AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harshad Mehta ની પત્નીએ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઈટ, જાણો પરિવારનો દાવો શું છે?

1992 ના ભારતીય શેરબજાર(Share Market)માં ભૂકંપ લાવનાર કરોડો રૂપિયાના કૌભાંડ(1992 Indian stock market scam)ના મુખ્ય આરોપી હર્ષદ મહેતા(Harshad Mehta) નું ડિસેમ્બર 2001 માં જેલમાં મૃત્ય થયું હતું. તેમની પત્ની જ્યોતિ હર્ષદ મહેતા (Jyoti Mehta - Harshad Mehta's Wife) એ એક વેબસાઈટ દ્વારા માહિતી જાહેર કરી પતિને નિર્દોષ સાબિત કરવા પ્રયાસ હાથ ધર્યા છે.

Harshad Mehta ની પત્નીએ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઈટ, જાણો પરિવારનો દાવો શું છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:01 AM
Share

1992 ના ભારતીય શેરબજાર(Share Market)માં ભૂકંપ લાવનાર કરોડો રૂપિયાના કૌભાંડ(1992 Indian stock market scam)ના મુખ્ય આરોપી 29 જુલાઈ1954એ જન્મેલા (Harshad Mehta Birthday)હર્ષદ મહેતા(Harshad Mehta) નું ડિસેમ્બર 2001 માં જેલમાં મૃત્ય થયું હતું.

હવે આ ઘટનાને બે દાયકાથી વધુ સમય બાદ તેમની પત્ની જ્યોતિ હર્ષદ મહેતા (Jyoti Mehta – Harshad Mehta’s Wife) એ એક વેબસાઈટ દ્વારા માહિતી જાહેર કરી પતિને નિર્દોષ સાબિત કરવા પ્રયાસ હાથ ધર્યા છે.આ સાથે જ્યોતિએ એ જેલ જ્યાં હર્ષદ મહેતા મૃત્યુ પામ્યા હતા ત્યાંના સત્તાવાળાઓ પર તેના હર્ષદ મહેતાને સમયસર તબીબી સારવાર આપવામાં બેદરકારી દાખવવાનો આરોપ પણ મૂક્યો છે.

હર્ષદ મહેતાના પરિવારે https://www.harshadmehta.in/ નામની વેબસાઇટ શરૂ કરી છે. પરિવારનો દાવો છે કે લોકોને હર્ષદ વિશેની સાચી હકીકતથી વાકેફ કરવા માટે આ વેબસાઈટ શરૂ કરવામાં આવી છે.

જ્યોતિ મહેતાએ વેબસાઈટ પર લખ્યું કે તેમના ઘા હજુ પણ તાજા છે અને 20 વર્ષ પછી પણ તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. પરિવારનું કહેવું છે કે હર્ષદ મહેતા (Harshad Mehta Scam) અને તેની કહાની આજે પણ લોકોમાં મીડિયા અને ફિલ્મોના કારણે જીવંત છે. ચર્ચાઓ વચ્ચે આક્ષેપો અને તેનું સત્ય લોકોને જણાવવા માટે આ વેબસાઇટ શરૂનો દાવો કરવામાં આવ્યો છે.

54 દિવસની અટકાયત બાદ જેલમાં હર્ષદ મેહતા મૃત્યુ પામ્યા હતા

એક સમયે શેરબજારના બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના પત્ની જ્યોતિ મહેતાએ કહ્યું છે કે 30 ડિસેમ્બર 2001ના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે અમને હર્ષદના મૃત્યુના સમાચાર મળ્યા હતા. થાણે જેલમાં 54 દિવસની અટકાયત પછી મારા પતિનું અચાનક અને દુઃખદ અવસાન થયું હતું. તે 47 વર્ષના હતા અને સંપૂર્ણ સ્વસ્થ હતા. હર્ષદ મહેતાનો પણ હ્રદયરોગ સંબંધિત અગાઉનો કોઈ રેકોર્ડ નહોતો. પોતાનું દર્દ વ્યક્ત કરતાં જ્યોતિ મહેતાએ કહ્યું હતું કે અમે અમારા દુશ્મનોને પણ આવી સજા અને આવી દુ:ખદ મૃત્યુ ઈચ્છતા નથી.

હર્ષદનું મૃત્યુ કેવી રીતે થયું તે સામે પ્રશ્નો ઉઠ્યા

  1. હર્ષદ મહેતા પર ઘણા કેસ ચાલતા હતા પરંતુ તેઓ માત્ર એક જ કેસમાં દોષી સાબિત થયા હતા.
  2. હાઈકોર્ટે તેને દોષિત ઠેરવતા પાંચ વર્ષની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
  3. હર્ષદ મહેતા થાણે જેલમાં બંધ હતા.
  4. 31 ડિસેમ્બર, 2001 ના રોજ મોડી રાત્રે તેણે પીડાની ફરિયાદ કરી હતી
  5. હર્ષદને થાણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થયું હતું.

બે દાયકા બાદ પણ રિકવરી થઈ હોવાના દાવા

કૌભાંડના 25 વર્ષ પછી પણ હર્ષદના પરિવાર પાસેથી રિકવરી કરાઈ છે. કસ્ટોડિયને મહેતાની મિલકતો વેચી અને બેંકો અને આવકવેરા વિભાગને મોટી રકમ સોંપી છે. વર્ષ 2017માં મહેતાના પરિવારના સભ્યોએ બેંકને 614 કરોડ રૂપિયા સોંપ્યા હતા.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">