JAMNAGAR : સ્થાપના થયાના થોડા કલાકોમાં જ કોંગ્રેસ કાર્યકરોએ નથુરામ ગોડસેની પ્રતિમા તોડી નાખી, મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો

Nathuram Godse : હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી તો કોંગ્રેસ દ્વારા તે તોડી પાડવામાં આવી. મામલો પોલિસ મથક સુધી પહોચતા પોલિસે બંન્ને પક્ષ સામે કાર્યવાહી કરી.

JAMNAGAR :  સ્થાપના થયાના થોડા કલાકોમાં જ કોંગ્રેસ કાર્યકરોએ નથુરામ ગોડસેની પ્રતિમા તોડી નાખી, મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો
The statue of Nathuram Godse was demolished by congress workers within a few hours of its establishment in Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:43 PM

JAMNAGAR: મહાત્મા ગાંધી (Mahatama Gandhi) ના હત્યારાને મહાત્મા ગણાવીને તેની પ્રતિમાની સ્થાપના ગાંધીના ગુજરાતમાં કરવામાં આવી. જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસે (Nathuram Godse) ની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી, તો બીજા દિવસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. વિવાદ સર્જાતા બંન્ને પક્ષોની પોલિસે ફરીયાદ નોંધી અટકાયતી પગલા લીધા.

જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. થોડા સમય પહેલા હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મુકવાની માંગ કરી હતી. 15 નવેમ્બરના રોજ નથુરામ ગોડસેની જન્મજયંતીના દિવસે તેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સેનાના કેટલાક કાર્યકરોએ નથુરામ ગોડસેને મહાત્મા કહીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ ઉપર આવેલ દુધીયા હનુમાન સંપતબાપુના આશ્રમ પાસે હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી હતી. 15 નવેમ્બર મંગળવારના રોજ નથુરામ ગોડસેની જન્મજયંતી હોય અને નથુરામ ગોડસેના વિચારોને અનુસરતા તેને મહાત્મા ગણાવી હિન્દુસેનાના કાર્યકર પ્રતિકભાઇ ભટ્ટ, ધિરેન નંદા, ભાવેશ ઠુંમર વિગેરે દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. જે પ્રતિમાના અનાવરણ બાબતે વિરેન્દ્રસિંહ ઉર્ફે દીગુભા, ધવલભાઇ નંદાએ નથુરામ ગોસેની પ્રતિમાને તોડી તેને ઓઢાડેલ શ્રીરામ લખેલ કપડુ કચરામાં ફેકી દઇ રૂ.5000 નું નુકશાન કરી ધાર્મિક લાંગણી દુભાયા અંગેની ફરીયાદ પ્રતિકભાઇ ભટ્ટ દ્વારા જાહેર કરીને પોલિસ ફરીયાદ નોંધાવી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

તેમજ જામનગર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા ટેમુભા જાડેજાએ પણ ફરિયાદ કરી કે પ્રતિકભાઇ ભટ્ટ, ધિરેન નંદા, ભાવેશ ઠુંમર તથા અન્ય બે વ્યક્તિઓએ નથુરામ ગોડસેએ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી હોય તેમ છતા તેની પ્રતીમા કોઇપણ જાતની કોઇની મંજુરી લીધા વગર પ્રતિમા બનાવી બેસાડી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને માનનારા લોકોનું અપમાન કરી, દેશવાશીઓ તથા બીજા અન્ય લોકો વચ્ચે વિખવાદ ઉભો થાય અને ધીક્કારની લાગણી જન્મ અને વૈમનસ્ય ઉભુ થાય તેવુ કૃત્ય કરેલ છે. આમ બંન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ થઇ છે.

નથુરામ ગોડસેની પ્રતિમા મુકાતાની સાથે વિવાદ છંછેડાયો છે. પ્રતિમાને તોડી પાડતા મામલો પોલિસ મથકે પહોચ્યો. પોલિસે બંન્ને પક્ષની ફરીયાદ નોંધી આરોપીઓની અટકાયત કરી છે. હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મુકી તો કોંગ્રેસ દ્વારા તે તોડી પાડવામાં આવી. મામલો પોલિસ મથક સુધી પહોચતા પોલિસે બંન્ને પક્ષ સામે કાર્યવાહી કરી. ગાંધી અને ગોડસેના નામે શરૂ થયેલ વિવાદ આવનાર સમયમાં વધુ ઉગ્ર બની શકે છે.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાની સ્થિતિ સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">