AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી નાણાકીય વર્ષમાં દેશની GDP ઘટશે, ફુગાવાને પણ અસર કરશેઃ રિપોર્ટ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસને અસર થશે. રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં સમસ્યા અને વેપારની સમસ્યા સર્જાઈ રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી નાણાકીય વર્ષમાં દેશની GDP ઘટશે, ફુગાવાને પણ અસર કરશેઃ રિપોર્ટ
GDP-2 (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 1:24 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) ના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ (GDP Growth)ને અસર થશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં વિક્ષેપ અને વેપારની સમસ્યા સર્જાઈ રહી છે. આ સાથે, આગામી છથી આઠ મહિનામાં ફુગાવામાં સંભવિત તીવ્ર વધારો, નાણાકીય દબાણ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD),આ તમામ પરિબળો આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ પર ખરાબ અસર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્રીઓના મતે નાણાકીય વર્ષ 2023માં વૃદ્ધિ 8 ટકાથી ઓછી રહેવાની આશા છે. તેમણે મોંઘવારીની અસર ઘટાડવા માટે તેલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.

31 જાન્યુઆરીએ રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2023માં વૃદ્ધિ 8 થી 8.5 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો. થોડા દિવસો પહેલા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ માટે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ 7.1 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.

તેલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે

તેલના ભાવ લગભગ એક દાયકાના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. HDFC બેન્ક FY2023માં CAD 2.3 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. ખાનગી બેંકે નાણાકીય વર્ષ 2023 માટે તેના વિકાસનું અનુમાન અગાઉના અંદાજિત 8.2 ટકાથી ઘટાડીને 7.9 ટકા કર્યું છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.3 ટકા હતી, જે અગાઉના ક્વાર્ટરમાં 0.9 ટકાના ચાલુ ખાતાની સરપ્લસ હતી. સરકાર આ મહિનાના અંત સુધીમાં ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરશે. અહેવાલ મુજબ, ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે તેમનો અંદાજ છે કે સરેરાશ ક્રૂડ ઓઇલના ભાવમાં દર 10 ડોલરનો વધારો CADમાં 14 થી 15 અબજ ડોલરનો વધારો કરશે. બીજા મુખ્ય સંકેતકો પર થતી અસરને જોઇ રહ્યા છે.

નોમૂરાએ 4 માર્ચ જાહેર એક રિપોર્ટમાં કહેવામાં

4 માર્ચે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં, નોમુરાએ કહ્યું હતું કે એકંદરે, ભારત પર મર્યાદિત સીધી અસર, પુરવઠામાં વિક્ષેપ અને વર્તમાન વેપાર અવરોધોને કારણે વૃદ્ધિ અવરોધાશે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આના કારણે મોંઘવારી દરમાં તીવ્ર વધારો થશે. આ સાથે ચાલુ ખાતાની ડેફેન્સિટ વધશે. નોમુરાના અહેવાલ મુજબ, ઉર્વરકો પર વધુ સબસિડી અને ગ્રાહકોને બચાવવા ટેક્સમાં સંભવિત ઘટાડાથી પણ ફિઝિકલ ફાઇનાન્સને ફટકો પડશે.

આ પણ વાંચો :JEE Mains 2022: NTAએ JEE મુખ્ય અભ્યાસક્રમ બહાર પાડ્યો છે, આ વિષયો માટે ચોક્કસપણે તૈયારી કરો

આ પણ વાંચો :ક્રૂડ ઓઈલમાં તેજીને કારણે રૂપિયો ગગડ્યો, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોચ્યો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">