Dhanteras: માત્ર દેવી લક્ષ્મીની જ નહીં, ધનતેરસે તો આ દેવતાઓની પૂજાનો પણ છે મહિમા !

ધનતેરસે (dhanteras) લક્ષ્મીપૂજન સમયે ચાંદીના સિક્કા અને કોડીઓની પણ પૂજા કરો. આ સમયે ભૂલ્યા વિના તેના પર કેસર મિશ્રિત હળદરનું તિલક કરો. ત્યારબાદ આ બંન્ને વસ્તુઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધી ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થિર થઈ જશે.

Dhanteras: માત્ર દેવી લક્ષ્મીની જ નહીં, ધનતેરસે તો આ દેવતાઓની પૂજાનો પણ છે મહિમા !
Goddess lakshmi (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 21, 2022 | 6:29 AM

ધનતેરસનો (dhanteras) દિવસ એ દિવાળીના (Diwali 2022) દિવસોમાં સવિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે, તે દેવી લક્ષ્મીનો (goddess lakshmi) પ્રાગટ્ય દિવસ મનાય છે અને સાથે જ દેવી લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ પણ. અલબત્, આ દિવસે માત્ર દેવી લક્ષ્મીની જ પૂજાનું વિધાન નથી. આ દિવસ એ ધન્વંતરિ દેવતા, કુબેર દેવતા તેમજ યમદેવતાની કૃપાને પણ પ્રાપ્ત કરાવનારો છે. ત્યારે આવો, જાણીએ કે કયા વિશેષ ઉપાયો થકી આપણને તેમની કૃપા પ્રાપ્ત થઈ શકે.

માતા લક્ષ્મીની પ્રસન્નતા

એક માન્યતા અનુસાર એ ધનતેરસની જ તિથિ હતી કે જે દિવસે દેવી લક્ષ્મીનું સમુદ્રમંથનમાંથી પ્રાગટ્ય થયું હતું. એટલે કે આ દિવસ એ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ છે. આ દિવસે માતા લક્ષ્મીની તો પૂજા થાય જ છે. સાથે જ તેમની સવિશેષ કૃપાને પ્રાપ્ત કરવા ચાંદીના સિક્કા, કોડીઓ તેમજ દક્ષિણાવર્તી શંખની પૂજાનું પણ શાસ્ત્રોમાં વિધાન છે. જો આપની મનશા ધન-વૈભવમાં વૃદ્ધિની હોય તો ધનતેરસે એક ખાસ પ્રયોગ કરો. લક્ષ્મીપૂજન સમયે ચાંદીના સિક્કા અને કોડીઓની પણ પૂજા કરો. આ સમયે ભૂલ્યા વિના તેના પર કેસર મિશ્રિત હળદરનું તિલક કરો. ત્યારબાદ આ બંન્ને વસ્તુઓને લાલ રંગના વસ્ત્રમાં બાંધી ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થિર થશે. સાથે જ ધન-વૈભવમાં વૃદ્ધિ થશે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

લાલ દોરાની વાટનો દીવો ! 

ધનતેરસના દિવસે પૂજામાં લીધેલ દીવામાં રૂની વાટના બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપની આર્થિક સમસ્યાઓને દૂર કરી દે છે.

કુબેરયંત્રની પૂજા

ધનતેરસ એ માત્ર માતા લક્ષ્મી જ નહીં, પણ કુબેર દેવતાની કૃપાને પ્રાપ્ત કરવાનો પણ અવસર છે. ધનતેરસે કુબેર યંત્રની પૂજાનું મહત્વ છે. એટલે કે આ દિવસે શુભ મુહૂર્તમાં ઘર કે ધંધાના સ્થાન પર કુબેર યંત્રની સ્થાપના કરવી જોઇએ. કુબેર યંત્રની સ્થાપના પછી તેની પૂજા કરવી જોઇએ. પૂજા પૂર્ણ થાય પછી કુબેર યંત્રને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાના સ્થાન પર મૂકી દેવું. માન્યતા તો એવી છે કે ધનતેરસના દિવસે આ રીતે કુબેર યંત્રની પૂજા અને સ્થાપના કરવાથી માતા લક્ષ્મીની સાથે કુબેર દેવતાના પણ વિશેષ આશીર્વાદ મળે છે. સાથે જ આપની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા લાગે છે.

ધન્વંતરિની પૂજા

ભગવાન ધન્વંતરિ એ શ્રીહરિ વિષ્ણુના 24 અવતારોમાંથી જ એક મનાય છે. માન્યતા અનુસાર તેમનું પ્રાગટ્ય પણ ધનતેરસની તિથિએ જ સમુદ્રમંથનમાંથી થયું હતું. હાથમાં અમૃત કળશ ધારણ કરનારા ધન્વંતરિ દેવ આરોગ્યનું સુખ પ્રદાન કરવાવાળા છે. એટલે ધનતેરસે ભગવાન ધન્વંતરિની પૂજા અવશ્ય કરવી જોઈએ. જો ઘરમાં તેમની તસવીર ન હોય તો પણ તમે સ્મરણ કરીને તેમને વંદન કરી શકો છો. કહે છે કે ધનતેરસે ધન્વંતરિ દેવના પૂજનથી વ્યક્તિને વિવિધ રોગોથી છૂટકારો મળે છે. અને આરોગ્ય સુખાકારીની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">