શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?
19 એપ્રિલ, 2025
જાંબુના બીજનો ઉપયોગ પરંપરાગત રીતે ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે થાય છે. પરંતુ શું આ પાછળ કોઈ વૈજ્ઞાનિક પુરાવા છે? ચાલો સંશોધનના આધારે જાણીએ.
જાંબુના બીજમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ અને ગ્લાયકોસાઈડ્સ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
ક્લિનિકલ સ્ટડીમાં શું થયું? પ્રાણીઓ પર અભ્યાસ પણ કરવામાં આવ્યો છે
સંશોધન સૂચવે છે કે જાંબુના બીજ ઇન્સ્યુલિનની ક્રિયાને વધારી શકે છે અને સ્વાદુપિંડના બીટા કોષોને સક્રિય કરી શકે છે, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધે છે.
નિયમિત રીતે જાંબુના બીજ પાવડર લેવાથી Fasting અને PP શૂગર લેવલમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ પાવડર પાચનશક્તિ અને યકૃત માટે પણ લાભદાયી છે.
આ પાવડર પાચનશક્તિ અને યકૃત માટે પણ લાભદાયી છે.
જાંબુના બીજને સુકવીને પાવડર બનાવો અને દરરોજ 1-2 ચમચી ગરમ પાણી સાથે લો. જોકે, તેને તમારી નિયમિત દવાઓના વિકલ્પ તરીકે ન લો.
વધુ પડતા સેવનથી લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું (હાઈપોગ્લાયકેમિઆ), પેટની સમસ્યાઓ અને એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે. તેથી, તેને મર્યાદિત માત્રામાં અને માત્ર ડૉક્ટરની સલાહ પર જ લો.
દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જાંબુના બીજનો ઉપયોગ શરૂ કરતા પહેલા, ડૉક્ટરની સલાહ લો જેથી યોગ્ય માત્રા નક્કી કરી શકાય.