AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI ગવર્નર શક્તિકાંત દાસે ભારતની આર્થિક સ્થિતિ અંગે આપ્યુ નિવેદન, કહ્યું- આપણી અર્થવ્યવસ્થા દુનિયા કરતા સારી

શક્તિકાંત દાસે (Shaktikanta Das) શુક્રવારે જણાવ્યું હતું કે વિકસિત અર્થતંત્રો અને વિકાસશીલ દેશોની કરન્સીની સરખામણીમાં ભારતીય રૂપિયો પ્રમાણમાં મજબૂત સ્થિતિમાં છે. સ્થાનિક ચલણ થોડા દિવસો પહેલા જ 80 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયું હતું.

RBI ગવર્નર શક્તિકાંત દાસે ભારતની આર્થિક સ્થિતિ અંગે આપ્યુ નિવેદન, કહ્યું- આપણી અર્થવ્યવસ્થા દુનિયા કરતા સારી
Shaktikant Das - RBI Governor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 1:12 PM
Share

ભારતીય રિઝર્વ બેંકના (Reserve Bank of India) ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) શુક્રવારે જણાવ્યું હતું કે વિકસિત અર્થતંત્રો અને વિકાસશીલ દેશોની કરન્સીની સરખામણીમાં ભારતીય રૂપિયો પ્રમાણમાં મજબૂત સ્થિતિમાં છે. નોંધનીય છે કે સ્થાનિક ચલણ થોડા દિવસો પહેલા જ 80 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયું હતું. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક રૂપિયામાં તીવ્ર વધઘટ અને અસ્થિરતાને બિલકુલ સહન કરશે નહીં. તેમણે કહ્યું કે આરબીઆઈના પગલાથી રૂપિયાના સરળ વેપારમાં મદદ મળી છે.

બજારમાં અમેરિકી ડોલરનો પુરવઠો આપી રહી છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક બજારમાં યુએસ ડૉલરનો પુરવઠો પૂરો પાડે છે અને આ રીતે બજારમાં રોકડ (તરલતા)નો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આરબીઆઈએ રૂપિયાનું કોઈ ચોક્કસ સ્તર લક્ષ્ય નક્કી કર્યું નથી.

વિદેશી ચલણના અનિયંત્રિત ઉધાર અંગે ચિંતા કરવાની જરૂર નથી

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે વિદેશી ચલણના અનિયંત્રિત ઉધાર અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં આવા વ્યવહારો કરવામાં આવે છે અને જરૂર પડ્યે સરકાર હસ્તક્ષેપ કરી શકે છે અને મદદ કરી શકે છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2016 માં અપનાવવામાં આવેલ ફુગાવાના લક્ષ્યાંક માટેનું વર્તમાન માળખું ખૂબ જ સારી રીતે કામ કર્યું છે, ભારપૂર્વક જણાવ્યું હતું કે તે અર્થતંત્ર અને નાણાકીય ક્ષેત્રના હિતમાં ચાલુ રાખવું જોઈએ.

વર્ષ 2014 થી રૂપિયો 25% ઘસાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ડિસેમ્બર 2014થી રૂપિયામાં 25 ટકાનો ઘટાડો થયો છે. આ માટે તેણે પ્રથમ બે મહત્વપૂર્ણ પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. પ્રથમ ક્રૂડ ઓઈલની કિંમત અને બીજી યુક્રેન પર રશિયાનો હુમલો છે. યુક્રેન પર હુમલા બાદ જ કાચા તેલની કિંમતો વધવા લાગી હતી અને તે પ્રતિ બેરલ 140 ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી. ભારત તેની જરૂરિયાતના 85 ટકા તેલની આયાત કરે છે. આવી સ્થિતિમાં ભારત માટે ક્રૂડની કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

આરબીઆઈના ડેટા અનુસાર ડોલર સામે રૂપિયાની સ્થિતિ આ મુજબ રહી છે

  • 31 ડિસેમ્બર 2015ના રોજ ડોલર દીઠ વિનિમય દર રૂ. 66.33 નોંધાયું હતું.
  • ડિસેમ્બર 2016માં 1 ડોલરનું મૂલ્ય  67.95 રૂપિયા  હતું
  • 29 ડિસેમ્બર 2017ના રોજ રૂ. 63.93, 31 હતું.
  • ડિસેમ્બર 2018ના રોજ રૂ. 69.79 ના ભાવે ટ્રેડ થયો હતો
  • 31 ડિસેમ્બર 2019ના રોજ રૂ. 71.27  હતો.
  • ડિસેમ્બર 2019ના રોજ રૂ. 71.27 ના ભાવે ટ્રેડ થયો હતો.
  • ડિસેમ્બર 2021 માં 73.20રૂપિયા અને આજે તે 80ને પાર કરી ગયો છે.

g clip-path="url(#clip0_868_265)">