શત્રુને પણ મિત્ર બનાવી દેશે આજનો ઉપાય ! બસ, મિત્ર સપ્તમીએ આ રીતે સૂર્ય દેવતાને કરી લો પ્રસન્ન !

લૌકિક માન્યતા અનુસાર આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને (Person) ચર્મરોગ તેમજ નેત્ર રોગમાં રાહતની પ્રાપ્તિ થતી હોય છે. એટલું જ નહીં, આ વ્રત વ્યક્તિને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ કરાવનારું પણ મનાય છે !

શત્રુને પણ મિત્ર બનાવી દેશે આજનો ઉપાય ! બસ, મિત્ર સપ્તમીએ આ રીતે સૂર્ય દેવતાને કરી લો પ્રસન્ન !
Lord sun (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 29, 2022 | 6:15 AM

સૂર્ય દેવતા એ પ્રત્યક્ષ દેવતા તરીકે પૂજાય છે. સમગ્ર વર્ષ દરમિયાન એવી અનેક તિથિઓ આવે છે કે જે દિવસે સૂર્ય ઉપાસનાનો સવિશેષ મહિમા રહેલો હોય છે. જેમ કે મકર સંક્રાંતિ, ભાનુ સપ્તમી, મિત્ર સપ્તમી વગેરે. ગુજરાતી પંચાંગ અનુસાર માગશર માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિને મિત્ર સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે. અને આજે 29 નવેમ્બર, મંગળવારના રોજ આ જ રૂડો અવસર છે. ત્યારે આવો, આપણે પણ આ વ્રતની મહત્તાને જાણીએ.

મિત્ર સપ્તમી માહાત્મ્ય

સૂર્ય દેવતાના તો ઘણાં બધાં નામ છે. તેમાંથી જ એક છે ‘મિત્ર’ ! મિત્ર સપ્તમીના અવસરે સૂર્ય દેવતાના નામનું વ્રત રાખવામાં આવે છે. માન્યતા અનુસાર મિત્ર સપ્તમીના વ્રતમાં તો, શત્રુને પણ મિત્ર બનાવી દેવાનું સામર્થ્ય છે ! એટલે કે, આ વ્રત વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધોને દૂર કરનારું છે. તો, લૌકિક માન્યતા અનુસાર આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને ચર્મરોગ તેમજ નેત્ર રોગમાં રાહતની પ્રાપ્તિ થતી હોય છે. એટલું જ નહીં આ વ્રત દીર્ઘ આયુષ્યની પણ પ્રાપ્તિ કરાવનારું છે. પણ, તેના માટે જરૂરી છે એ છે કે વ્રતને સંપૂર્ણપણે નિયમાનુસાર કરવામાં આવે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વ્રતની વિધિ

⦁ મિત્ર સપ્તમીના દિવસે તીર્થસ્નાનનો મહિમા છે. પણ, તે ન થઈ શકે તો સવારે નિત્યકર્મથી પરવારીને સર્વ પ્રથમ સૂર્ય દેવતાને વંદન કરવા.

⦁ તાંબાના કળશમાં જળ ભરી તેમાં ચંદન, લાલ પુષ્પ તેમજ ચોખા મિશ્રિત કરીને સૂર્ય દેવતાને અર્ઘ અર્પણ કરવું.

⦁ શક્ય હોય તો ખુલ્લા આકાશ નીચે બેસીને સૂર્ય મંત્રનો જાપ કરો. કારણ કે આજના દિવસે સૂર્યના કિરણોને ગ્રહણ કરવા ખૂબ જ ફળદાયી મનાય છે. તો, સૂર્યકૃપા પ્રાપ્ત કરાવનારો સરળ ફળદાયી મંત્ર છે “ૐ મિત્રાય નમઃ ।”

⦁ આ દિવસે તેલ અને મીઠાનો સંપૂર્ણપણે ત્યાગ કરવો.

⦁ વ્રત કરનારે આ દિવસે ભોજનમાં માત્ર મીઠા ફળો જ ગ્રહણ કરવા જોઈએ.

⦁ કહે છે કે જે વ્યક્તિ મિત્ર સપ્તમીના અવસર પર શ્રદ્ધા સાથે વ્રત રાખે છે, તેના ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. તેમજ પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

⦁ આ દિવસે સફેદ વસ્તુનું કોઈ જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ.

⦁ આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરવું વિશેષ લાભદાયી બની રહેશે. કહે છે કે તેનાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

વિશેષ ઉપાય

⦁ પૌરાણિક માન્યતા અનુસાર મિત્ર સપ્તમીના અવસર પર સૂર્ય દેવતાનું સ્મરણ કરી કોઈ મંદિરમાં ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી નેત્ર રોગ દૂર થાય છે.

⦁ કહે છે કે આ દિવસે મંદિરમાં તેલનો દીપ પ્રજ્વલિત કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

⦁ મિત્ર સપ્તમીના અવસરે તલના તેલનો દીપ પ્રગટાવવાથી શત્રુબાધાથી મુક્તિ મળે છે. શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે અથવા તો શત્રુઓ જ મિત્ર બની જાય છે.

શું રાખશો ધ્યાન ?

ખાસ ધ્યાન રાખો કે આ દિવસે નીલા કે વાદળી રંગના વસ્ત્ર પહેરવાનું ટાળવું જોઈએ.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">