“લોકશાહીનો હત્યારો, જનતાનો ગદ્દાર” પોસ્ટર પર લખી કોંગ્રેસના કાર્યકરોએ નીલેશ કુંભાણીના ઘરે કર્યા દેખાવો

સુરતમાં કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી રોષ વ્યક્ત કર્યો છે. લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો હતો. કુંભાણીના ઘર બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લાગી ગયા છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 25, 2024 | 4:38 PM

સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી ગાયબ છે. ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે તેમનો પરિવાર ક્યા છે તેને લઈને કોઈ જાણકારી નથી. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા પહોચ્યાં હતા.

સુરતમાં કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી રોષ વ્યક્ત કર્યો છે. લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈ કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો હતો. કુંભાણીના ઘર બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લગાવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી જેની માહિતી તેમના પાડોશીએ આપી છે. નિલેશ કુંભાણી ક્યાં છે તે કોઈને ખબર નથી.

તમને જણાવી દઈએ કે સુરત બેઠક પરથી કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ પણ તેમના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય ઠરતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતુ આ મામલે મોટો વિવાદ પણ થયો હતો જે બાદથી કુંભાણીનો કોઈ અતોપતો મળી રહ્યો નથી. ત્યારે તેમની પાર્ટીના કાર્યકરો તેમના વિરુદ્ધ રોષ ઠાલવી વિરોધ કરવા ઘરે પહોચ્યાં હતા.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">