Vodafone હવે સરકારીકરણ તરફ? જાણો સમગ્ર મામલો

સરકારે થોડા દિવસ પહેલા ટેલિકોમ સેક્ટરને રાહત આપતા ઘણા મહત્વના નિર્ણય લીધા હતા. સરકારે સ્પેક્ટ્રમ ચાર્જિસ અને AGR લેણાંની ચુકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો.

Vodafone હવે સરકારીકરણ તરફ? જાણો સમગ્ર મામલો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 11:04 AM

વોડાફોન આઈડિયા લિમિટેડે (Vodafone Idea Limited) કહ્યું કે ભારત સરકાર (Indian Government) કંપનીમાં 36 ટકા હિસ્સો હસ્તગત કરશે. બોર્ડે કંપનીની જવાબદારીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક અહેવાલ મુજબ આ નિર્ણય બાદ વોડાફોન આઈડિયામાં સૌથી મોટી ભાગીદારી સરકારની પાસે હશે. ત્યારબાદ Vodafone Group Plcની ભાગીદારી 28.5 ટકા, આદિત્ય બિરલા ગ્રુપની ભાગીદારી 17.8 ટકા હશે.

સરકારે થોડા દિવસ પહેલા ટેલિકોમ સેક્ટરને રાહત આપતા ઘણા મહત્વના નિર્ણય લીધા હતા. સરકારે સ્પેક્ટ્રમ ચાર્જિસ અને AGR લેણાંની ચુકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન વ્યાજની ગણતરી ચાલુ રહેશે. જો કંપની ઈચ્છે છે કે વ્યાજનો હિસ્સો ઈક્વિટીમાં કન્વર્ટ કરી દેવામાં આવે તો સરકારે તેની પણ મંજૂરી આપી હતી. સરકારના આ નિર્ણય હેઠળ વોડાફોન આઈડિયા લિમિટેડના બોર્ડે ડ્યૂને ઈક્વિટીમાં બદલવાનો નિર્ણય કર્યો છે.

વ્યાજની હાલની કિંમત લગભગ 16 હજાર કરોડ રૂપિયા

માનવામાં આવી રહ્યું છે કે વ્યાજની નેટ પ્રેજન્ટ વેલ્યુ લગભગ 16 હજાર કરોડ રૂપિયા હશે. આ અનુમાન કંપની તરફ લગાવવામાં આવ્યું છે. જો કે DoT એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટસ મુજબ સરકારને 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ઈક્વિટી ટ્રાન્સફર કરવામાં આવશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

SHA હેઠળ સરકાર અને પ્રમોટર કરશે કામ

ઈક્વિટીમાં ટ્રાન્સફર કર્યા બાદ સરકારની પાસે સૌથી વધારે ભાગીદારી હશે. ત્યારે શું આ કંપની સરકારી થઈ જશે અને તેનું કામકાજ કોણ જોશે, તે મોટો સવાલ છે. વોડાફોન આઈડિયા તરફથી કહેવામાં આવ્યું કે સરકાર અને પ્રમોટરની વચ્ચે ગવર્નન્સનું કામ શેર હોલ્ડર એગ્રીમેન્ટ (SHA) હેઠળ કરવામાં આવશે. પ્રમોટરોના અધિકારો માટે શેરહોલ્ડિંગ મર્યાદા 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવશે. તેના માટે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન (AoA)માં ફેરફાર કરવામાં આવશે.

ટેલીકોમ રાહત પેકેજમાં આ વિકલ્પ આપવામાં આવ્યો હતો

સરકારે ઓક્ટોબર 2021માં ટેલીકોમ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. વોડાફોન આઈડિયાએ 4 વર્ષ માટે સ્પેક્ટ્રમ ચાર્જ અને AGR લેણાં ચૂકવવાનું પસંદ કર્યું નથી. આ 4 વર્ષના મોરેટોરિયમ દરમિયાન ટેલીકોમ કંપનીઓને વ્યાજની ચૂકવણી કરવી પડશે.

ત્યારબાદ DoTએ ટેલીકોમ કંપનીઓને વધુ 90 દિવસનો સમય આપ્યો અને કહ્યું કે જો તે આ વ્યાજને ઈક્વિટીમાં ફેરવવા ઈચ્છે છે તો નિર્ણય લઈ શકે છે. વોડાફોન આઈડિયાએ આ રકમને ઈક્વિટીમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.

એરટેલે ઈક્વિટીમાં ના ફેરવવાનો કર્યો નિર્ણય

ભારતીય એરટેલે પણ ટેલીકોમ રાહત પેકેજ હેઠળ AGR લેણાં અને સ્પેક્ટ્રમ ચાર્જિસ પર મોરેટોરિયમનો લાભ લીધો છે. જો કે તેને વ્યાજને ઈક્વિટીમાં ના ફેરવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Bank Strike : બેંક કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ?

આ પણ વાંચો: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહીત આ 3 રાજ્યમાં સ્થિતિમાં ઝડપી સુધારો

Latest News Updates

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">