21 April 2025
છાશ પીવાના અનેક ફાયદા છે. ગરમીમાં છાશ પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે તેમજ શરીરને એનર્જી મળી રહે છે. બીજું કે, છાશ પીવાથી શરીરને ઠંડક પણ મળી રહે છે.
છાશ પ્રોબાયોટિક્સ હોય છે અને તેમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બી12 જેવા ગુણધારી બેક્ટેરિયા પણ હોય છે.
જો કે, છાશ વધુ માત્રામાં પીવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. આથી છાશને એક માત્રામાં પીવી જોઈએ. તો ચાલો જાણીએ, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
આયુર્વેદ એક્સપર્ટ કિરણ ગુપ્તાનું માનવું છે કે, વ્યક્તિએ દિવસમાં 1 ગ્લાસ છાશ પીવી જોઈએ. એટલે કે 200 થી 300 ગ્રામ જેટલી છાશ પીવી જોઈએ.
એક્સપર્ટનું કહેવું છે કે, લંચ કરતી વખતે પણ છાશ પીવી જોઈએ. જો કે, છાશ વધુ પ્રમાણમાં ખાટી ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
છાશ પીવાથી આંતરડા સ્વસ્થ રહે છે અને પાચનક્રિયામાં પણ સુધાર આવે છે. આથી જ કહેવાય છે કે, કબજિયાત જેવી સમસ્યા હોય તો છાશ પી લેવી જોઈએ.
હવે જો કોઈ વ્યક્તિને શરદી-ઉધરસ કે અસ્થમા જેવી બિમારી છે તો તેને છાશ ન પીવી જોઈએ. જો આવી વ્યક્તિ છાશ પીવે છે તો તેઓને વધુ સમસ્યા થઈ શકે છે.