Investment Tips : આ ચાર રોકાણ તમને સારા રિટર્ન સાથે આપશે ટેક્સ સેવિંગનો લાભ, જાણો વિગતવાર

નિષ્ણાતો કહે છે કે જ્યાં તમને ડબલ લાભ મળે ત્યાં પૈસાનું રોકાણ કરવું વધુ સારું રહેશે. જોકે નફાની સાથે ટેક્સની બચત પણ થવી જોઈએ

Investment Tips  : આ ચાર રોકાણ તમને સારા રિટર્ન સાથે આપશે ટેક્સ સેવિંગનો લાભ, જાણો વિગતવાર
Investment Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:16 AM

નિષ્ણાતો માને છે કે નોકરી શરૂ કરતાની સાથે જ વ્યક્તિએ તેના ભવિષ્ય માટે બચત કરવાનું શરૂ કરી દેવું જોઈએ. પગાર વધારે હોય કે ઓછો કંઈક તો બચાવવું જ જોઈએ. નિષ્ણાતો કહે છે કે જ્યાં તમને ડબલ લાભ મળે ત્યાં પૈસાનું રોકાણ કરવું વધુ સારું રહેશે. જોકે નફાની સાથે ટેક્સની બચત પણ થવી જોઈએ. અમે એવા કેટલાક રોકાણ વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે તમારા પગારનું રોકાણ કરી શકો છો.

(1) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એ લાંબા ગાળાના રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે. તે સુરક્ષિત રોકાણ સાથે વધુ સારું વ્યાજ આપે છે. PPF પર વ્યાજ દર હંમેશા 7 ટકાથી 8 ટકા રહ્યો છે. આર્થિક સ્થિતિના આધારે તેમાં થોડો વધારો અથવા ઘટાડો થઈ શકે છે. હાલમાં PPF પર વ્યાજ દર 7.1 ટકા છે જે વાર્ષિક ચક્રવૃદ્ધિ થાય છે. PPF જેવી નાની બચત યોજનાઓ પરના વ્યાજની સરકાર દ્વારા દર ત્રિમાસિકમાં સમીક્ષા કરવામાં આવે છે. PPF રોકાણ EEE કેટેગરીમાં કરમુક્ત છે. મેળવેલ વ્યાજ પણ કરમુક્ત હશે અને પાકતી મુદતની રકમ પણ સંપૂર્ણપણે કરમુક્ત હશે.

(2) સોનું(Gold) સોનું રોકાણ માટે પણ સારો વિકલ્પ છે. તેમાં રોકાણ કરવાની ઘણી રીતો છે જેમ કે ગોલ્ડ ઇટીએફ, ગોલ્ડ કોઇન્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ. આમાં ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ સ્કીમ વધુ સારી છે કારણ કે તેમાં ચોરીનો ભય નથી. નિષ્ણાતો માને છે કે રોકાણકારોએ પણ તેમના રોકાણનો એક ભાગ સોનામાં રોકવો જોઈએ. આ તેના પોર્ટફોલિયોને સંતુલિત રાખે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

(3) ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ(Equity Mutual Funds) નિષ્ણાતો સૂચવે છે કે પગારદાર લોકોએ તેમના રોકાણનો એક ભાગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવો જોઈએ. મ્યુચ્યુઅલમાં SIP દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું વધુ સારું રહેશે. આમાં રોકાણકારોને શેરબજારમાં આવેલી તેજીનો લાભ મળે છે. અહીં તમે રૂ 500થી ઓછી કિંમતમાં રોકાણ શરૂ કરી શકો છો. આવા રોકાણકારો જેમણે નોકરી શરૂ કરી છે તેઓ અહીં રોકાણ કરી શકે છે. તેમના માટે આ એક સારો વિકલ્પ છે.

(4) રિકરિંગ ડિપોઝિટ (RD) તમે દર મહિને રિકરિંગ ડિપોઝિટ RDમાં થોડું-થોડું રોકાણ કરી શકો છો. નિયમિત બચતના સંદર્ભમાં આ એક સારો વિકલ્પ છે. મોટાભાગની બેંકો રિકરિંગ ડિપોઝિટમાં લઘુત્તમ રોકાણ મર્યાદા રૂ. 500 ધરાવે છે. આમાં વ્યાજદર પણ અલગ-અલગ હોય છે. SBI રિકરિંગ ડિપોઝિટ 5 થી 5.4 સુધી વ્યાજ આપે છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો :  EPFO : કર્મચારીઓને નિઃશુલ્ક મળશે 7 લાખનો લાભ, જાણો વિગતવાર

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">