વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જામનગર આયુર્વેદિક કેન્દ્રના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે (BJP) વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જામનગર આયુર્વેદિક કેન્દ્રના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ કરશે
PM MODI (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 4:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસમાં (Gujarat visit) બદલાવ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 18 એપ્રિલે સાંજે અમદાવાદ (Ahmedabad) આવશે. વડાપ્રધાન ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. 18 એપ્રિલે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. પીએમ મોદી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ 19 એપ્રિલે બનાસકાંઠા અને જામનગરની મુલાકાત લેશે. જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું તેઓ ભૂમિપૂજન કરશે. આ દરમિયાન WHOના ડીજી સહિત અધિકારીઓ હાજર રહેશે.

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. કેન્દ્રીય નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે ફરી વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. જેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.

જે બાદ 18 એપ્રિલે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. ગાંધીનગર રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે. 19 એપ્રિલે સવારે પીએમ મોદી બનાસકાંઠા જશે. વડાપ્રધાન મોદી બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં પશુપાલક મહિલાઓના સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. 19 એપ્રિલે બનાસકાંઠા બાદ જામનગર પહોંચશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

19 એપ્રિલે વડાપ્રધાન જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે WHOના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી પણ હાજર રહેશે. 19 એપ્રિલે રાત્રે ગાંધીનગર પરત ફરી રાજભવનમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. 20 એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે જ દિલ્લી જવા તેઓ રવાના થશે.

આ પણ વાંચો- હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી

આ પણ વાંચો-નડિયાદમાં તાન્યા અપહરણ અને હત્યાં કેસમાં આરોપી મિત પટેલ, તેની માતા અને ભાઈને આજીવન કેદની સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">