Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર, અનેક જળાશયો થયા છલોછલ, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને કરાયા એલર્ટ-જુઓ Video

સૌરાષ્ટ્રમાં મેઘમહેર, અનેક જળાશયો થયા છલોછલ, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને કરાયા એલર્ટ-જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 6:57 PM

Rain Updates: હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થતા અનેક ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Rain Updates: રાજ્ય સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલો ભાદર-2 ડેમ અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

રાજકોટના જસદણમાં આવેલો કરણુકી ડેમમાં પણ નવા નીર આવતા ડેમના 11 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા દોઢ ફુટ સુધી ખોલાતા વેણુ નદીમાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોંડલમાં આવેલો મોતીસર ડેમ ઉભરાયો છે.. જેથી પાટીયાળી, હડમતળાળા, કોલીથડ સહિતના ગામો એલર્ટ કરાયા છે.

ભાવનગરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની સતત આવકને પગલે 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડ્યું હોવાથી 17 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

જૂનાગઢના ઓઝત, વિયર શાપુર ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ડેમમાંથી હાલ 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ઘેડપંથકના ગામોને સતર્ક રહેવા જણાવાયું છે. આ તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમની સપાટીમાં 18 કલાકમાં 36 સે.મી.નો વધારો નોંધાયો છે. ડેમની પાણીની સપાટી હાલ 127.86 મીટર છે.

આ પણ વાંચો : Saurashtra Dam: સૌરાષ્ટ્રના જુદા-જુદા ડેમના જળસંગ્રહમાં વધારો, 34 જળાશયો થયા ઓવરફ્લો, જુઓ Video

વલસાડનો મધુબન ડેમ પણ ઓવરફ્લો થવાથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમની જળસપાટી હાલ 71.25 ફૂટ પર પહોંચી છે. નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. કેલિયા ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ છલકાતા નિચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">