AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી નાણાકીય વર્ષમાં દેશની GDP ઘટશે, ફુગાવાને પણ અસર કરશેઃ રિપોર્ટ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસને અસર થશે. રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં સમસ્યા અને વેપારની સમસ્યા સર્જાઈ રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આગામી નાણાકીય વર્ષમાં દેશની GDP ઘટશે, ફુગાવાને પણ અસર કરશેઃ રિપોર્ટ
GDP-2 (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 1:24 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War) ના કારણે આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ (GDP Growth)ને અસર થશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્લાયમાં વિક્ષેપ અને વેપારની સમસ્યા સર્જાઈ રહી છે. આ સાથે, આગામી છથી આઠ મહિનામાં ફુગાવામાં સંભવિત તીવ્ર વધારો, નાણાકીય દબાણ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD),આ તમામ પરિબળો આગામી નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ પર ખરાબ અસર કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્રીઓના મતે નાણાકીય વર્ષ 2023માં વૃદ્ધિ 8 ટકાથી ઓછી રહેવાની આશા છે. તેમણે મોંઘવારીની અસર ઘટાડવા માટે તેલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે.

31 જાન્યુઆરીએ રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2023માં વૃદ્ધિ 8 થી 8.5 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો. થોડા દિવસો પહેલા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ માટે ભારતની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ 7.1 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.

તેલના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે

તેલના ભાવ લગભગ એક દાયકાના સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. HDFC બેન્ક FY2023માં CAD 2.3 ટકા રહેવાની અપેક્ષા રાખે છે. ખાનગી બેંકે નાણાકીય વર્ષ 2023 માટે તેના વિકાસનું અનુમાન અગાઉના અંદાજિત 8.2 ટકાથી ઘટાડીને 7.9 ટકા કર્યું છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 1.3 ટકા હતી, જે અગાઉના ક્વાર્ટરમાં 0.9 ટકાના ચાલુ ખાતાની સરપ્લસ હતી. સરકાર આ મહિનાના અંત સુધીમાં ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરશે. અહેવાલ મુજબ, ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે તેમનો અંદાજ છે કે સરેરાશ ક્રૂડ ઓઇલના ભાવમાં દર 10 ડોલરનો વધારો CADમાં 14 થી 15 અબજ ડોલરનો વધારો કરશે. બીજા મુખ્ય સંકેતકો પર થતી અસરને જોઇ રહ્યા છે.

નોમૂરાએ 4 માર્ચ જાહેર એક રિપોર્ટમાં કહેવામાં

4 માર્ચે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં, નોમુરાએ કહ્યું હતું કે એકંદરે, ભારત પર મર્યાદિત સીધી અસર, પુરવઠામાં વિક્ષેપ અને વર્તમાન વેપાર અવરોધોને કારણે વૃદ્ધિ અવરોધાશે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આના કારણે મોંઘવારી દરમાં તીવ્ર વધારો થશે. આ સાથે ચાલુ ખાતાની ડેફેન્સિટ વધશે. નોમુરાના અહેવાલ મુજબ, ઉર્વરકો પર વધુ સબસિડી અને ગ્રાહકોને બચાવવા ટેક્સમાં સંભવિત ઘટાડાથી પણ ફિઝિકલ ફાઇનાન્સને ફટકો પડશે.

આ પણ વાંચો :JEE Mains 2022: NTAએ JEE મુખ્ય અભ્યાસક્રમ બહાર પાડ્યો છે, આ વિષયો માટે ચોક્કસપણે તૈયારી કરો

આ પણ વાંચો :ક્રૂડ ઓઈલમાં તેજીને કારણે રૂપિયો ગગડ્યો, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોચ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">