Ambaji આ ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો અવિરત પ્રવાહ, અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી

બનાસકાંઠાના(Banaskantha)અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair)શાનદાર શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આજે મેળાના બીજા દિવસે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે.

Ambaji આ ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો અવિરત પ્રવાહ, અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી
Ambaji Poonam Fair
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 5:06 PM

બનાસકાંઠાના(Banaskantha)અંબાજીમાં(Ambaji) ભાદરવી પૂનમના મેળાની(Bhadarvi Poonam Fair)શાનદાર શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આજે મેળાના બીજા દિવસે દૂર દૂરથી માઇભક્તો ચાલતા માતાજીના દર્શનાર્થે આવે છે. મા અંબાના ભક્તો તડકો, છાંયડો, થાક લાવ્યા સિવાય ભક્તિના રસ્તે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે..માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા પદયાત્રીઓ ગુજરાત સહિત દેશભરમાંથી અંબાજી આવે છે. આ પદયાત્રીઓ સાથે પગપાળા સંઘ પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી અરવલ્લીની ગિરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઉઠી છે.

કેટલાક ભક્તો બાધાને પૂર્ણ કરવા માટે કઠિન પદયાત્રા કરીને અંબાજી જાય છે અને પોતાની બાધા પૂર્ણ કરે છે..બીજી તરફ ગુજરાતભરમાંથી આવતા લાખો પદયાત્રાળુ માટે દાતા અંબાજી માર્ગ પર સેવા કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં ચા-નાસ્તો, મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ , આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવાામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ભાદરવી પૂનમના મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો

જેમાં કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મેળાનો આરંભ થયો છે. આજે ભાદરવી પૂનમના મેળાને વિધિવત્ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી આગામી 10 સપ્ટેમ્બર સુધી ભાદરવી મેળો ચાલશે. તો ભાદરવી પૂર્ણિમાના મેળાને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. અંબાજીમાં દરેક સ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પ્રસાદીના 42 લાખ જેટલા પેકેટ તૈયાર કરાયા

અંબાજીમાં શ્રદ્ધાળુના માલસામાન સાચવવા માટે લગેજ કેન્દ્ર શરૂ કરાશે. તો વડીલો, વૃદ્ધો, દિવ્યાંગો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા રખાશે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંબાજી મંદિર સવારે 5 વાગ્યાથી રાત્રે 12 સુધી ખુલ્લુ રહેશે. માતાજીની પ્રસાદીના 42 લાખ જેટલા પેકેટ તૈયાર કરાયા છે. 12 પ્રસાદ કેન્દ્ર પર 3 લાખ 60 હજાર કિલો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પહેલીવાર ભક્તો માટે ફરાળી ચિકીના પ્રસાદના 3 લાખ પેકેટ બનાવાયા છે. દેશ-વિદેશમાં રહેલા શ્રદ્ધાળુ માટે જીવંત પ્રસારણ કરાશે. પદયાત્રિકો માટે દિવાળી બા ભવન, ગબ્બર તળેટી, અંબિકા ભોજનાલયમાં મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે..ST વિભાગે અંબાજી મેળા માટે 700થી વધુ ટ્રીપનું આયોજન કર્યું છે..જ્યારે ખાનગી વાહનો માટે અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા રહેશે.

Latest News Updates

હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">