ગીધની ઘર વાપસી : ભરૂચમાં 15 વર્ષથી લુપ્ત ગીધરાજનું પુનઃ આગમન થયું, પક્ષી વર્ષ 2008 થી નજરે પડ્યું ન હતું

રાજ્યમાં હાલ 500 થી 600 ગીધ જ હોવાનું માનવામાં આવે છે. કેટલાય જિલ્લામાં ગીધની વસ્તી શૂન્ય થઈ ગઈ છે. વર્ષ 2005 થી 2022 માં જ ગીધની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2045 સુધી સફેદ પીઠ ગીધ અને ગિરનારી ગીધ વિલુપ્ત થવાની સંભાવના છે.

ગીધની ઘર વાપસી : ભરૂચમાં 15 વર્ષથી લુપ્ત ગીધરાજનું પુનઃ આગમન થયું, પક્ષી વર્ષ 2008 થી નજરે પડ્યું ન હતું
Absence of vultures in Bharuch district for one and a half decades
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 7:08 AM

ભરૂચ જિલ્લામાં દોઢ દાયકાથી ગેરહાજરી નોંધાવનાર નામશેષ માનવામાં આવતા ગીધરાજનું પુનઃ આગમન થયું છે. લુપ્ત થયેલા વિશાળ ગીધ ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી ગંગોત્રી સોસાયટીમાં નજરે પડતા વિશાળ પક્ષીની ઝલક માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લગભગ આ પક્ષી માત્ર ચિત્રો, ફોટા અને વીડિયોમાં પૂરતા માર્યાદિત રહ્યા છે ત્યારે ગીધ વર્ષ 2023 ના પ્રારંભે ભરૂચ શહેરની સોસાયટીમાં જોવા મળતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. વાઈલ્ડ લાઈફ વોર્ડન અનુસાર  આ ગીધ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે. સ્થાનિક રહીશ કિશોરભાઈ કવાએ ભરૂક વન વિભાગને વિશાળ પક્ષીની માહિતી આપતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

લુપ્ત થઇ રહેલા પક્ષીને બચાવવા માટે વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા સાથે કામધેનુ ગૌરક્ષા સમિતિના કાર્યકરો રમેશભાઈ દવે, યોગેશ મિસ્ત્રી અને ઉમેશ પટેલ તત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જીવદયા પ્રેમીઓની ટીમે ઇજાગ્રસ્ત ગીધને સલામત રેસ્ક્યુ કરી ભરૂચ વનવિભાગ સંચાલિત નીલકંઠ નર્સરીમાં સારવાર અર્થે મોકલી આપ્યું હતું. પક્ષીને સારવાર બાદ ઓબ્ઝર્વેશનમાં મોકલી આપવામાં આવશે. આ ગીધ અંદાજિત 12 વર્ષની વયનું અને 14 થી 15 કિલો વજનનું છે. પક્ષી  લાબું અંતર ઉડ્યું હોવાનું અનુમાન નિષ્ણાંત દ્વારા લગવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે વર્ષ 2008 માં એક ગીધ વસ્તી ગણતરીમાં જોવા મળ્યું હતું.

ગુજરાતમાં વર્ષ 2045 સુધીમાં ગીધ લુપ્ત થવાનો ભય

ગુજરાત વન વિભાગના રીપોર્ટ મુજબ 2045 સુધીમાં ગુજરાતમાં ગીધની વસ્તી શૂન્ય થઇ જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગીધની વસ્તી ગણતરીના રીપોર્ટ Vulture Census 2022 Report માં અન્ય ઘણી જાણકારી સામે આવી છે. રાજ્યના વન વિભાગ દ્વારા કુદરતના સફાઈ કામદાર એવા ગીધરાજની વસ્તી ગણતરી 2022 હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018 કરતા વર્ષ 2022 ની ગણતરીમાં 300 થી 400 ગીધની સંખ્યામાં ઘટાડો થયો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કરોડોનો ખર્ચ કરી  ગીધની વસ્તી ઉપર નજર રખાય છે

રાજ્ય સરકાર દ્વારા ગીધની સંખ્યામાં વધારો થાય તેને લઈને કરોડોના ખર્ચા કરવામાં આવે છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. રાજ્ય  લેવલે ગીધની સંખ્યામાં વધારો થાય તેવું સંવર્ધન કેન્દ્ર  હજુ કાર્યરત નથી. વર્ષ 2018 સુધીમાં ગીધની વસ્તી ગણતરી બાદ વર્ષ 2022 માં થયેલ ગણતરીમાં 8 થી 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગીધની વસ્તી શૂન્ય

રાજ્યમાં હાલ 500 થી 600 ગીધ જ હોવાનું માનવામાં આવે છે. કેટલાય જિલ્લામાં ગીધની વસ્તી શૂન્ય થઈ ગઈ છે. વર્ષ 2005 થી 2022 માં જ ગીધની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2045 સુધી સફેદ પીઠ ગીધ અને ગિરનારી ગીધ વિલુપ્ત થવાની સંભાવના છે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">