AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતીઓ મોબાઇલ ફોન રાખવામાં પણ અગ્રેસર, સર્વેમાં સામે આવી વિગતો

મોબાઈલ ફોનની માલિકીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતીઓ  આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક  રાજયના  91 થી 93  ટકા  જેટલી જ  માલિકી ધરાવે  છે.

ગુજરાતીઓ મોબાઇલ ફોન રાખવામાં પણ અગ્રેસર, સર્વેમાં સામે આવી વિગતો
પ્રથમ વિકલ્પ સાથે, તમે તમારા વર્તમાન WhatsApp એકાઉન્ટને બિઝનેસ એકાઉન્ટ તરીકે બદલીને તેનો ઉપયોગ કરી શકો છો. બીજા વિકલ્પમાં, તમે અલગ નંબરથી નવું WhatsApp Business એકાઉન્ટ સેટ કરી શકો છો. તમે બીજા વિકલ્પને દબાવો.
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 10:56 PM
Share

ગુજરાતમાં(Gujarat)  મોબાઈલ ફોને (Mobile Phone) પણ જીવનની આવશ્યક જરૂરિયાત તરીકે તેનું સ્થાન મેળવ્યું છે. જેમાં એક સર્વે અનુસાર રાજ્યમાં પ્રત્યેક 100  લોકોમાંથી 92 પાસે મોબાઈલ ફોન છે જે ઘરની મૂળભૂત ચીજવસ્તુઓની(House Hold)  સરખામણીએ વધારે છે. જેમાં ઉંધવા માટે ગાદલા અને ટીવી જોવા અને બેસવા માટે ખુરશી અને સમયનનું ધ્યાન રાખવા માટે ખરીદવામાં આવતી ઘડિયાળનો સમાવેશ થાય છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5 મુજબ, મોબાઈલ ફોન ધરાવતા પરિવારોની સંખ્યા શહેરી વિસ્તારોમાં 97% અને ગ્રામીણ વિસ્તારોમાં 89% હતી. નાગરિકોના જીવનમાં મોબાઈલ ફોનને કેટલું પ્રાધાન્ય મળ્યું છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે માત્ર 86% પરિવારો પાસે ગાદલા, 80% પ્રેશર કુકર, 84% પાસે ખુરશીઓ અને 73% પાસે ટેલિવિઝન સેટ છે.

જ્યારે મોબાઈલ ફોનની માલિકીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતીઓ  આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક  રાજયના  91 થી 93  ટકા  જેટલી જ  માલિકી ધરાવે  છે. જ્યારે મોટાભાગની મહિલાઓ કોમ્યુનિકેશન માટે બેઝિક ફોનનો ઉપયોગ કરે છે

આ ઉપરાંત વર્ષ 2019-21માં હાથ ધરાયેલા સર્વે અનુસાર કેરળમાં ઘર દીઠ 97 ટકા સૌથી વધુ મોબાઈલ ફોન હતા.સર્વેક્ષણનો અન્ય એક મુખ્ય તારણ ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં અસાધારણ વધારો હતો – 2015-16માં હાથ ધરવામાં આવેલા NHFS-4માં, 4% ઉત્તરદાતાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

જેમાં શહેરી વિસ્તારોમાં 8% અને ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 1%નો સમાવેશ થાય છે. આ સંખ્યા 14 ગણી વધીને 55% ઉત્તરદાતાઓએ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું સ્વીકાર્યું છે જેમાં 71% શહેરી અને 43% ગ્રામીણ વિસ્તારોમાં છે.

સુરત સ્થિત સેન્ટર ફોર સોશિયલ સ્ટડીના ઈન્ચાર્જ ડાયરેક્ટર સત્યકામ જોશીએ જણાવ્યું હતું કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પણ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. સસ્તા હેન્ડસેટ અને ઇન્ટરનેટ કનેક્શન્સ વધ્યા છે. આજે લગભગ દરેક વ્યક્તિ પાસે ફોન હોય તે સામાન્ય બાબત છે. તમામ સરકારી યોજનાઓ માટે પણ ફોન જરૂરિયાત બન્યું છે. જેના લીધે પણ મોબાઇલ ફોનનો વપરાશ વધ્યો છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે,સર્વેક્ષણમાં સામેલ 49% અથવા અડધી મહિલાઓએ કહ્યું કે તેમની પાસે તેમના અંગત ઉપયોગ માટે ફોન છે. જેમાંથી, 75 ટકા એસએમએસ વાંચી શકતા હતા, અને તેમાંથી 22 ટકા તેનો નાણાકીય વ્યવહારો માટે તેનો ઉપયોગ કરતા હતા.

એનજીઓ આનંદીના સ્થાપક નીતા હાર્ડિકરે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરી રહી છે. જેમાં મોટાભાગની સ્ત્રીઓ સરળ વાતચીત માટે મૂળભૂત ફોનનો ઉપયોગ કરે છે કારણ કે તેઓ તેમના માટે ઉપકરણ ખરીદવા માટે પુરુષો પર આધાર રાખે છે. જોકે યુવા મહિલાઓ સ્માર્ટફોન સાથે ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 કેસ, એક દર્દીનું મૃત્યુ

આ પણ વાંચો :  Kutch: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કલેકટરે આપ્યા આદેશ,આ નિયમોનુ પાલન કરવુ પડશે

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">