AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદ (Ahmedabad) શહેરમાં જેમ જેમ ગરમીનો (Heat) પારો ઉપર જઈ રહ્યો છે તેમ પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. તો બીજીબાજુ પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેને પગલે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ચિંતા વધારી છે.

Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો
Ahmedabad's Hospital (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 12:37 PM
Share

અમદાવાદમાં (Ahmedabad) ઉનાળાની (Summer 2022) શરુઆત સાથે જ રોગચાળો (Epidemic) પણ વકરતો જઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. પાણીના 77 સેમ્પલ અનફિટ આવ્યા છે. જેને પગલે લોકોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે. તો વધી રહેલી ગરમીની સાથે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં જેમ જેમ ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે તેમ પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. તો બીજીબાજુ પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેને પગલે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ચિંતા વધારી છે. જેને લઇને આરોગ્ય વિભાગે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ત્યારે રોગચાળાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરતા ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એપ્રિલના 9 દિવસમાં જ 210 કેસ નોંધાયા છે. ગત વર્ષે એપ્રિલમાં ઝાડા ઉલટીના 110 કેસ હતા. આ વર્ષે એપ્રિલમાં કમળાના 54, ટાઇફોઇડના 50 કેસ નોંધાયા છે. તો એપ્રિલમાં મેલેરિયાના 8, ડેન્ગ્યૂના 5, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ઘણા સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ શહેરના લાંભા, નારોલ, વટવા, રામોલ, ગોમતીપુર અને મધ્ય ઝોનમાં પ્રદુષિત પાણીની ફરિયાદો સામે આવી છે. માટે પાણીજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં છે.

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પણ વધુ બીમારી ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવી છે. જેમાં ફૂડ વિભાગે બરફના અને ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 10 દિવસમાં આવી જશે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો-ખંભાતમાં થયેલાં તોફાનોમાં મોટો ખુલાસો, બહારથી લોકોને લાવીને કરાયો હતો હુમલો, ત્રણ મૌલવી અને બે શખસોની સંડોવણી

આ પણ વાંચો-Kheda: નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, જાણો શા માટે 7 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">