ ચેતવણી આપી છે. માતરમાં ખોટા દસ્તાવેજથી બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ અંગે તપાસ માટે પહોંચેલા મહેસૂલ મંત્રીએ મહેસૂલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી બોગસ ખેડૂતો અંગે જાતે તપાસ કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યુ હતુ કે ખોટા દસ્તાવેજથી ખેડૂત બનેલા લોકો ચેતી જાય. બદઈરાદાથી સામૂહિક જમીન ખરીદાય તેના પર સરકારની નજર છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે અમે બોગસ લોકોને જગતનો તાત નહીં બનવા દઈએ.

માતરમાં 2 હજાર વીઘા જમીન બોગસ ખેડૂતોએ ખરીદી

માતરમાં મહેસૂલ મંત્રીએ જણાવ્યુ કે કોઈપણ બોગસ ખેડૂત ગમે તેટલો મોટો ચમરબંધી કેમ ન હોય, સરકાર છોડશે નહીં. જો બનાવટી દસ્તાવેજના આધારે ખેડૂત બન્યાની જાણ થશે તો તેની જમીન સરકાર હસ્તક થઈ જશે. સાથે જ કહ્યું કે માતરમાં 2 હજાર વિઘા જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. આ તમામની જમીન જપ્ત કરાશે. એ જમીન સરકાર હસ્તક કરવામાં આવશે. એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂત ખાતેદાર બન્યા છે. જેમા મોટાભાગના લોકો અમદાવાદના હોવાનુ સામે આવ્યુ છે. આ તમામ ખેડૂત ખાતેદારો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે.

આ તકે રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે અમારી પોતાની વ્યવસ્થા છે અને અમે પણ બાતમીદારો રાખીએ છીએ અને તેના લીધે જ આ બધી માહિતી મળતી હોય છે. તેમણે કહ્યુ તેમને છેલ્લા 2 મહિનાથી માહિતી મળી રહી છે. આ માહિતીના આધારે કેસનો ચકાસણી કરવામાં આવી અને સંપૂર્ણ ડેટા બહાર આવ્યો છે.તો ત્રિવેદીએ ચેતવણીના સૂરમાં કહ્યુ કે બોગસ દસ્તાવેજ કરનાર અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે.

તેમણે કહ્યુ હતુ કે બનાવટી ડોક્યુમેન્ટ જેમણે રજૂ કર્યા છે તેમને 10 વર્ષની જન્મટીપની સજા થાય તેવા ઈન્ડિયન પીનલ કોડની કલમ 465, 467, 468 બધી લાગશે. પોલીસ વિભાગ પણ સંકલનમાં છે. આ આખી ચકાસણીના અંતે જોઈએ તો 1 હજાર 30 કેસ ચકાસ્યા છે. તેમાંથી હાલમાં 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે. તેની પ્રાથમિક ચકાસણી માટે 500 લોકોને એકસાથે પુરાવા રજૂ કરવા માટેની નોટિસો આપી છે. જેથી સાચો માણસ દંડાય નહીં અને ખોટો બચીને જાય નહીં. તેમણે જણાવ્યુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના છે કે કોઈપણ જગ્યાએ બનાવટી ખેડૂત બન્યા હશે તો તેમને છોડવામાં નહીં આવે.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">