LIC Stock Fall : અદાણી ગ્રુપમાં મોટું રોકાણ સરકારી કંપનીને રાતા પાણીએ રડાવી રહ્યું છે,8 દિવસમાં 65400 કરોડ રૂપિયા ધોવાયા

LIC Stock Fall : હવે તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો જ હશે કે આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે પરંતુ LICના શેરમાં ઘટાડાનું કારણ શું છે?  અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો હિસ્સો છે. હાલમાં, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC 4.23 ટકા હિસ્સો ધરાવે છે.  વીમા કંપની અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે.

LIC Stock Fall : અદાણી ગ્રુપમાં મોટું રોકાણ સરકારી કંપનીને રાતા પાણીએ રડાવી રહ્યું છે,8 દિવસમાં 65400 કરોડ રૂપિયા ધોવાયા
Mcap decreased due to LIC's stake in Adani group companies
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:43 PM

ભારતીય જીવન વીમા નિગમ –LICના શેરમાં પણ ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી પર થયેલ ટિપ્પણી બાદ સરકારી વીમા કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. LICના માર્કેટ કેપમાં લગભગ 65,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બુધવાર સુધીમાં કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 4,44,141 કરોડથી ઘટીને રૂ. 3,78,740 થયું છે. કંપનીના શેરમાં પાંચ દિવસમાં 14.73 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારી વીમા કંપનીનું કહેવું છે કે તેણે શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ પર અદાણી ગ્રુપના મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માંગી છે. બીજી તરફ સરકારી વીમા કંપનીએ એક નિવેદન જારી કરીને એ પણ કહ્યું કે ગ્રુપ કંપનીઓમાં રોકાણ પર તેનો નફો ઘણો સારો રહ્યો છે.

અદાણી સાથે LICનું શું જોડાણ છે?

કંપનીનો શેર આજે બપોરે 2.22 વાગે  0.66ટકા ઘટીને રૂ.594.50 પર હતો. હવે એ સમજવું પડશે કે LICના શેર ઘટવા પાછળનું કારણ શું છે? એનો જવાબ એ છે કે  સરકારી વીમા કંપનીના શેરમાં ઘટાડાને સીધો સંબંધ અદાણી ગ્રૂપ પરના હિંડનબર્ગ રિપોર્ટ સાથે છે. યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગના અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણી જૂથે છેલ્લા કેટલાક દાયકાઓમાં શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ સંબંધિત છેતરપિંડી કરી છે. જોકે, અદાણી ગ્રુપે આ દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો હતો.

અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો કેટલો હિસ્સો છે?

હવે તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો જ હશે કે આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે પરંતુ LICના શેરમાં ઘટાડાનું કારણ શું છે?  અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો હિસ્સો છે. હાલમાં, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC 4.23 ટકા હિસ્સો ધરાવે છે.  વીમા કંપની અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. અનુભવી વીમા કંપની પણ તાજેતરમાં અદાણીના શેર વેચાણમાં મુખ્ય રોકાણકાર હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સરકારી વીમા કંપનીનું કહેવું છે કે તેણે શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ પર અદાણી ગ્રુપના મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માંગી છે. બીજી તરફ સરકારી વીમા કંપનીએ એક નિવેદન જારી કરીને એ પણ કહ્યું કે ગ્રુપ કંપનીઓમાં રોકાણ પર તેનો નફો ઘણો સારો રહ્યો છે. તેમના મતે, કંપનીના સ્ટોક અને બોન્ડના રોકાણે લગભગ 100 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપનું શેર અને બોન્ડ્સમાં ખૂબ ઓછું રોકાણ છે. ઉલ્લેખનીય છે કે કેમ્પના શેરમાં સતત ઘટના સાથે અદાણીએ એની કંપનીનો FPO  પણ સ્થગિત કરી દીધો છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">