AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips : આ ચાર રોકાણ તમને સારા રિટર્ન સાથે આપશે ટેક્સ સેવિંગનો લાભ, જાણો વિગતવાર

નિષ્ણાતો કહે છે કે જ્યાં તમને ડબલ લાભ મળે ત્યાં પૈસાનું રોકાણ કરવું વધુ સારું રહેશે. જોકે નફાની સાથે ટેક્સની બચત પણ થવી જોઈએ

Investment Tips  : આ ચાર રોકાણ તમને સારા રિટર્ન સાથે આપશે ટેક્સ સેવિંગનો લાભ, જાણો વિગતવાર
Investment Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:16 AM
Share

નિષ્ણાતો માને છે કે નોકરી શરૂ કરતાની સાથે જ વ્યક્તિએ તેના ભવિષ્ય માટે બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પગાર વધારે હોય કે ઓછો કંઈક તો બચાવવું જ જોઈએ. નિષ્ણાતો કહે છે કે જ્યાં તમને ડબલ લાભ મળે ત્યાં પૈસાનું રોકાણ કરવું વધુ સારું રહેશે. જોકે નફાની સાથે ટેક્સની બચત પણ થવી જોઈએ. અમે એવા કેટલાક રોકાણ વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે તમારા પગારનું રોકાણ કરી શકો છો.

(1) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ લાંબા ગાળાના રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે. તે સુરક્ષિત રોકાણ સાથે વધુ સારું વ્યાજ આપે છે. PPF પર વ્યાજ દર હંમેશા 7 ટકાથી 8 ટકા રહ્યો છે. આર્થિક સ્થિતિના આધારે તેમાં થોડો વધારો અથવા ઘટાડો થઈ શકે છે. હાલમાં PPF પર વ્યાજ દર 7.1 ટકા છે જે વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય છે. PPF જેવી નાની બચત યોજનાઓ પરના વ્યાજની સરકાર દ્વારા દર ત્રિમાસિકમાં સમીક્ષા કરવામાં આવે છે. PPF રોકાણ EEE કેટેગરીમાં કરમુક્ત છે. મેળવેલ વ્યાજ પણ કરમુક્ત હશે અને પાકતી મુદતની રકમ પણ સંપૂર્ણપણે કરમુક્ત હશે.

(2) સોનું(Gold) સોનું રોકાણ માટે પણ સારો વિકલ્પ છે. તેમાં રોકાણ કરવાની ઘણી રીતો છે જેમ કે ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ કોઇન્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ. આમાં ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ સ્કીમ વધુ સારી છે કારણ કે તેમાં ચોરીનો ભય નથી. નિષ્ણાતો માને છે કે રોકાણકારોએ પણ તેમના રોકાણનો એક ભાગ સોનામાં રોકવો જોઈએ. આ તેના પોર્ટફોલિયોને સંતુલિત રાખે છે.

(3) ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ(Equity Mutual Funds) નિષ્ણાતો સૂચવે છે કે પગારદાર લોકોએ તેમના રોકાણનો એક ભાગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવો જોઈએ. મ્યુચ્યુઅલમાં SIP દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. આમાં રોકાણકારોને શેરબજારમાં આવેલી તેજીનો લાભ મળે છે. અહીં તમે રૂ 500થી ઓછી કિંમતમાં રોકાણ શરૂ કરી શકો છો. આવા રોકાણકારો જેમણે નોકરી શરૂ કરી છે તેઓ અહીં રોકાણ કરી શકે છે. તેમના માટે આ એક સારો વિકલ્પ છે.

(4) રિકરિંગ ડિપોઝિટ (RD) તમે દર મહિને રિકરિંગ ડિપોઝિટ RDમાં થોડું-થોડું રોકાણ કરી શકો છો. નિયમિત બચતના સંદર્ભમાં આ એક સારો વિકલ્પ છે. મોટાભાગની બેંકો રિકરિંગ ડિપોઝિટમાં લઘુત્તમ રોકાણ મર્યાદા રૂ. 500 ધરાવે છે. આમાં વ્યાજદર પણ અલગ-અલગ હોય છે. SBI રિકરિંગ ડિપોઝિટ 5 થી 5.4 સુધી વ્યાજ આપે છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો :  EPFO : કર્મચારીઓને નિઃશુલ્ક મળશે 7 લાખનો લાભ, જાણો વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">