Gandhinagar: રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી સરકારની તૈયારી, ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

સિંચાઈના (Irrigation water) અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu vaghani) લોકોને એવી ખાતરી આપી છે કે ઉનાળામાં પીવાના પાણીની ચિંતા ન રહે તે માટે સરકારે જે-તે વિભાગને સૂચના આપી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 6:20 PM

ઉનાળો (Summer 2022) આવતાની સાથે જ રાજ્યના અનેક ગામોમાં પાણીનો પોકાર (Water Crisis) જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત (Gujarat)ના ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે વલખા મારતા હોય છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ કહી શકાય કે પાણીના આ પોકાર વચ્ચે સરકારે પાણીની તંગી નહીં સર્જાય તેવા સંકેત આપ્યા છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરી શકાય તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે તો સાથે જ સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે.

સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ લોકોને એવી ખાતરી આપી છે કે ઉનાળામાં પીવાના પાણીની ચિંતા ન રહે તે માટે સરકારે જે-તે વિભાગને સૂચના આપી દીધી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં હેડપંપ રિપેર સહિતના કામો તુરંત પૂર્ણ કરવા પણ સૂચના આપી દેવાઈ છે. સાથે જ ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર 1916 જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન નંબર પર પાણી અંગે જેને પણ સમસ્યા હશે તે રજૂઆત કરી શકશે.

મહત્વનું છે કે દર વર્ષે ઉનાળો આવતા રાજ્યમાં ઠેર ઠેર પાણીના પ્રશ્નો ઉભા થતા હોય છે. કેટલાક સ્થળે તો રીતસરના ટેન્કર મગાવીને લોકોને ચલાવવુ પડે છે. ત્યારે હવે ગુજરાત સરકારે લોકોને પાણીની સમસ્યા નહીં સર્જાય તેવુ આશ્વાસન આપ્યુ છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે લોકોની પાણી અંગેની સમસ્યા હલ થાય છે કે કેમ.

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જામનગર આયુર્વેદિક કેન્દ્રના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ કરશે

આ પણ વાંચો-Gandhinagar: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયા, મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">