Chhota Udepur : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત, સરકાર સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ

Chhota udepur news : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત બનતા બાળકો પાયાનું શિક્ષણ અન્ય ખાનગી મકાનમાં મેળવી રહ્યા છે. સમારકામ અથવા નવી ફાળવણી ન થતા આંગણવાડી કાર્યકર ઘરમાં બાળકોને ભણાવવા મજબૂર બની છે.

Chhota Udepur : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત, સરકાર સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ
છોટાઉદેપુરના કેટલાક ગામમાં આંગણવાડીની હાલત ખરાબ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:31 AM

ભૂલકાઓનું ભાવીનું ઘડતર આંગણવાડીમાંથી ઘડાતું હોય છે. પરંતુ છોટાઉદેપુરના નસવાડીના કેટલાક ગામમાં આંગણવાડીના મકાનના અભાવે બાળકોને ખાનગી મકાનોમાં બેસવું પડે છે. વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત બનતા બાળકો પાયાનું શિક્ષણ અન્ય ખાનગી મકાનમાં મેળવી રહ્યા છે. સમારકામ અથવા નવી ફાળવણી ન થતા આંગણવાડી કાર્યકર ઘરમાં બાળકોને ભણાવવા મજબૂર બની છે. કડકડતી ઠંડીમાં દીવાલની ફરતે કંતાન બાંધીને ભૂલકાઓને ભણાવવામાં આવી રહ્યા છે. ભણાવવાની સાથે બાળકોનું ભોજન પણ અહીં જ અપાય છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, અમુક વાલીઓ તો બાળકોને આંગણવાડીમાં મોકલતા પણ નથી.

પાંચ વર્ષથી નાના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે અને રમતગમત, ગીતગાન, વાર્તાકથન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે દ્વારા પોતાના જ ઘરના, ફળિયાના કે ચાલીના વિસ્તારના વાતાવરણમાં જ કેળવવામાં આવે તેવી વ્યવસ્થા તેમના જ ગામમાં કરી આંગણ વાડીની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. અહીં બાળકોના શિક્ષણ સાથે તેમના આરોગ્યનો ખ્યાલ રાખવાનો હેતુ પણ હોય છે. પણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં નાના બાળકો આ લાભથી વંચિત જોવા મળે છે. આવા જ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારના બાળકો આઇ.સી.ડી.એસ. વિભાગની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.

નસવાડીના વઘાચ ગામમાં બાર વર્ષથી આંગણવાડી જર્જરિત બનતા આંગણ વાડી કાર્યકરના ઘરમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આંગણ વાડી કાર્યકર પોતાના કાચા ઘરના ઓટલા પર બાળકોને શિક્ષણ આપે છે. હાલ ઠંડીનો માહોલ હોવાથી બાળકોને ઠંડીના લાગે તે માટે એક તરફની દીવાલ પર કંતાન બાંધ્યું છે. છત પર પતરા નાખ્યા છે અને એ ખર્ચ પણ કાર્યકરે પોતે કર્યો છે. નાનકડી જગ્યામાં જ બાળકો અભ્યાસ કરે છે અને રમત પણ રમે છે. બાળકોના માટે ભોજન પણ અહીં જ બનાવવામા આવી રહ્યું છે, જો કે એક રીતે તે જોખમી પણ કહી શકાય. જેને લઇ અમુક વાલીઓ તો તેમના બાળકોને આંગણવાડીમાં મોકલતા પણ નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આવી જ સ્થતિ કાડકોચ ગામની આંગણવાડીની પણ છે. અહી પણ આંગણવાડીના કાર્યકર મહિલા આંગણવાડી જર્જરિત હોવાથી બાળકોને પોતાના ઘરે શિક્ષણ આપે છે. જો કે આ જ મકાનમાં કાર્યકર પોતાના ઢોર પણ બાંધીને રાખે છે. આંગણ વાડીની બહેનનું કહેવું છે કે તે બાળકોને સારી વ્યવસ્થા આપવા ઇચ્છે છે પણ આપી શકતા નથી. જેનું તેમને દુખ પણ છે. ત્યારે વિકાસશીલ ગુજરાતની આ વરવી વાસ્તવિકતાની સ્થિતિની સરકાર નોંધ લે તે આ વિસ્તારના લોકોની માગ છે.

(વિથ ઇનપુટ-મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">