AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી પર શું કરવું અને શું ન કરવું? જાણો પૂજાની સાચી રીત

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી હિંદુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ ગણેશ ચતુર્થી પર શું કરવું અને શું ન કરવું તેમજ પૂજાના સાચા નિયમો શું છે.

Ganesh Chaturthi 2024 : ગણેશ ચતુર્થી પર શું કરવું અને શું ન કરવું? જાણો પૂજાની સાચી રીત
Ganesh Chaturthi 2024
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2024 | 9:16 AM
Share

Ganesh Chaturthi 2024 : હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એટલે કે અંજવાળિયાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ભાદો મહિનામાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભાદ્રપદ માસ ભગવાન ગણેશને સમર્પિત છે.

આ મહિનામાં ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. ઉદય તિથિ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે. બાપ્પાની વિદાય એટલે કે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર, મંગળવારે અનંત ચતુર્દશીના રોજ થશે.

ગણેશ ચતુર્થી 2024 મૂર્તિ સ્થાપન માટેનો શુભ સમય (Ganesh Chaturthi 2024 shubh muhurat)

પંચાંગ અનુસાર 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપના કરવાનો શુભ સમય સવારે 11.3 વાગ્યાથી બપોરે 1:34 વાગ્યા સુધીનો રહેશે. આમ 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ મુહૂર્ત 2 કલાક 31 મિનિટ સુધી રહેશે. જે દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાની પૂજા કરી શકશે.

ગણેશ ચતુર્થીના દિવસે કરો આ કામ

  1. ઘરે અથવા પૂજા સ્થાન પર ગણેશજીની સુંદર મૂર્તિ સ્થાપિત કરો. તેને સારી રીતે શણગારો અને પછી તેની સંપૂર્ણ વિધિથી પૂજા કરો.
  2. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને તમારા ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં વિધી પ્રમાણે બિરાજમાન કરો, આ દિશામાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
  3. ભગવાન ગણેશને લાલ રંગ ખૂબ જ પ્રિય છે, તેથી તેમની પૂજામાં લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરો, જેમ કે ગણપતિ બાપ્પાને લાલ રંગના કપડાં પર બિરાજમાન કરો અને તેમને લાલ રંગના વસ્ત્રો પહેરાવો. ભગવાન ગણેશની પૂજામાં લાલ રંગના ફૂલ, ફળ અને લાલ ચંદનનો ઉપયોગ અવશ્ય કરો.
  4. ભગવાન ગણેશની પૂજામાં દુર્વા ઘાસ, ફૂલ, ફળ, દીવો, ધૂપ, ચંદન, સિંદૂર અને ભગવાન ગણેશને પ્રિય લાડુ અને મોદક ચઢાવો.
  5. ગણપતિની પૂજામાં ભગવાન ગણેશના મંત્રનો દસ દિવસ સુધી “ઓમ ગં ગણપતયે નમઃ” નો જાપ કરો.

ગણેશ ચતુર્થીના દિવસે ન કરો આ કામ

  1. ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં ગણેશજીની અડધી બંધાયેલી કે તૂટેલી મૂર્તિની સ્થાપના કે પૂજા ન કરો. આમ કરવું અશુભ માનવામાં આવે છે.
  2. ભગવાન ગણપતિની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાન કે કેતકીના ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા અનુસાર આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી.
  3. ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ અને પૂજા કરનાર વ્યક્તિએ શરીર અને મન શુદ્ધ રહેવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  4. ગણેશ ચતુર્થીના દિવસોમાં ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
  5. ગણેશ ચતુર્થી દરમિયાન પરિવારના સભ્યો સાથે ગુસ્સો, વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ.

પૂજા વિધિ

ગણેશ ચતુર્થીની પૂજામાં આસને સ્વચ્છ અને શાંત જગ્યાએ રાખો અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ગંગા જળથી મૂર્તિને શુદ્ધ કરો. ત્યાર બાદ ભગવાન ગણેશને રોલી, ચંદન અને ફૂલોથી શણગારો. તેના સૂંઢ પર સિંદૂર લગાવો અને દુર્વા ચઢાવો. ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. ભગવાન ગણેશને મોદક અને ફળ અર્પણ કરો. પૂજાના અંતે ભગવાન ગણેશની આરતી કરીને અને ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો જાપ કરીને ભગવાન ગણેશ પાસેથી તમારી ઇચ્છાઓ માગો.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">