Exam Tips: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રહે છે પરીક્ષાની ચિંતા, આ રીતે ડર દૂર કરી શકાય છે

Gujarat Board Exam : : વાલીઓ કેટલીક મહત્વની બાબતો પોતાના બાળકો સાથે શેર કરીને તેમનો ડર દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે કેટલીક શારીરિક અને માનસિક કસરતથી પરીક્ષાના ભયથી મુક્ત બની શકે છે.

Exam Tips: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રહે છે પરીક્ષાની ચિંતા, આ રીતે ડર દૂર કરી શકાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 12:16 PM

14 માર્ચ એટલે કે આવતીકાલથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. સામાન્ય રીતે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને થોડો ડર રહેતો હોય છે. સાથે જ બાળકોની પરીક્ષાને લઇને વાલીઓમાં પણ ચિંતા જોવા મળતી હોય છે. વાલીઓ કેટલીક મહત્વની બાબતો પોતાના બાળકો સાથે શેર કરીને તેમનો ડર દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે કેટલીક શારીરિક અને માનસિક કસરતથી પરીક્ષાના ભયથી મુક્ત બની શકે છે.

શ્વાસોશ્વાસની કસરત

વાલીઓ પોતાના બાળકોને શ્વાસોશ્વાસની કસરત કરવાની સલાહ આપી શકે છે. વિદ્યાર્થીઓએ આરામથી બેસી અથવા આસન ઉપર સૂઈ જવુ. નાકમાંથી શ્વાસ લેવો અને 5 કાઉન્ટ સુધી પેટને ફુલાવવુ, ત્રણ કાઉન્ટ સુધી શ્વાસને રોકી રાખો, હવે શક્ય હોય તેટલો ધીમે ધીમે મોંમાંથી શ્વાસ છોડવો. 3થી 5 મિનિટ સુધી આમ કરવાથી એકાગ્રતામાં સુધારો થાય છે.

બાળકો સાથે સંવાદ કરી તેમની મુંઝવણ દૂર કરો

વાલીઓએ પરીક્ષા પહેલા તેમના બાળકો સાથે વાતચીત કરવી જોઇએ અને તેમની મૂંઝવણોને સાંભળવી જોઇએ. વાલીઓએ અઠવાડિયામાં બે વાર અથવા જ્યારે પણ જરૂર હોય ત્યારે આ કામ કરવુ જોઇએ. જેનાથી બાળકોનું મન હળવુ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિદ્યાર્થીઓને દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા

વાલીઓએ બાળકોને દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા જોઇએ. વિદ્યાર્થીઓએ દરરોજના અભ્યાસ માટે યોજના બનાવવી. તેમાં દરેક કલાકની કામગીરી જેવી કે ઉંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજન, વ્યાયામ, મનોરંજનનો સમય, અભ્યાસનો સમયનો સમાવેશ થવો જોઈએ.

કુદરતી વાતાવરણમાં વહેલી સવારે ચાલવુ

વહેલી સવારે ધીમી ગતિએ ચાલવાથી અને તાજી હવામાં શ્વાસ લેવાથી મગજ તેજ બને છે, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને શીખવાનું કાર્ય સરળ બને છે. વિદ્યાર્થીઓ વહેલી સવારે લગભગ 21 મિનિટ સુધી ચાલવુ જોઇએ

મેડિટેશન કરવુ

વાલીઓએ વિદ્યાર્થીઓને ધ્યાન કરવાની સલાહ આપવી જોઇએ. વિદ્યાર્થીઓએ રાત્રે ઉંઘતા પહેલા કોઇનું માર્ગદર્શન સાંભળવુ જઇએ. તેનાથી મન શાંત થાય છે. વિદ્યાર્થીઓએ મેડિટેશન 20 મિનિટ અથવા તેનાથી વધારે સમય સુધી કરવુ જોઇએ.

મહત્વનું છે કે જો તંદુરસ્ત વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દરેક બાળકમાં જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી સિદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">