AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદ (Ahmedabad) શહેરમાં જેમ જેમ ગરમીનો (Heat) પારો ઉપર જઈ રહ્યો છે તેમ પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. તો બીજીબાજુ પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેને પગલે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ચિંતા વધારી છે.

Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો
Ahmedabad's Hospital (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 12:37 PM
Share

અમદાવાદમાં (Ahmedabad) ઉનાળાની (Summer 2022) શરુઆત સાથે જ રોગચાળો (Epidemic) પણ વકરતો જઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. પાણીના 77 સેમ્પલ અનફિટ આવ્યા છે. જેને પગલે લોકોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે. તો વધી રહેલી ગરમીની સાથે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં જેમ જેમ ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે તેમ પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. તો બીજીબાજુ પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેને પગલે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ચિંતા વધારી છે. જેને લઇને આરોગ્ય વિભાગે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ત્યારે રોગચાળાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરતા ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એપ્રિલના 9 દિવસમાં જ 210 કેસ નોંધાયા છે. ગત વર્ષે એપ્રિલમાં ઝાડા ઉલટીના 110 કેસ હતા. આ વર્ષે એપ્રિલમાં કમળાના 54, ટાઇફોઇડના 50 કેસ નોંધાયા છે. તો એપ્રિલમાં મેલેરિયાના 8, ડેન્ગ્યૂના 5, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ઘણા સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ શહેરના લાંભા, નારોલ, વટવા, રામોલ, ગોમતીપુર અને મધ્ય ઝોનમાં પ્રદુષિત પાણીની ફરિયાદો સામે આવી છે. માટે પાણીજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં છે.

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પણ વધુ બીમારી ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવી છે. જેમાં ફૂડ વિભાગે બરફના અને ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 10 દિવસમાં આવી જશે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો-ખંભાતમાં થયેલાં તોફાનોમાં મોટો ખુલાસો, બહારથી લોકોને લાવીને કરાયો હતો હુમલો, ત્રણ મૌલવી અને બે શખસોની સંડોવણી

આ પણ વાંચો-Kheda: નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, જાણો શા માટે 7 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">