AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Hallmarking : દેશમાં 5 મહિનામાં 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક થયા, સવા લાખ જવેલર્સ રજીસ્ટ્રેશન સાથે શુદ્ધતાથી ખાતરી આપી રહ્યા છે

આ વર્ષે 30 નવેમ્બર સુધી દેશમાં 1.26 લાખ જ્વેલર્સે હોલમાર્કિંગ માટે નોંધણી કરાવી છે અને તેઓ BISમાં નોંધાયેલા છે.1 જુલાઈથી 30 નવેમ્બરના સમયગાળામાં લગભગ 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક કરવામાં આવ્યા છે.

Gold Hallmarking : દેશમાં 5 મહિનામાં 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક થયા, સવા લાખ જવેલર્સ રજીસ્ટ્રેશન સાથે શુદ્ધતાથી ખાતરી આપી રહ્યા છે
Gold Hallmarking
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:24 AM
Share

સરકારે બુધવારે સંસદમાં સોનાના હોલમાર્કિંગ( Gold Hallmarking)ને લગતી અગત્યની માહિતી આપી છે. સરકારે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1.26 લાખ જ્વેલર્સે 30 નવેમ્બર સુધી હોલમાર્કિંગ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કેટલા જ્વેલરીનું હોલમાર્કિંગ કરવામાં આવ્યું છે. સરકારે તાજેતરમાં જ સોનાના હોલમાર્કિંગને ફરજિયાત બનાવ્યું હતું, જે અંતર્ગત હવે તમામ સોનાના દાગીના હોલમાર્કિંગની ગેરંટી સાથે વેચવામાં આવશે.

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન કેન્દ્રીય ખાદ્ય અને પીડીએસ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં સોનાના હોલમાર્કિંગ વિશે માહિતી આપી હતી. ચૌબેએ કહ્યું કે આ વર્ષે 30 નવેમ્બર સુધી દેશમાં 1.26 લાખ જ્વેલર્સે હોલમાર્કિંગ માટે નોંધણી કરાવી છે અને તેઓ BISમાં નોંધાયેલા છે. અશ્વિની ચૌબેએ સંસદમાં જણાવ્યું હતું કે 1 જુલાઈથી 30 નવેમ્બરના સમયગાળામાં લગભગ 4.29 કરોડ સોનાના દાગીના હોલમાર્ક કરવામાં આવ્યા છે.

હોલમાર્કિંગ શુદ્ધતાની ખાતરી આપે છે જ્યારથી સરકારે સોનાના હોલમાર્કિંગને ફરજિયાત બનાવ્યું છે ત્યારથી સોનાના હોલમાર્કિંગનું કામ તેજ થયું છે. જો કે, જ્વેલર્સના કેટલાક સંગઠનો આના વિરોધમાં છે જેઓ કહે છે કે સરકારે પહેલા હોલમાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવું જોઈએ તે પછી હોલમાર્કિંગ ફરજિયાત બનાવવું જોઈએ. ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી આપવા માટે સરકારે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. હોલમાર્કિંગ જ્વેલરીની શુદ્ધતાની બાંયધરી આપે છે અને ગ્રાહકને તેણે ચૂકવેલા પૈસા માટે યોગ્ય વસ્તુ મળે છે.

નિયમ ક્યારે ફરજિયાત બન્યો? સરકારે 23 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું હતું, જે વિવિધ તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કા માટે સરકારે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 256 જિલ્લાઓની ઓળખ કરી છે જ્યાં ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ ફરજિયાતપણે લાગુ થશે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ લોકસભામાં એક લેખિત જવાબમાં હોલમાર્કિંગ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર 30 નવેમ્બર સુધી દેશમાં લગભગ 1,26,373 જ્વેલર્સે પોતાની નોંધણી કરાવી છે.

યોજનાને સફળ બનાવવા જોર અપાયું અશ્વિની ચૌબેએ લોકસભામાં જણાવ્યું હતું કે ગોલ્ડ હોલમાર્કિંગનો નિયમ 15 જાન્યુઆરી 2021થી ફરજિયાત કરવામાં આવ્યો હતો પરંતુ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તેને 1 જૂનથી લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે દિવસથી ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત છે અને જો તેના નિયમોનું પાલન ન થાય તો કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જો કે, એકસાથે તેનો અમલ કરવાને બદલે તબક્કાવાર અલગ-અલગ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર સરકારે હોલમાર્કિંગને લઈને તમામ અલગ-અલગ પક્ષો સાથે વાત કરી છે. જ્વેલરી ઉત્પાદકો, નિકાસકારો, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ અને ગ્રાહક સંગઠનોના પ્રતિનિધિઓ આમાં સામેલ હતા.

આ પણ વાંચો :  Investment Tips : આ ચાર રોકાણ તમને સારા રિટર્ન સાથે આપશે ટેક્સ સેવિંગનો લાભ, જાણો વિગતવાર

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">